સત્તા સંભાળ્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલની અમદાવાદને સૌપ્રથમ ભેટ

author img

By

Published : Dec 14, 2022, 4:43 PM IST

સત્તા સંભાળ્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલની અમદાવાદને સૌપ્રથમ ભેટ
સત્તા સંભાળ્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલની અમદાવાદને સૌપ્રથમ ભેટ ()

રાજ્યમાં નવી સરકાર રચાતા લોકહિત કાર્યની સૌપ્રથમ (CM Bhupendra Patel inaugurated underpass bridge) ભેટ મળી છે. CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડા દ્વારા SP રિંગરોડ, વૈષ્ણોદેવી જંકશન પર નવનિર્મિત અંડરપાસ બ્રિજનું લોકાર્પણ કર્યું છે. (underpass bridge in Ahmedabad Vaishnodevi Junction)

અમદાવાદ : ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવી નવી સરકારના કાર્યારંભે જ અમદાવાદ મહાનગર અને ઔડા વિસ્તારને રૂપિયા 40.36 કરોડ રૂપિયાના મહત્વપૂર્ણ લોકહિત કાર્યની વિકાસ (CM Bhupendra Patel inaugurated underpass bridge) ભેટ આપી છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડા દ્વારા SP રિંગરોડ, વૈષ્ણોદેવી જંકશન પર નવનિર્મિત અંડરપાસ બ્રિજનું મુખ્યપ્રધાને લોકાર્પણ કર્યું છે. (CM inaugurated underpass bridge in Ahmedabad)

વૈષ્ણોદેવી જંકશન પર નવનિર્મિત અંડરપાસનું લોકાર્પણ CM ભૂપેન્દ્ર પટેલે કર્યું
વૈષ્ણોદેવી જંકશન પર નવનિર્મિત અંડરપાસનું લોકાર્પણ CM ભૂપેન્દ્ર પટેલે કર્યું

મુખ્યપ્રધાને આ સંદર્ભમાં શું કહ્યું નવી સરકારનો પ્રથમ જાહેર કાર્યક્રમ સરદાર ધામ પરિસરમાં સરદાર પ્રતિમાના ચરણોમાં યોજાયો છે. તેનું ગૌરવ સ્મરણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. મુખ્યપ્રધાને આ સરકાર પ્રજાના પ્રશ્નોને પ્રાયોરિટી આપી તેના નિવારણ માટે સદૈવ કર્તવ્યરત રહેશે તેવી પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ સંદર્ભમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક બની, નેક બની જે વિકાસ કાર્યો કર્યા છે, તેના પરિણામો તાજેતરની ચૂંટણીમાં જોવા મળ્યા છે. આટલો વ્યાપક જનાધાર મળતા સરકારની જવાબદારી વધી જાય છે, ગુજરાતની જનતાએ અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેને લાંબા સમય સુધી ટકાવી રાખવા અને આ વિશ્વાસને વધુ મજબૂત કરવાની શરૂઆત આજથી જ કરી દીધી છે. (Underpass bridge at Vaishnodevi Junction)

ગૃહપ્રધાનના વિસ્તારમાં લોકાર્પણ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિકાસની રાજનીતિથી જ ચૂંટણીઓ જીતી શકાય એવી પરિપાટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસ્થાપિત કરી દીધી છે. ભૂપેન્દ્ર પટેલે એમ પણ ઉમેર્યું કે, વડાપ્રધાને છેવાડાના માનવી સહિત સૌના સાથ, સૌના વિકાસની નેમથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની જે નેમ રાખી છે તેમાં વિકસિત ગુજરાતના નિર્માણથી આપણે લીડ લેવાની છે. વધુમાં કહ્યું હતું કે, ગૃહપ્રધાન અમિત શાહના સંસદીય મત ક્ષેત્રમાં આ વિકાસ કાર્યનું લોકાર્પણ વિશેષ આનંદની વાત છે. કેન્દ્રીય ગૃહપ્રધાને તેમના આ સંસદીય મતવિસ્તારને ભારતનો સર્વશ્રેષ્ઠ અને વિકસિત વિસ્તાર બનાવવાની નેમ રાખી છે. ગૃહપ્રધાન તરીકે સમગ્ર દેશની જિમ્મેદારી છતાં પણ જવાબદારી ગૃહપ્રધાન અમિત શાહ ક્યારેય વિસર્યા નથી. (First Gift of State Govt)

અંડરપાસના ખાસિયત આ પ્રસંગે ઔડાના ચેરમેન એમ.થેન્નારસને જણાવ્યું હતું કે, કુલ 40.36 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ અંડરપાસની લંબાઈ 720 મીટર અને પહોળાઇ 23 મીટર (6 લેન) (11*2 મીટર કેરેજ વે) છે. અંડરપાસ બ્રિજની RCC દીવાલ 536 મીટર લંબાઈ (268મીટર + 268મીટર) ધરાવે છે, જ્યારે RCC બોક્સની લંબાઈ 70 મીટર છે. (CM Bhupendra Patel inaugurated underpass bridge)

આ પ્રસંગે કોણ કોણ હાજર રહ્યું આ પ્રસંગે રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ પંચાલ, મણીનગર, દરિયાપુર, દસક્રોઈ, એલિસબ્રિજ, નારણપુરા, વેજલપુર, સાબરમતી, અસારવા, ઠક્કરબાપાનગર, નરોડાના, બાપુનગર, વટવાના અને અમરાઈવાડીના ધારાસભ્ય હાજર રહ્યા હતા. તેમજ અમદાવાદના મેયર કિરીટ પરમાર અને ડેપ્યુટી મેયર ગીતા પટેલ, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને રજની પટેલ, ઔડાના મુખ્ય કારોબારી અધિકારી ડી.પી.દેસાઈ, AUDA અને AMCના સભ્યો-અધિકારીઓ, પદાધિકારીઓ, સરદારધામના સંચાલકગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (Ahmedabad Vaishnodevi Junction)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.