ETV Bharat / entertainment

રાજુ શ્રીવાસ્તવને શ્રધ્ધાંજલિ આપવા કપિલ શર્માએ કર્યો ખાસ એપિશોડ

author img

By

Published : Oct 4, 2022, 4:20 PM IST

કપિલ શર્માએ દિવંગત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપવા માટે કોમેડી જગતના તમામ કોમેડિયનને પોતાના શોમાં (Kapil Sharma Show Comedians) બોલાવ્યા છે. રાજુ શ્રીવાસ્તવ 42 દિવસ સુધી ICUમાં વેન્ટિલેટર પર રહ્યા અને પછી 22 સપ્ટેમ્બરે તેમણે દુનિયાને અલવિદા (Raju Srivastava tribute) કહ્યું હતું.

Etv Bharatરાજુ શ્રીવાસ્તવને શ્રધ્ધાંજલિ આપવા કપિલ શર્માએ કર્યો ખાસ એપિશોડ
Etv Bharatરાજુ શ્રીવાસ્તવને શ્રધ્ધાંજલિ આપવા કપિલ શર્માએ કર્યો ખાસ એપિશોડ

હૈદરાબાદઃ પ્રખ્યાત દિવંગત કોમેડિયન રાજુ શ્રીવાસ્ત ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ આજે પણ કોમેડી કરતી વખતે તેમનો હસતો ચહેરો નજરમાંથી નથી જતો. ગજોધર ભૈયાના નામથી દર્શકોના દિલમાં વસી ગયેલા રાજુ શ્રીવાસ્તવ માટે કોમેડી કિંગ કપિલ શર્માએ તેમના શોમાં (Kapil Sharma Show Comedians) તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક ખાસ એપિસોડ તૈયાર કર્યો છે. આ એપિસોડમાં કોમેડીના દિગ્ગજ રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ (Raju Srivastava tribute) આપવા સાથે, તેમની ક્લાસિક કલ્ટ કોમેડીથી ચાહકોને હસાવશે.

ધ કપિલ શર્મા શોઃ વાસ્તવમાં કપિલ શર્માએ આગામી સપ્તાહના એપિસોડની એક ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં કોમેડીના મોટા માસ્ટર્સ જોવા મળી રહ્યા છે. કપિલના શોમાં કોમેડી કરનારા કલાકારો પણ તેમની તોફાન ઉગ્રતાથી કરતા જોવા મળે છે.

શું લખ્યું કપિલે: કપિલ શર્માએ એપિસોડની એક ઝલક શેર કરી અને કેપ્શનમાં લખ્યું, આ અઠવાડિયે અમારા પ્રિય રાજુ શ્રીવાસ્તવ ભાઈને શ્રદ્ધાંજલિ. વીડિયોમાં કપિલ કહેતો જોવા મળી રહ્યો છે કે, જ્યારે રાજુભાઈનું નામ આવે છે, ત્યારે તેમના ચહેરા પર સ્મિત આવી જાય છે અને આજે અમે તેમને હસીને શ્રદ્ધાંજલિ આપીશું.

ખોટ વર્તાશે: 10 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્ત જીમમાં ટ્રેડમિલ પર દોડતી વખતે અચાનક પડી ગયો હતો. તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્ત 42 દિવસ સુધી ICUમાં વેન્ટિલેટર પર રહ્યા અને પછી 22 સપ્ટેમ્બરે તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું.

ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોક: રાજુના નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. આ સાથે જ કોમેડી જગતના તમામ હાસ્ય કલાકારો તેમના નિધનને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. જો કે, તેમના પરિવાર અને ચાહકોને ખાતરી હતી કે, રાજુ જલ્દી સ્વસ્થ થઈ જશે અને ફરી એકવાર તેમની કોમેડીથી તેમના ચાહકોને હસાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.