ETV Bharat / city

સુરતના આ આઠ પોલીસ મથકમાં અશાંત ધારો લાગુ છે, શું છે નિયમ જાણો...

author img

By

Published : Jul 28, 2021, 11:52 AM IST

Updated : Jul 28, 2021, 12:31 PM IST

સુરત
સુરત

સુરત શહેરના આઠ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાના મુદ્દે સરકારે મોટી જાહેરાત બહાર પાડી છે. શહેરના અઠવા, સલાબતપુરા, ચોક બઝાર, મહીધરપુરા, સૈયદપુરા લાલગેટ, લિંબાયત તથા રાંદેર વિસ્તારને ફરી અશાંત ધારા હેઠળ આવરી લેવાયા છે. આ તમામ વિસ્તારોમાં અશાંતધારાની પ્રવર્તમાન મુદત વધુ પાંચ વર્ષ લંબાવવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ધાક ધમકીથી મિલકત પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે.

  • આઠ પોલીસ મથકમાં અશાંત ધારો લાગુ કરવાના મુદ્દે સરકારે મોટી જાહેરાત
  • રાજ્ય સરકારે અશાંત ધારાની મુદતમાં પાંચ વર્ષનો વધારો કર્યો
  • અસામાજિક તત્વો દ્વારા ધાક ધમકીથી મિલકત પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે

સુરત: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નાગરિકોને શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડવાના ઉદ્દેશથી સુરત મહાનગરના આઠ પોલીસ મથક હેઠળ વિવિધ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય અગાઉ કરેલો છે અને અશાંત ધારાની મુદતમાં પાંચ વર્ષનો વધારો કર્યો છે. ધારાસભ્યો અને મહાનગરના સંબંધિત વિસ્તાર વિવિધ સંસ્થાઓ સામાજિક આગેવાનોએ કરેલી રજૂઆત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અશાંતધારાનો હાલ પ્રવર્તમાન અવધી તારીખ 30 અને 31 જુલાઈએ પૂર્ણ થાય છે. જેને વધુ પાંચ વર્ષ લંબાવવાની સૂચના આપી છે.

મિલકતના વેચાણ કરતા અગાઉ કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે

સુરત શહેરના આઠ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાના મુદ્દે સરકારે મોટી જાહેરાત બહાર પાડી છે. શહેરના અઠવા, સલાબતપુરા, ચોક બઝાર, મહીધરપુરા, સૈયદપુરા લાલગેટ, લિંબાયત તથા રાંદેર વિસ્તારને ફરી અશાંત ધારા હેઠળ આવરી લેવાયા છે. આ તમામ વિસ્તારોમાં અશાંતધારાની પ્રવર્તમાન મુદત વધુ પાંચ વર્ષ લંબાવવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ધાક ધમકીથી મિલકત પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે. આવા તત્વોથી પીડિત નાગરિકોને સુખ-શાંતિ અને સલામતીનો અહેસાસ થશે એટલું જ નહીં આ વિસ્તારોમાં મિલકતના વેચાણ કરતા અગાઉ કાયદાની જોગવાઈઓ અનુસાર કલેકટરની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.

મુસ્લિમ કોમના લોકોએ મિલકત ખરીદી પોતાનું પ્રભુત્વ વધાર્યું છે

વર્ષ 2017માં સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પોતાના અનેક વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરવાની માંગ કલેકટર કચેરી ખાતે કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાંદેર વિસ્તારમાં આઠ જેટલા ધર્મસ્થાનો છે અનેક સોસાયટીઓમાં મુસ્લિમ કોમના લોકોએ મિલકત ખરીદી પોતાનું પ્રભુત્વ વધાર્યું છે. જેના કારણે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ શકે છે. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે અને ભાઈચારાની ભાવના વધુ બળવત્તર બને તે માટે અશાંત ધારો લાગુ કરવામાં આવે.

100 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતી સોસાયટી થઈ

વર્ષ 2019માં લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલે જિલ્લા કલેકટર કચેરીમાં મુદ્દો ઉઠાવ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે, તેમના મત વિસ્તારમાં મુસ્લિમો પોતાનું પ્રભુત્વ વધારવા માટે મોટાપાયે મકાનોની ખરીદી કરી રહ્યા છે અને તેના કારણે હિંદુઓ પર ખતરો છે. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, ઓમ નગરમાં 100 ટકા હિન્દુઓ રહેતા હતા પણ હવે સોસાયટીનું નામ જ ઓમ નગર છે. પણ ત્યાં એક પણ હિન્દુ રહેતો નથી. તે સમયે સંગીતા પાટીલે સાથે જણાવ્યું હતું કે, માત્ર ઓમ નગર જ નહીં, પરંતુ પ્રતાપનગર ગોવિંદા નગર ભાવના પાર્ક બુદ્ધ નગર મારુતિ નગર છત્રપતિ શિવાજી નગર સોસાયટીમાં બહુમતી હિન્દુઓની હતી પણ ત્યાં તે સમયે એક પણ હિન્દુ રહેતો નથી આ તમામ સોસાયટીઓ 100 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતી સોસાયટી થઈ ગઈ છે.

