ETV Bharat / international

વિશ્વ સ્વાસ્થ સંગઠન દ્વારા 'ઓમીક્રોન'નું નામકરણ

author img

By

Published : Nov 28, 2021, 5:24 PM IST

વિશ્વ સ્વાસ્થ સંગઠન દ્વારા 'ઓમીક્રોમ'નું નામકરણ
વિશ્વ સ્વાસ્થ સંગઠન દ્વારા 'ઓમીક્રોમ'નું નામકરણ

કોરોનાના નવા વેરિયન્ટથી ભયનો માહોલ (An atmosphere of fear from the new variant of the Corona) ઓછાવત્તા અંશે છે. ત્યારે આ ઓમીક્રોન વિશે વૈજ્ઞાનિકોનો મંતવ્ય છે કે, કોરોના ટીકાકરણ લગાવેલ લોકોને ચિંતા કરવાની જરૂર નથી. ઉપરાંત કોરોના વેક્સિનેશન એન્ટિબોડીઝ (Corona Vasccination Antibodies) થી બચાવી શકે છે, હજું સુધી તે અસરકારક છે. અને આ ઓમીક્રોમ સામે લડવામાં મદદ કરશે. આ કોરોનાના નવા વેરિયન્ટનું નામકરણ વિશ્વ સ્વાસ્થ સંગઠન (world Health Organisation) દ્વારા 'ઓમીક્રોન' રાખવામાં આવ્યું છે.

  • "છાયા નયા સ્વરૂપ બી 1.1.1.529" ઓમીક્રોમ
  • પ્રોફેસર અન્ડુ પોલાર્ડ મુજબ ઓમીક્રોનના લક્ષણો વિશે ત્રણ સ્પતાહ સુધી અંધારામાં
  • કોરોનાનો નવો સ્વરૂપ એન્ટિબોડીઝથી બચાવામાં સક્ષમ

લંડન: બ્રિટનના ખ્યાતનામ વૈજ્ઞાનિકએ ગઇકાલે શનિવારના રોજ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, કોરોનાના નવા વેરિયન્ટથી(Corona New Varient) લોકોએ ભયભીત થવાની જરૂર નથી. કોરોના ટીકાકરણ હજુ 'ઓમીક્રોન' થી થનાર બીમારીથી લોકોને બચાવવામાં અસરકાકરક છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના નવા વેરિયન્ટને સંભવિત વધુ ચેપી જણાવ્યું છે. આ કોરોનાના નવા વેરિયન્ટનું વિશ્વ સ્વાસ્થ સંગઠન (world Health Organisation) દ્વારા 'ઓમીક્રોન' નામકરણ રખાયું છે.

"છાયુ કોરોનાનું નવું સ્વરૂપ બી 1.1.1.529" ઓમીક્રોન

બ્રિટેન સરકારના ત્તત્કાલીન સ્વાસ્થ સલાહકાર વૈજ્ઞાનિક સમૂહના એક માઇક્રોબાયોલોજિસ્ટ પ્રોફેસર 'કેલમ સેમ્પલે' તેના નિવેદનમાં કહ્યું હતું કે, દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યું અને વશ્વિવભરમાં હેડલાઇન બનાવનાર "છાયા નયા સ્વરૂપ બી 1.1.1.529" (ઓમીક્રોન) કોઇ મોટી આપતી નથી. તરતજ તેણે બીબીસીને જણાવ્યું કે, આ વેરિયન્ટથી કોઇ પણ પ્રકારની મુશકેલીઓ નથી, તેમ છતાં મારા કેટલાક સહયોગીઓ દ્વારા ઓમીક્રોમને ખતરનાક જણાવાયું હતું. તે અંગે મારો મંતવ્ય છે કે આ પરિસ્થિતિને અતિશયોકિત કરવામાં આવી રહી છે.

