ETV Bharat / city

Power Cut Problem in Surat : ઉદ્યોગો એક દિવસ બંધ રાખવા સરક્યૂલર, બીજીતરફ પ્રધાન કંઇક જૂદું કહે છે

author img

By

Published : Apr 1, 2022, 2:35 PM IST

Power Cut Problem in Surat : ઉદ્યોગો એક દિવસ બંધ રાખવા સરક્યૂલર, બીજીતરફ પ્રધાન કંઇક જૂદું કહે છે
Power Cut Problem in Surat : ઉદ્યોગો એક દિવસ બંધ રાખવા સરક્યૂલર, બીજીતરફ પ્રધાન કંઇક જૂદું કહે છે

ખેડૂતોને વીજળીની સમસ્યાની બૂમરાણ હજુ તો ચાલુ છે ત્યાં સુરતમાંથી ઉદ્યોગકારોની પણ બૂમ (Power Cut Problem in Surat )પડી રહી છે. એક દિવસ ફરજિયાત એકમો બંધ રાખવાના સરક્યૂલરને (DGVCL Circular) લઇને મોટો વાંધો ઉઠાવાયો છે.તો કૃષિ રાજ્યપ્રધાનની વીજળી મુદ્દે બેઠકમાં કંઇ જૂદું જણાવાયું હતું. જૂઓ અહેવાલ.

સુરત : ખેડૂતોને આઠની જગ્યાએ છ કલાક વીજળી આપવામાં આવી રહી હતી. હવે ડીજીવીસીએલ દ્વારા ઉદ્યોગોને પણ એક દિવસ બંધ રાખવા સરક્યૂલર (DGVCL Circular)જાહેર કરવામાં આવ્યા છે. વીજળીની સમસ્યા (Power Cut Problem in Surat ) વચ્ચે રાજ્યના કૃષિપ્રધાન મુકેશ પટેલ (Agriculture Minister Mukesh Patel Statement )જણાવી રહ્યાં છે કે વીજળીની કોઈ સમસ્યા નથી. મેન્ટેનન્સના કારણે થોડા દિવસ પહેલા આ સમસ્યા સર્જાઇ હતી.

કૃષિ રાજ્યપ્રધાન મુકેશ પટેલે વીજ સમસ્યાને લઇ અધિકારીઓ સાથે ચર્ચા હાથ ધરી

ઉદ્યોગો બંધ રાખવા સર્ક્યૂલર- ઊનાળાની સિઝન શરૂ થતા આજે વીજળીની સમસ્યા માત્ર ખેડૂતો જ નહીં, ઉદ્યોગકારોને પણ નડી રહી છે. ખેડૂતોને સરકાર દ્વારા આઠ કલાક વીજળી આપવામાં આવતી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી માત્ર છ કલાક વીજળી (Power Cut Problem in Surat )આપવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો (Electricity Supply Shortage for Surat Industries)કરવો પડી રહ્યો છે. હવે ઉદ્યોગકારો પણ વીજળીની સમસ્યાના કારણે એક દિવસ ઉદ્યોગ બંધ કરવા માટે વિવશ થયાં છે. બે દિવસ પહેલા જ તમામ ઉદ્યોગકારોને એક એકમો બંધ રાખવા સરકાર દ્વારા સરક્યૂલર (DGVCL Circular)આપવામાં આવ્યા છે. સરકારની સૂચના બાદ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે કે એક દિવસ બંધના કારણે લાખો રૂપિયાનું નુકસાન ઉદ્યોગોને થશે. તેમ છતાં સરકારના કૃષિપ્રધાન જણાવી રહ્યાં છે કે મેન્ટેનન્સના કારણે આ સમસ્યા ઉદભવી હતી અને હવે વીજળીની સમસ્યા નહિવત્ છે. ત્રણ-ચાર દિવસથી ખેડૂતોને 8 થી 7 કલાક વીજળી પણ મળી રહી છે.

આ પણ વાંચોઃ Electricity Crisis in South Gujarat: દક્ષિણ ગુજરાતમાં ભરઉનાળે 2 કલાકનો વીજળી કાપ, ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

કૃષિપ્રધાને બેઠક પણ કરી - કૃષિ રાજ્યપ્રધાન મુકેશ પટેલે (Agriculture Minister Mukesh Patel Statement )આજે સર્કિટ હાઉસ ખાતે ઊર્જા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.જેમાં સુડા, સુરત મહાનગરપાલિકા, સિંચાઈ, ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ પણ સામેલ હતા. બારડોલી, માંડવી, તરસાડી, કડોદરા નગરપાલિકાના પ્રશ્નો અંગે પણ તેઓએ રિવ્યુ બેઠકમાં સમસ્યા (Power Cut Problem in Surat )જાણી હતી. વીજળીની સમસ્યાને લઈને પણ તેઓએ અધિકારીઓ સાથે ચર્ચા હાથ ધરી હતી. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વીજળી કાપની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

વીજળીને લઈ કોઈ સમસ્યા નથીઃ પ્રધાન -વીજળી કાપની સમસ્યા અંગે કૃષિપ્રધાન મુકેશ પટેલે (Agriculture Minister Mukesh Patel Statement )જણાવ્યું હતું કે, હવે ખેડૂતોને આઠ કલાક પૂરતી વીજળી મળી રહેશે. ગુજરાતમાં હવે ખેડૂતોને વીજળીની સમસ્યા થશે નહીં. છેલ્લા ચાર-પાંચ દિવસથી 8 થી 7 કલાક વીજળી ખેડૂતોને મળી રહી છે. થોડા સમય માટે વીજળીની સમસ્યા સર્જાઈ હતી. પરંતુ વીજળી ક્રાઇસીસ (Power Cut Problem in Surat )જેવી કોઈ સમસ્યા રાજ્યમાં નથી અને થશે પણ નહીં. ઔદ્યોગિક એકમો માટે પણ વીજ સમસ્યા(Electricity Supply Shortage for Surat Industries) નથી. મેન્ટેનન્સની કાર્યવાહી માટે આ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: ઉર્જા પ્રધાન કનું દેસાઈનું નિવેદનમાં AC ઓછું વાપરોની સલાહ, જેથી વીજળીનો બચાવ થાય

આર્થિક નુકસાન થશે- સચીન જીઆઈડીસી - જ્યારે સચીન જીઆઈડીસીના પ્રમુખ મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, અમારે સચીન જીઆઇડીસીની અંદર 2250 એકમો છે. 80 કરોડ રૂપિયાની દર મહિને ડીજીવીસીએલને રિકવરી આપે છે. સચીન જીઆઇડીસીની અંદર એક્સપાંસ ખૂબ જ મોટું છે. ઉદ્યોગપતિએ બેંકના પૈસા પણ ખૂબ જ લીધા છે એના હિસાબે જો એક દિવસની રજા (Power Cut Problem in Surat )પડે તો બેંકના વ્યાજ, વર્કરના ખર્ચ અને પ્રોડકશન કાપથી કરોડો રૂપિયાનું નુકશાન થશે. ખોટ ખૂબ જ મોટી જશે, કારણ કે એક દિવસ બંધ રહેશે તો ઇન્ડસ્ટ્રીને લાખો રૂપિયાનું નુકસાન (Electricity Supply Shortage for Surat Industries)થશે.બે દિવસ પહેલા આજે વીજળી માટે સરક્યૂલર (DGVCL Circular)આવ્યો છે. ઔદ્યોગિક વસાહત છે. ફરજિયાત એક દિવસ બંધ રાખવાના કારણે આર્થિક નુકસાન થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.