ETV Bharat / sports

વર્લ્ડ કપનો ફીનાલે જોવા રવિવારે અમદાવાદ આવશે પીએમ મોદી, તો ભારતીય વાયુસેના દ્વારા વર્લ્ડ કપ ફાઈનલ પહેલા એર શોનું આયોજન

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 12:17 PM IST

Updated : Nov 17, 2023, 1:40 PM IST

World Cup 2023 Closing Ceremony: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલને યાદગાર બનાવવા માટે BCCI ખાસ તૈયારીઓ કરી રહ્યું છે. ખુદ વડાપ્રધાન મોદી પણ આ ફાઈનલ મેચ જોવા માટે ખાસ અમદાવાદ આવી રહ્યાં છે. આ ઉપરાંત શું હશે ખાસ જાણો આ શાનદાર મેચના દિવસે શું ખાસ થશે.

Etv BharatWorld Cup 2023 Closing Ceremony
Etv BharatWorld Cup 2023 Closing Ceremony

અમદાવાદ: ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બર, રવિવારના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ભારતે પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તે જ સમયે, ગુરુવારે રમાયેલી બીજી સેમિફાઇનલમાં, ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને નજીકની મેચમાં હરાવીને રેકોર્ડ 8મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

BCCI ખાસ તૈયારીઓ કરી રહ્યું છે: ટીમ ઈન્ડિયાની નજર આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને 2003 વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવા પર છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા રેકોર્ડ છઠ્ઠી વખત ટાઈટલ કબજે કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બંને ટીમો પાવરફુલ છે, તેથી અમદાવાદમાં ક્રિકેટ ચાહકોને કપરી સ્પર્ધા જોવા મળશે. આ શાનદાર મેચને યાદગાર બનાવવા માટે BCCI પણ ખાસ તૈયારીઓ કરી રહ્યું છે.

એર શોનું આયોજન થશેઃ ન્યૂઝ એજન્સી PTI અનુસાર, ભારતીય વાયુસેનાની 'સૂર્ય કિરણ એરોબેટિક ટીમ' વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં એર શો રજૂ કરશે. આ ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેગા મેચની 10 મિનિટ પહેલા હવામાં સ્ટંટ કરીને દર્શકોને રોમાંચિત કરશે. તમને જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમમાં સામાન્ય રીતે 9 એરક્રાફ્ટ હોય છે અને તેણે દેશભરમાં ઘણા એર શોનું આયોજન કર્યું છે.

વડાપ્રધાન મોદી ફાઈનલ મેચ નિહાળશે: મળતી માહિતી મુજબ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા અને ભારતીય ટીમને ચીયર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. રવિવારે સવારે ૧૧-૩૦ કલાકે વડાપ્રધાન મોદી એરપોર્ટ પર ઉતરાણ કરી શકે છે.

રંગારંગ સમાપન સમારોહનું આયોજન: 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ કપ ફાઈનલના દિવસે ભવ્ય સમાપન સમારોહનું આયોજન કરવામાં આવશે. અહેવાલો અનુસાર, આ સમારોહમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ તેમના પરફોર્મન્સથી ચમકશે.

આ પણ વાંચો:

  1. અમદાવાદમાં ફાઇનલ મેચને લઈ ઉત્સાહનો માહોલ, ભારતીય ક્રિકેટ ટીમ પહોંચી એરપોર્ટ
  2. ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં મોહમ્મદ શમી રચશે ઇતિહાસ, પાકિસ્તાન અને શ્રીલંકાના આ 2 દિગ્ગજોને પાછળ છોડશે
Last Updated :Nov 17, 2023, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.