જાણો ઓમીક્રોનના લક્ષણો વિશે

સેમ્પલના કહેવા પ્રમાણે કોરોના ટીકાકરણથી મળતી સુરક્ષા હજુ પણ ગંભીર બીમારીથી આપણી રક્ષા કરવામાં સક્ષમ છે. તમને શર્દી, ઉધરસ તાવ, જેવી સામાન્ય બીમારીઓ થઇ શકે છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહી પડે. તે સાથે કોરોના વેકિસનેશનના લીધે આ બીમારીમાં મૃત્યુની સંભાવના ધટી જાય છે. બ્રિટેને કોરોનાના નવા સ્વરૂપના ચાલતા આફ્રીકન દેશો, દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના, સહિત ઝિમબાબ્વે અને નામીબીયાએ તેની યાત્રાને પ્રતિબંધ સુચિમાં પોતાનું નામ સામેલ કરી દીધું છે.કારણ કે સ્વાસ્થ અધિકારીઓએ કહ્યું છે કે, તે સૌથી મહત્વપૂર્ણ વાયરસ વિશે તપાસ કરી રહ્યાં છે, જે વધુ ચેપી અને રસી પ્રતિરોધક હોવાની સંભાવના છે. આ વિશે દક્ષિણ આફ્રિકાએ બુધવારે વિશ્વ સ્વાસ્થ સંગઠન (world Health Organisation) ને જાણ કરી હતી. આ સાથે બોત્સ્વાના, બેલ્જિયમ, હોંગકોંગ અને ઈઝરાયેલમાં પણ તેની ઓળખ થઈ છે. દુનીયાભરના દેશોએ વર્તમાનમાં 'ઓમીક્રોન'ના ફેલાવાને રોકવા માટે આફ્રિકા દેશો પર મુસાફરી કરવા માટે પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Gujarat corona update: કોરોનાના નવા વેરિયન્ટના ખોફ વચ્ચે જાણો આજે રાજ્યમાં કેટલા કેસ નોંધાયા

સેમ્પલના પ્રમાણે COVID-19 બીજી નવી લહેરનો ઉદભવ જરૂર થશે

સેમ્પલે જણાવ્યું હતું કે, આ સ્વરૂપને યુકેમાં આવતા અટકાવવું શકય નથી, પરંતુ હજુ પણ તેના આગમનમાં સમય છે. આ દરમિયાન ટીકા નિષ્ણાંતનુ માનવું છે કે નવુ સ્વરૂપ બ્રિટનમાં COVID-19 મહમારીની કોઇ તો બીજી નવી લહેરનો ઉદભવ જરૂર થશે. ઓક્સફોર્ડ વેક્સિન ગ્રૂપના 'પ્રોફેસર અન્ડુ પોલાર્ડ'(Oxford Vaccinaion Group Of Professor Andu Polard)નું નિવેદન છે કે એ કહેવું, ઉતાવળ હશે કે કોરોનાનુ નવું સ્વરૂપ ટીકા લગાવેલ લોકોને આનાથી બચાવશે. આના લક્ષણ એવા પ્રકારના છે જે, ત્રણ અઠવાડિયા સુધી તેનો ખ્યાલ નથી આવતો.

આ પણ વાંચો: Corona Omicron Variant : કોરોનાના નવા વેરિઅન્ટને કારણે વિશ્વભરમાં હાહાકાર, પ્રતિબંધો લગાવવાનું શરૂ

ઓમીક્રોન સામે લડવામાં સક્ષમ COVID-19 વેક્સિનેશન

ટીકાકરણ પર સરકારના સૌથી વરિષ્ઠ સલાહકાર 'સર જોન બેલે માહિતી આપતા કહે છે કે જેમણે ટીકાકરણ કરાવી લીધું છે, તેમના પર 'ઓમીક્રોન' ની અસર માત્ર શરદી, ઉધરસ જેવી સામાન્ય રૂપે થશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના મેડિસિન વિભાગના 'પ્રોફેસર સર જ્હોને' જણાવ્યું હતું કે, કોરોનાનો નવો સ્વરૂપ ભલે લોકોને એન્ટિબોડીઝથી બચાવી શકે છે, પરંતુ આના ટી-સેલ્સ અને રોગપ્રતિકારક તંત્રના અન્ય ભાગોથી બચવાની શકયતા ઓછી છે જે વિશાળ પ્રમાણમાં સુરક્ષા કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.