ETV Bharat / sitara

બૉલીવુડ સ્ટાર્સે 9 વાગ્યે 9 મીનિટ માટે પ્રગટાવ્યો દીવો

author img

By

Published : Apr 6, 2020, 10:24 PM IST

અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, કાર્તિક આર્યન અને તાપ્સી પન્નુ સહિત બૉલીવુડના તમામ સેલેબ્સે રવિવારે રાત્રે 9 વાગ્યે તેમના ઘરની લાઈટો બંધ કરીને મીણબત્તી અથવા દીવો પ્રગટાવ્યો હતો. જેના ફોટોજ અને વીડિયો સ્ટાર્સે સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.

bollywood
bollywood

મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાને રાખી બૉલીવુડના ઘણા સેલેબ્સે તેમના ઘરોની લાઈટો બંધ કરી મીણબત્તીઓ કરી હતી. જેમાં અક્ષય કુમાર, કરણ જોહર, દીપિકા પાદુકોણ, રકુલ પ્રીત, નુશ્રત ભરૂચા અને તાપસી પન્નુ વગેરેનો સમાવેશ થાય છે.

અક્ષય કુમારે ઘરની લાઈટ બંધ કરી દીવો પ્રગટાવ્યો હતો. મીણબત્તીની તસવીર શેર કરતાં તેમણે લખ્યું હતું કે, 'અમે સાથે ઉભા છીએ અને સાથે મળીને આ અંધકારમાંથી બહાર આવીશું. ત્યાં સુધી મજબૂત રહો, સુરક્ષિત રહો. # 9 વાગ્યે 9 મિનિટ.'

દીપિકા પાદુકોણે પણ કોરોના સામે જંગ લડવા માટે રોશની કરી એકતાનો સંદેશ આપ્યો હતો. દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી. જેમાં તે તેની પતિ રણવીર સાથે જોવા મળી હતી.

રણવીર સિંહે પણ આ ફોટો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફોટો શેર કર્યો હતો.

કરણ જોહરે પણ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પુત્ર યશ અને પુત્રી રુહી સાથે દીવો પ્રગટાવતા જોવા મળ્યા હતાં. વીડિયો કેપ્સનમાં લખ્યું હતું કે, 'રોશની રહને દો... યહા લાઈટ હૈ ઔર અંધેરી ગુફાનો અંત.'

તાપસી પન્નુએ પીએમ વડાપ્રધાનની અપીલને સમર્થન આપતાં તેમની બાલ્કની પર દિવો પ્રગટાવી મીણબત્તી રાખી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.