રફ ડાયમંડની ઓનલાઈન ખરીદી પર લગાવાતા 2 ટકા ટેક્સને રદ કરવા સુરતના ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત

author img

By

Published : Jul 30, 2021, 4:41 PM IST

રફ ડાયમંડની ઓનલાઈન ખરીદી પર લગાવાતા 2 ટકા ટેક્સને રદ કરવા સુરતના ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત
રફ ડાયમંડની ઓનલાઈન ખરીદી પર લગાવાતા 2 ટકા ટેક્સને રદ કરવા સુરતના ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત ()

સુરત ડાયમંડ સિટી (Diamond City) તરીકે પ્રખ્યાત છે. ત્યારે સરકાર દ્વારા રફ ડાયમંડ (Rough Diamond)ના ઓનલાઈન ખરીદીમાં (Online Purchasing) 2 ટકા ઈક્વલાઈઝેશન લેવી લેવામાં આવી રહી છે. આ અંગે સુરતના સુરતના ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા (Union Minister Mansukh Mandaiya) સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ ચેમ્બરે ઈક્વલાઈઝેશન લેવી કાઢી નાખવા પણ કેન્દ્રિય પ્રધાનને રજૂઆત કરી હતી.

  • ભારત સરકાર રફ ડાયમંડના (Rough Diamond) ઓનલાઈન ખરીદી (Online Purchasing) પર 2 ટકા ઈક્વલાઈઝેશન લેવી લે છે
  • હિરા ઉદ્યોગ (Diamond Industry) પર લાગુ થતી 2 ટકા લેવીના કારણે ખાણમાંથી કાચો હિરો મેળવવામાં પડી રહી છે તકલીફ
  • સુરતના ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of Commerce)ના અગ્રણીઓએ કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા (Union Minister Mansukh Mandaiya) સાથે કરી મુલાકાત
  • કેન્દ્રિય પ્રધાનને 2 ટકા ટેક્સને માફ કરવા અને ઉદ્યોગના હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી

સુરતઃ સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (Surat The Southern Gujarat Chamber of Commerce and Industry)ના પ્રમુખ દિનેશ નાવડિયા, પ્રેસિડન્ટ ઈલેક્ટ આશિષ ગુજરાતી, વાઈસ પ્રેસિડન્ટ ઈલેક્ટ હિમાંશુ બોડાવાલા અને ખજાનચી મનીષ કાપડિયા સહિતના ચેમ્બરના પ્રતિનિધ મંડળે (Delegation of the Chamber) નવી દિલ્હીમાં ભારત સરકારના હેલ્થ એન્ડ વેલ્ફેર તથા કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર્સ વિભાગના કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા (Union Minister Mansukh Mandaiya) સાથે મુલાકાત કરી હતી. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, રફ ડાયમંડના (Rough Diamond) ઓનલાઈન પરચેઝીંગ (Online purchasing)માં ભારત સરકાર દ્વારા 2 ટકા ઈક્વલાઈઝેશન લેવી લેવામાં આવે છે, જેને કાઢી નાખવા માટે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો- Corona Effect : સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક્ઝિબિશનનું આયોજન, બે વર્ષથી આર્ટિસ્ટની પેઇન્ટિંગનું વેચાણ

વિદેશી ઓનલાઈન હિરાની ખરીદી પર 2 ટકા ટેક્સ ભરવો પડે છે

ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of Commerce)ના પ્રમુખ દિનેશ નાવડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, વિદેશથી ઓનલાઈન હિરાની ખરીદી પર 2 ટકા ટેક્સ ભરવો પડે છે, જેને દૂર કરવા માટે કેન્દ્રિય પ્રધાનને રજૂઆત કરવામાં આવી છે. હિરા ઉદ્યોગ પર લાગુ થતી 2 ટકા લેવીના લીધે ખાણમાંથી કાચો હીરા મેળવવામાં તકલીફ પડી રહી છે. હિરાની કિંમત વધતાં ઉદ્યોગને આર્થિક રીતે પણ અસર થાય છે. આથી ઉદ્યોગના હિતમાં સકારાત્મક નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો- સુરત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજીંગ કમિટીની ચૂંટણીમાં પરિવર્તન પેનલના આઠેય ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ

વેપારીઓને હિરાની ખરીદી પર બે ટકા આર્થિક બોજો પડી રહ્યો છે

ભારત સરકારના કાયદા અનુસાર, વિદેશથી કોઈપણ ચીજવસ્તુની ઓનલાઈન ખરીદી પર વધારાના 2 ટકા ટેક્સ ભરવાનો રહે છે. આ કાયદો હિરા ઉદ્યોગને પણ લાગુ પડે છે. આથી સ્થાનિક હીરાના ઉદ્યોગકારો અને વેપારીઓને હીરાની ખરીદી પર બે ટકા આર્થિક બોજો પડી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.