ETV Bharat / city

Poetry On PM Modi In Hindi : " 21 વી સદી કે કર્મયોગી " કાવ્યસંગ્રહમાં પીએમ મોદી માટેની કઇ અનુભૂતિ છલકે છે?

author img

By

Published : Jun 27, 2022, 8:36 PM IST

Updated : Jun 28, 2022, 9:54 AM IST

કવિતાના રસાયણના મર્મજ્ઞ કવિયત્રી સાહિત્યસર્જક નલિનીબહેન પુરોહિતે (Poetry collection by Doctor Nalini Purohit) વિજ્ઞાનના અધ્યાપનની સાથે સાહિત્યમાં ઊંડું ખેડાણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત હિન્દી કવિતા સંગ્રહ "21મી સદી કે કર્મયોગી" (Poetry On PM Modi In Hindi ) ઉપરાંત તેમના અન્ય કાવ્ય સંગ્રહો પણ પ્રકાશિત થયા છે.

Poetry On PM Modi In Hindi : " 21 વી સદી કે કર્મયોગી " કાવ્યસંગ્રહમાં પીએમ મોદી માટેની કઇ અનુભૂતિ છલકે છે?
Poetry On PM Modi In Hindi : " 21 વી સદી કે કર્મયોગી " કાવ્યસંગ્રહમાં પીએમ મોદી માટેની કઇ અનુભૂતિ છલકે છે?

વડોદરા - વડોદરા શહેરના વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપિકા ડો. નલિની પુરોહિતે (Poetry collection by Doctor Nalini Purohit)તેમના ઉમદા ,યશસ્વી અને ઉચ્ચતમ જીવનને શબ્દોમાં વણી લઈને કરેલા કવિતા કર્મને ધ્યાનમાં લેવા જેવું છે. કવિતાના રસાયણના મર્મજ્ઞ કવિયત્રી સાહિત્યસર્જક નલિનીબહેને વિજ્ઞાનના વિષયમાં અધ્યાપન કાર્યની સાથે સાહિત્ય અને કવિતામાં ઊંડું ખેડાણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત કવિતા સંગ્રહ "21મી સદી કે કર્મયોગી" (Poetry On PM Modi In Hindi ) ઉપરાંત તેમના અન્ય કાવ્ય સંગ્રહો પણ પ્રકાશિત થયા છે.

નલિનીબહેનને તક મળે તો વડાપ્રધાનને આ પુસ્તક રૂબરૂ આપવાની અદમ્ય ઈચ્છા છે

આ પણ વાંચોઃ World Poetry Day 2022 : કવિતાને કલા સ્વરૂપ તરીકે પ્રોત્સાહન આપતો દિવસ એટલે 'વિશ્વ કવિતા દિવસ'

કાવ્ય સંગ્રહોમાં શું છે - કર્મયોગી પર કવિતા કર્મ (Poetry collection by Doctor Nalini Purohit)અંગે તેઓ ખૂબ સૂચક શબ્દોમાં જણાવે છે કે સ્વામી વિવેકાનંદજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષને આપને સદેહે જોયા નથી. તેમ છતાં તેઓ આપણા પથદર્શક છે. ત્યારે સદનસીબે નરેન્દ્રભાઇ મોદીને આપણે સાથે જોઇ અને અનુભવી રહ્યા છે. એ સંજોગોમાં એમનું ઉદાત્ત જીવન સૌ માટે અખંડ અને પ્રેરણાનો સ્ત્રોત છે. આ અનુભૂતિને જ મે કાવ્યમાં કંડારી છે તેની સાથે તેમણે આ હિન્દી કાવ્ય સંપૂટકમાં (Poetry On PM Modi In Hindi )ગુજરાતી ઓજસ્વી ભૂમિ માટેના ગૌરવને અને નરેન્દ્રભાઈ જેવા જન્મદાત્રી માતા હીરાબા પ્રત્યેના અહોભાવને (21 Vi Sadi k Karmayogi Poetry collection) પણ કાવ્યમાં વણી લીધી છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી કવિતા વાંચી, "યહી સમય હૈ સહી સમય હૈ..."

વડાપ્રધાનને કે માતા હીરાબાને કાવ્યસંગ્રહ અર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી - એટલું જ નહીં ડો. નલિની પુરોહિતને હીરાબાને મળીને આ કાવ્યસંગ્રહ (Poetry On PM Modi In Hindi )હાથોહાથ ભેટ આપવાની અને તક મળે તો વડાપ્રધાનને આ પુસ્તક રૂબરૂ આપવાની તેમની અદમ્ય ઈચ્છા (21 Vi Sadi k Karmayogi Poetry collection) છે. તેમને ગુર્જર ધારાની અસ્મિતા અને સાંસ્કૃતિક વિવિધતાનું પણ તેમાં કાવ્ય નિરૂપણ કર્યું છે. જો કે વડાપ્રધાને તેમના વિમોચન પ્રસંગે પત્ર શુભેચ્છા (PM Modi letter) પાઠવી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે કવિતા સંવાદનું સશક્ત (Poetry collection by Doctor Nalini Purohit)માધ્યમ છે. મેં પણ ઘણીવાર મારા વિચારો અને સંવેદનાઓને કવિતામાં ઉતારી છે અને તેની ઊર્જાનો અનુભવ કર્યો છે.

કવિતામાં ઊંડું ખેડાણ - ડો. નલિની પુરોહિતે વિજ્ઞાનના વિષયમાં અધ્યાપન કાર્યની સાથે સાહિત્ય અને કવિતામાં (Poetry collection by Doctor Nalini Purohit)ઊંડું ખેડાણ કર્યું છે. પીએમ મોદીના જીવન પર આધારિત કવિતાસંગ્રહ 21વી સદી કે કર્મયોગી ઉપરાંત તેમના અન્ય કાવ્ય સંગ્રહો પણ પ્રકાશિત થયા છે. હિન્દીમાં નરેન્દ્રભાઈના જીવન અને કર્મનું નિરૂપણ કરતા 119 કાવ્યોની (21 Vi Sadi k Karmayogi Poetry collection) કોઈ સર્જકે રચના કરી હોય તેવો આ પ્રથમ પ્રસંગ હશે. નલિનીબેને ક્યાંક અર્જુન રૂપે ક્યાક ઉત્તમ પથદર્શક રૂપે તેમનું શબ્દ ચિત્ર (Poetry On PM Modi In Hindi )રજૂ કર્યું છે. સહજ રીતે લખાયેલ આ કાવ્યગ્રંથ છે. અન્ય પણ 15 જેટલી બુકો ગુજરાતી ,હિન્દી ,અંગ્રેજી ભાષામાં લખી છે. તેમના દ્વારા સરલ રામાયણ પુસ્તકની પણ (MSU University Professor Doctor Nalini Purohit) રચના કરવામાં આવી છે.

Last Updated :Jun 28, 2022, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.