ETV Bharat / city

હરિહરાનંદજી ગુમ થવાનો મામલો : વડોદરાની આ જગ્યાએ ચાલતાં જતાં જોવા મળ્યાં જૂનાગઢ ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદજી

author img

By

Published : May 3, 2022, 9:43 PM IST

ભારતીબાપુના ઉત્તરાધિકારી હોવા છતાં તેમના સામે થઇ રહેલી કાદવઉછાળ પ્રવૃત્તિના (Bhartibapu Ashram Vivad) કારણે હરિહરાનંદબાપુ (Hariharanandji Missing Case)નારાજ થઇ ક્યાંક ચાલી ગયાં છે. આ મામલે વડોદરામાંથી તેમનો એક વાયરલ વિડીયો (CCTV Footage Of Missing Hariharanandji) સામે આવ્યો છે.

હરિહરાનંદજી ગુમ થવાનો મામલો :  વડોદરાની આ જગ્યાએ ચાલતાં જતાં જોવા મળ્યાં જૂનાગઢ ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદજી
હરિહરાનંદજી ગુમ થવાનો મામલો : વડોદરાની આ જગ્યાએ ચાલતાં જતાં જોવા મળ્યાં જૂનાગઢ ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદજી

વડોદરા- નર્મદા જિલ્લાના ગુરૂડેશ્વર તાલુકામાં આવેલા ગોરા ગામ પાસે નર્મદા નદીના કિનારે સંત મહામંડલેશ્વર 1008 ભારતી બાપુનો આશ્રમ આવેલો છે. આશ્રમના હરિહરાનંદ સ્વામી (Hariharanandji Missing Case)અચાનક ગાયબ થતાં ભક્તોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તો બીજી તરફ મહામંડલેશ્વર મહંત હરિહરાનંદ ભારતીજી 30 તારીખે રાત્રે 9 વાગ્યે કપુરાઇ ચોકડી પાસે આવેલી ક્રિષ્ણા હોટેલના સીસીટીવી કેમેરામાં ચાલતા જતા(CCTV Footage Of Missing Hariharanandji) કેદ થયાનું સામે આવ્યું છે. હાલ આ મામલે પોલીસે તપાસ તેજ કરી દીધી છે.

હરિહરાનંદ સ્વામી ક્રિષ્ના હોટલની સામેના રસ્તા પર ચાલતા પસાર થઇ રહ્યા છે

આ પણ વાંચોઃ Bharti Ashram Controversy: હરિહરાનંદ ભારતી બાપુ ગુમ થતાં સરખેજ આશ્રમ પર કરાયા ગંભીર આક્ષેપો

ગુમ થયા પૂર્વે હરિહરાનંદ સ્વામીએ લખેલી અંતિમ ચિઠ્ઠી અને વિડીઓ તેજ ગતિએ વાયરલ થયો - સંત મહામંડલેશ્વર ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ તેમની ગાદી સંભાળનારા હરિહરાનંદ સ્વામી (Hariharanandji Missing Case)બે દિવસથી સંપર્કવિહોણા થયા છે. વડોદરા પોલીસે શરુ કરેલી તપાસમાં બાપુ ગુમ થતાં પહેલાં વડોદરાની કપુરાઇ ચોકડી પાસે આવેલી ક્રિષ્ના હોટલ પાસેથી ચાલતા પસાર થઇ રહ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. પોલીસે મેળવેલા સીસીટીવી ફૂટેજમાં (CCTV Footage Of Missing Hariharanandji)જોવા મળી રહ્યું છે કે હરિહરાનંદ સ્વામી ક્રિષ્ના હોટલની સામેના રસ્તા પર ચાલતા પસાર થઇ રહ્યા છે.

પોલીસે શરુ કરી શોધખોળ -વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને વાડી પોલીસ સહિત પોલીસની વિવિધ ટીમો બાપુની( Vadodara Police Search For Hariharanandji) શોધખોળ કરી રહી છે. ભારતી બાપુના દેહાંત બાદ આશ્રમની સંપત્તિને લઇને થતા વિવાદના (Bhartibapu Ashram Vivad) કારણે તેઓ વ્યથિત હતાં. આ જ કારણસર તેઓ કશેક (Hariharanandji Missing Case)જતા રહ્યા હોવાની વાત સામે આવી છે. આ વાત તેમણે એક ચિઠ્ઠી અને વિડીયો દ્વારા જણાવી છે. હરિહરાનંદ સ્વામીનો આ વિડીયો (CCTV Footage Of Missing Hariharanandji)તેમજ ચિઠ્ઠી અત્યારે ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.

આ પણ વાંચોઃ ભારતીય આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ મહારાજ થયા ગુમ, જાણો શું છે સમગ્ર ઘટના

સામાવાળા દબાણ આપી કીચડ ઉછાળે છે આથી આશ્રમ છોડું છું - ભારતી બાપુના જૂનાગઢ, સરખેજ સહિત અનેક આશ્રમોની (Bhartibapu Ashram Vivad) કરોડોની જમીનો અને સંપત્તિ પણ છે. થોડા સમય પહેલાં ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના આશ્રમો અને સંપત્તિનો વિવાદ થયો હતો. તેમના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદ સ્વામીજીને (Hariharanandji Missing Case) જાહેર કરવામાં આવ્યા અને તેમના નામે વિલ કરાયા હોવાની વાત હતી. પરંતુ ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ બોગસ વિલ થયું હોવાનો કેટલાક લોકોએ આક્ષેપ કર્યો હતો. જે બાબતે હરિહરાનંદજી ચિંતિત હતાં અને તેઓ સતત દુઃખી રહેતાં હતા. યેનકેન પ્રકારે કેટલાક લોકો તેમના પર કીચડ ઉછાડતા તેઓ ખૂબ દુઃખી થયા હોવાનું ભક્તોએ જણાવ્યું હતું. આ વિવાદથી કંટાળીને સ્વામી હરિહરાનંદે કહ્યું હું બધું છોડીને નીકળી જાવ છું એમ કહી નીકળી ગયા હતાં.

પોલીસ ફરિયાદ નોંધાઇ - સોમવારે ત્રીજો દિવસ થયો છતાં તેમની કોઈ ભાળ મળી નથી. કેટલાક ભક્તો તેમની શોધખોળ કરી રહ્યા છે. જોકે આ બાબતે કેટલાક અનુયાયીઓએ વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશને (Vadodara Police Search For Hariharanandji) ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ગુમ થયેલા હરિહરાનંદજીની (Hariharanandji Missing Case) શોધખોળ શરૂ કરી છે. હાલ તો હરિહરાનંદજીના ગુમ થતાં તેમનાં કોઈ સગડ નહીં મળતાં ભક્તો ભારે ચિંતિત બન્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.