મુંબઇ: કોરોના વાઇરસના પ્રકોપને કારણે લોક ડાઉનમાં અનેક પ્રોડક્શન હાઉસ દ્વારા સરકારી ગાઇડલાઇન્સનું પાલન કરી અટવાયેલા પ્રોજેક્ટ્સના શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ શમશેરાનું શૂટિંગ શરૂ થઈ શક્યું નથી.
આ ફિલ્મને 31 જુલાઇના રોજ રીલિઝ કરવાનું આયોજન હતું પરંતુ જ્યારથી કોરોના વાઇરસ મહામારી શરૂ થઈ ત્યારથી શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. આ મામલે થોડા વિચાર વિમર્શ બાદ રણબીર કપૂર અને સંજય દત્તને 1 ઓગસ્ટે પેચવર્ક પૂરું કરવા વાયઆરએફ સ્ટુડિયો જવાનું હતું પરંતુ આમાં હજુ ઘણો સમય લાગશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
મુંબઈમાં સતત કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોની સલામતિ વધુ મહત્વની છે એમ ફિલ્મના સૂત્રોએ જણાવ્યું હતું. આ ફિલ્મનું આગળનું કામકાજ 15 ઑગસ્ટ સુધીમાં શરૂ થાય તેવી શક્યતાઓ છે.
આ પિરીયડ ડ્રામા ફિલ્મમાં રણબીર કપૂર એક ડાકુની ભૂમિકા ભજવી રહ્યો છે જેમાં તેની સાથે સંજય દત્ત ઉપરાંત વાણી કપૂર જોવા મળશે.