આ પણ વાંચો: સુરત શહેરના 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અમલી અશાંત ધારાની મુદ્દત 5 વર્ષ લંબાઈ

હાલમાં જ ધારાસભ્યો દ્વારા રજૂઆત કરાઈ હતી

આઠ દિવસ પહેલા જ રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સુરતની મુલાકાતે હતા ત્યારે સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ બેઠક દરમિયાન પ્રિય પ્રધાનને રજૂઆત કરી હતી કે, સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં અશાંતધારો લંબાવવામાં આવે. આ વિસ્તારમાં સાંધાનું ચુસ્તપણે પાલન થવું જોઈએ આ વિસ્તારમાં અશાંતધારો વધુ પાંચ વર્ષ સુધી રહેવો જોઈએ એટલું જ નહીં તે વખતે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કેન્દ્રીય પ્રધાને રજૂઆત કરી હતી કે અશાંતધારા ના કાયદામાં કલમ સાતમાં જોગવાઈ છે કે IPCની કલમ 3 હેઠળ કાયદેસરની કાર્યવાહી સખત પણે કરવામાં આવે.

આ પણ વાંચો: ધારાસભ્ય સંગીતા પાટીલે CMને લિંબાયતમાં અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરી

રંદેરની 386 અને લીંબાયતની 63 મિલકત શામેલ

સુરત પશ્ચિમના રાંદેર અને લિંબાયત વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા પ્રિય વિભાગે 14 માર્ચમાં 2020 માર્ચ છે નિર્ણય લીધો હતો. સુરત પશ્ચિમના રાંદેર વિસ્તારમાં આવતી 386 સોસાયટી, સ્કૂલો એપાર્ટમેન્ટ,ફળિયા,માર્કેટ અને કંપની ની ઓફિસ સહિત તમામ મિલકતો અશાંત ધારા હેઠળ છે. જયારે લિંબાયત વિસ્તારની 63 સોસાયટીઓમાં કે જેમાં ચાર માર્કેટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એપાર્ટમેન્ટ અને ટાઉનશીપ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેના કારણે હવે લિંબાયત અને રાંદેરમાં જો બે પક્ષો અને મિલકત સંબંધી સોદો કરવો હશે તો હવે તેઓ અરસપરસ પાવર વેચાણ કરાર બનાવીને નોટરી કરશે તો તે માન્ય રહેશે નહીં તેમને ફરજિયાત કલેક્ટર અને પોલીસની NOC લેવી પડશે અને કરાર સબ-રજીસ્ટ્રાર સમક્ષ નોંધણી કરવી પડશે ત્યારે જ તે માન્ય ગણાશે.

આ પણ વાંચો: વડોદરા: બાપોદ, વારસીયા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનના અશાંત ધારા વિસ્તારોમાં વધારો, હરણી વિસ્તારમાં ધારો અમલી: પ્રદીપસિંહ જાડેજા

શું છે કાયદો?

ગોધરાકાંડ સમયે થયેલા કોમી હુલ્લડ બાદ અશાંતધારા અમલમાં મુકાઇ હતી અશાંત ધારા હેઠળ આવનાર વિસ્તારની કોઈપણ પ્રકારની મિલકત ભાડે અથવા તો ખરીદવા માટે કલેકટરની મંજૂરી લેવી પડે છે. જે વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરવામાં આવે ત્યાં ની મિલકત વેચાણ પર નિયંત્રણ આવી જાય છે આ કાયદો જ્યાં બે કોમ વચ્ચે તણાવ સર્જાતાં હોય અને મિલકત ખરીદી વેચાણ ને લઇ કોમ નું વર્ચસ્વ વધવા લાગે ત્યારે આ ધારો લાગુ કરવામાં આવતો હોય છે .જિલ્લા કલેક્ટરની મંજૂરી વિના અને કોઈ વ્યક્તિના નામે આ મિલકત ટ્રાન્સફર થઇ શકતી નથી એટલું જ નહીં કોઈ વ્યક્તિ મંજૂરી વિના દસ્તાવેજ ટ્રાન્સફર કરવામાં આવે તો સબ રજિસ્ટ્રાર કચેરીમાં એ દસ્તાવેજની નોંધણી થઇ શકતી પણ નથી.

Last Updated :Jul 28, 2021, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.