ETV Bharat / state

Kiran Patel Case : કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવવા આવેલા મકાન માલિક ફરિયાદ કર્યા વિના જ મુંબઈ પરત ફર્યા

author img

By

Published : Mar 25, 2023, 12:59 PM IST

અમદાવાદના ઘોડાસરના મકાન માલિક ભાડું ન ચુકવ્યાની કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. પરતું મકાન માલિક ફરીયાદ ન નોંધાવી શા માટે મુંબઈ પરત ફરી ગયા તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. જોકે હજુ પણ કિરણ સામે બેથી ત્રણ ફરિયાદો થાય તેવી શક્યતાઓ છે.

Kiran Patel Case : કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવવા આવેલા મકાન માલિક ફરિયાદ કર્યા વિના જ મુંબઈ પરત ફર્યા
Kiran Patel Case : કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવવા આવેલા મકાન માલિક ફરિયાદ કર્યા વિના જ મુંબઈ પરત ફર્યા

અમદાવાદ : PMOમાં એડિશનલ ડાયરેક્ટર તરીકેની ઓળખ આપી કાશ્મીરમાં અનેક વખત મહેમાનગતિ માણનાર કિરણ પટેલની પોલ ખુલતા જ તેને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યો છે. જોકે તેના જુના કારનામાં એક બાદ એક સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં અંદાજે 18 કરોડની કિંમતનો શીલજનો બંગલો રીનોવેશનના નામે લઈને બંગલા બહાર પોતાની નેમ પ્લેટ લગાવી પચાવી પાડવાનો પ્રયાસ કરનારા કિરણ પટેલ સામે પૂર્વ પ્રધાનના ભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. જોકે કિરણ પટેલ છેલ્લા 5 વર્ષથી ઘોડાસરના જે ઘરમાં રહેતો હતો. તે મકાનનું ભાડું 4 વર્ષથી ન ચૂકવ્યું હોવાનું સામે આવ્યું હતું.

પત્ની બાળકોને લઈને ફરાર : ઘોડાસરમાં આવેલા પ્રેસ્ટીજ બંગલોઝ સોસાયટી A-17 નંબરમાં બંગલા અમૃતાલાયમ જ્યાં કિરણ પટેલ પત્ની માલિની પટેલ પરિવાર સાથે રહેતો હતો. જે બંગલોના માલિકને છેલ્લા 4 વર્ષ સુધી કિરણ પટેલે ભાડું ચૂકવ્યું ન હોવાનું સામે આવ્યું છે. કિરણ પટેલની ધરપકડ બાદ તેની પત્ની માલિની પટેલ પણ બાળકો સાથે ઘરમાં તાળું મારીને ફરાર થઇ ગઈ છે. જોકે આ તમામ બાબતો વચ્ચે તે મકાનના માલિક વનારામ ચૌધરી અમદાવાદમાં કિરણ પટેલ સામે ફરિયાદ કરવા માટે મુંબઈથી આવ્યા હતા. પરતું એવું તો શું બન્યું કે તેઓ ફરિયાદ કર્યા વિના જ મુંબઈ પરત ફરી ગયા તે મોટો પ્રશ્ન ઉભો થયો છે.

કિરણ પટેલ પરિવાર
કિરણ પટેલ પરિવાર

એક વર્ષ ભાડું આપ્યું : દર મહિને 12 હજાર રૂપિયાના ભાડા પેટે એક વર્ષ માટે કિરણ પટેલે બંગલો ભાડે લીધો હતો. એક વર્ષ ભાડું આપ્યા બાદ ભાડું ન આપીને બંગલો ખાલી પણ કર્યો ન હતો. જોકે તે સમયે બંગલાના માલિકે બંગલો થોડા મહિનાઓ માટે આપ્યો હોવાથી ભાડા કરાર કરાવ્યો ન હતો. પરંતુ હવે 4 વર્ષનું ભાડું ન ચૂકવી કિરણ પટેલે 5 લાખથી વધુ રકમની છેતરપિંડી આચરી અને બંગલો ખાલી ન કર્યો હોવાથી બંગલાના માલિક વનારામ ચૌધરી અમદાવાદમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા.

આ પણ વાંચો : Fake PMO Officer: ઠગ કિરણ પટેલે બોલવાની છટાથી અરવલ્લીના ખેડૂતોને ફસાવ્યા, 1.25 કરોડની છેતરપિંડી

માલિકે ફરિયાદ કરવાનું માંડી વાળ્યું : બંગલાના માલિક વનારામ ચૌધરી શુક્રવારે અમદાવાદમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં જવાના હતા અને બાદમાં વટવા પોલીસ સ્ટેશનમાં કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવવા માટે જવાના હતા, પરંતુ દિવસ દરમિયાન એવું તો શું બન્યું કે તેઓએ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું તે મોટો પ્રશ્ન ઉભો થયો છે.

આ પણ વાંચો : Fake PMO Officer : મહાઠગ કિરણ પટેલ સાથે કાશ્મીરમાં મોજ માણનાર બે ગુજરાતી ઝડપાયા

ફરિયાદ ન કરવા પાછળનું શું હોય શકે છે કારણ : અચાનક મકાનના માલિક ફરિયાદ કર્યા વિના મુંબઈ પરત ફરતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. શું તેમને કોઈએ આડકતરી રીતે ફરિયાદ કરવાની ના પાડી છે અથવા તો કોઈ વ્યક્તિ તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે તે હાલ તો ચર્ચાનો વિષય છે. આ અંગે ETV ભારતે જ્યારે વનારામ ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કરી તેઓ ફરિયાદ કરવા આવ્યા હતા. તો ફરિયાદ કરી છે કે કેમ તે અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ અત્યારે ફરિયાદ કરી નથી પછી જોશું. તેઓએ હાલ ટેલિફોનિક વાતચીત માટે પણ મનાઈ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.