ETV Bharat / international

ઈમરાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ અને સંસદ ભંગ મામલે SCમાં સુનાવણી કરાશે

author img

By

Published : Apr 6, 2022, 12:32 PM IST

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ આજે વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત અને રાષ્ટ્રપતિ દ્વારા સંસદ ભંગ કરવાના મામલે વધુ સુનાવણી (Pakistan Political Crisis ) કરશે. સર્વોચ્ચ અદાલતે થોડા કલાકોમાં જ આ ઘટનાક્રમ અંગે સ્વ-મોટુ સંજ્ઞાન લીધું અને પાંચ જજની બેન્ચે આ મામલાની સુનાવણી (sc hearing on dismissal of no trust vote) શરૂ કરી હતી.

ઈમરાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ અને સંસદ ભંગ મામલે SCમાં સુનાવણી કરાશે
ઈમરાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ અને સંસદ ભંગ મામલે SCમાં સુનાવણી કરાશે

ઈસ્લામાબાદ: સમગ્ર વિશ્વની નજર પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ (Pakistan Political Crisis ) પર છે. આજે બુધવારે સુપ્રીમ કોર્ટ વિપક્ષની અરજી પર વધુ સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો (vote against pm dissolution) હતો. નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સુરીએ રવિવારે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો, કારણ કે તે સરકારને તોડવાના કહેવાતા વિદેશી કાવતરા સાથે જોડાયેલો હતો. થોડીવાર બાદ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ વડાપ્રધાન ખાનની સલાહ પર નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું હતું.

આ પણ વાંચો : પાકિસ્તાનની લોકશાહીમાં જાટ જનરલ વિરુદ્ધ પઠાણ પીએમ

પાંચ જજની બેન્ચ દ્વારા સુનાવણી : સર્વોચ્ચ અદાલતે થોડા કલાકોમાં જ આ ઘટનાક્રમ અંગે સ્વ-મોટુ સંજ્ઞાન લીધું અને પાંચ જજની બેન્ચે આ મામલાની સુનાવણી શરૂ (sc hearing on dismissal of no trust vote) કરી હતી. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલની અધ્યક્ષતામાં બનેલી બેંચમાં જસ્ટિસ ઈજાઝુલ અહેસાન, જસ્ટિસ મોહમ્મદ અલી મઝહર, જસ્ટિસ મુનીબ અખ્તર અને જસ્ટિસ જમાલ ખાન મંડોખાઈલનો સમાવેશ થાય છે. મંગળવારે સુનાવણી દરમિયાન, કોર્ટે સરકારને અવિશ્વાસની દરખાસ્ત પછી નેશનલ એસેમ્બલીની કાર્યવાહીની વિગતો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો : કેરટેકર PMની નિયુક્તિ ન થાય ત્યાં સુધી ઈમરાન ખાન વડાપ્રધાન તરીકે યથાવત્

ડેપ્યુટી સ્પીકર દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ : ચીફ જસ્ટિસ બંદિયાલે કહ્યું કે, કોર્ટ સરકાર અને વિદેશ નીતિના મામલામાં હસ્તક્ષેપ કરતી નથી અને તે માત્ર ડેપ્યુટી સ્પીકર દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ અને ત્યારબાદ નેશનલ એસેમ્બલીને ભંગ કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની બંધારણીયતા શોધવા માંગે છે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે ચીફ જસ્ટિસ બંદિયાલને ટાંકીને કહ્યું હતું કે, “અમારું એકમાત્ર ધ્યાન ઉપરાષ્ટ્રપતિના નિર્ણય પર છે... તે ચોક્કસ મુદ્દા પર નિર્ણય લેવાની અમારી પ્રાથમિકતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.