ETV Bharat / sitara

Lataji Health Update: લતાજીના સ્વાસ્થ માટે અયોધ્યામાં કરાયા મહામૃત્યુંજય જાપ

author img

By

Published : Jan 26, 2022, 10:05 AM IST

92 વર્ષીય લતા મંગેશકરનો કોવિડ રિપાર્ટ (corona case in india) જ્યારથી પોઝિટિવ આવ્યો છે તેને પગલે તેમને ICUમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. લતાજી ઝડપથી સ્વસ્થ્ય થઇ જાય તે માટે તેના ફેન્સ સતત પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે અયોધ્યામાં લતા મંગેશકરના સારા સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય જાપ (Lataji Health Update) કરવામાં આવ્યો હતો. જેની માહિતી ANIએ ટવીટ કરી આપી હતી.

Lataji Health Update: લતાજીના સ્વાસ્થ માટે અયોધ્યામાં કરાયા મહામૃત્યુંજય જાપ, જગદગુરુ પરમહંસ આચાર્ય મહારાજે કહ્યું પીએમ મોદીને અપીલ કરીશ
Lataji Health Update: લતાજીના સ્વાસ્થ માટે અયોધ્યામાં કરાયા મહામૃત્યુંજય જાપ, જગદગુરુ પરમહંસ આચાર્ય મહારાજે કહ્યું પીએમ મોદીને અપીલ કરીશ

ન્યૂઝ ડેસ્ક: દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર (Lataji Health Update) 8 જાન્યુઆરીથી હોસ્પિટલમાં દાખલ છે. ચાહકો તેમના સ્વાસ્થ માટે પ્રાર્થના કરી રહ્યા છે, જ્યારે લતાજીની તબિયતમાં પહેલા કરતા સુધારો છે, પરંતુ તેમના ચાહકો તેમના માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. 8 જાન્યુઆરીએ તેમને કોરોના (corona case in india) પોઝિટિવ અને ન્યુમોનિયા જેવી ગંભીર બીમારી થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Mumbai Breach Candy Hospital) દાખલ કરાયા હતા. 92 વર્ષીય લતાજીને ICUમાં ડોક્ટરોની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ સાથે અયોધ્યામાં સાધુઓએ દીદીના સારા સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજયનો જાપ કર્યો હતો.

  • Uttar Pradesh | A hawan performed for the recovery of singer Lata Mangeshkar in Ayodhya

    "We have performed a 'mahamrityunjay jaap' for the better health of singer Lata Mangeshkar. I would request PM Modi to meet her," said Jagadguru Paramhans Acharya Maharaj pic.twitter.com/B3og5tCFPY

    — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

લતાજી માટે 'મહામૃત્યુંજય અને સંકટમોચન હનુમાનના મંત્રોના' ઉચ્ચારણ

ભારત રત્ન સુરોની મહારાણી લતા મંગેશકરના ઝડપી સ્વસ્થ થવા માટે અયોધ્યામાં આચાર્ય પીઠ તપસ્વી છાવણી ખાતે 'રાજસૂય મહાયજ્ઞનું' આયોજન કરાયું હતું. આ મહાયજ્ઞ તપસ્વી છાવણી પીઠાધીરેશ્વર જગદગુરુ પરમહંસ આચાર્ય દ્વારા સંપન્ન થયો હતો. લતાજીના સારા સ્વાસ્થ્ય માટે 'મહામૃત્યુંજય અને સંકટમોચન હનુમાનના મંત્રોના' ઉચ્ચારણ સાથે વેદના રિચાઓ સાથે સંતોએ યજ્ઞશાળામાં આહુતિ આપી હતી.

પીએમ મોદીને અપીલ કરશે

જગદગુરુ પરમહંસ આચાર્ય મહારાજે આ દરમિયાન કહ્યું કે, અમે ગાયિકા લતા મંગેશકરના સારા સ્વાસ્થ્ય માટે 'મહામૃત્યુંજય જાપ' કર્યાં છે. આ સાથે તેઓએ એક ઇરછા પ્રગટ કરતા કહ્યું કે, "હું પીએમ મોદીને તેમને મળવા વિનંતી કરીશ.

પરિવાર તરફથી આવ્યું નિવેદન

એક નિવેદન જારી કરતા લતાજીના પરિવારે કહ્યું હતું કે, "લતાજીની તબિયતમાં સુધારો થયો છે, પરંતુ તેઓ હજુ પણ ICUમાં જ છે. ડો.પ્રતીત સમદાનીની ટીમની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી રહી છે. તેમની તબિયત અંગે દરરોજ અપડેટ આપવી શક્ય નથી. આ સંપૂર્ણપણે પરિવારની ગોપનીયતાની બાબત છે. અમે બધાને વિનંતી કરીએ છીએ કે, મામલાની ગંભીરતા સમજવાનો પ્રયાસ કરો અને અફવાઓ ફેલાવવાનું ટાળો તેમજ લતાજીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. અમે તમારા સહકાર માટે આભારી છીએ".

અનુપમ ખેરે કર્યું હતું ટ્વીટ

અનુપમ ખેરે લતા મંગેશકરના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી અને ટ્વિટ કરીને લખ્યું, 'આદરણીય લતા મંગેશકર જી, જલ્દી સ્વસ્થ થાઓ અને તમારા ઘરે પરત જલ્દી ફરો ઉપરાતં, આખો દેશ તમારા સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે.

આ પણ વાંચો:

Bahubali Web Series : બાહુબલી વેબ સિરીઝે દોઢસો કરોડ પાણીમાં વહેતા કર્યાં- જાણો તેનું કારણ

Shilpa Shetty Mantra : શિલ્પા શેટ્ટીએ ફેન્સને ખુશ રહેવા આપ્યો 'શિલ્પા મંત્ર'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.