ETV Bharat / city

Suicide Case in Surat : સુરતમાં મહિલાએ આત્મહત્યા કરતા બાળકોના માથેથી મમતાની છત્રછાયા ગઈ

author img

By

Published : Apr 5, 2022, 1:35 PM IST

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મહિલાએ કોઈ કારણસર ગળે ફાંસો (Suicide Case in Surat) ખાઈ આત્મહત્યા કરીના સમાચાર સામે આવ્યા છે. આ મામલે પાંડેસરા પોલીસે (Pandesara Police Station) વધુ તપાસ હાથ ધરી છે. આ મહિલાને બે બાળકો છોડી આત્મહત્યા ચકચાર મચી ગઈ છે.

Suicide Case in Surat : સુરતમાં મહિલાએ આત્મહત્યા કરતા બાળકોના માથેથી મમતાની છત્રછાયા ગઈ
Suicide Case in Surat : સુરતમાં મહિલાએ આત્મહત્યા કરતા બાળકોના માથેથી મમતાની છત્રછાયા ગઈ

સુરત : પાંડેસરા વિસ્તારમાં આવેલા ભગવતી નગરમાં રહેતી 35 વર્ષીય મહિલાએ ઘરમાં બન્ને બાળકોને સુવડાવ્યા બાદ (Suicide Case in Surat) આત્મહત્યા કરી છે. કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જો કે, સમગ્ર બાબતે પાંડેસરા પોલીસને જાણ થતાં પોલીસ (Pandesara Police Station) ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : સુરત જિલ્લાના SP ઉષા રાડાએ સંકટ મોચન બની આત્મહત્યા કરવા જતા 20 લોકોનો બચાવ્યો જીવ

મારી પત્ની પંખા પર લટકતી હતી - આ બાબતે મૃતકના પતિએ જણાવ્યું કે, હું છેલ્લા 20 વર્ષથી સુરતમાં નિવાસ કરું છું. અને હું ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવું છું. મેં ગઈકાલે મને મારા કામમાં મોડું થતાં મેં રાત્રે ઘરે મોડેથી પહોંચ્યો હતો. પરંતુ ઘરે પહોંચ્યો ત્યારે જોયું કે મારા બંને બાળકો નીચે સુતા છે અને મારી પત્ની પંખા પર લટકતી (Woman Commits Suicide in Pandesara) હતી. આ જોઇને બૂમાબૂમ કરી હતી અને બૂમાબૂમ કરતાં મારા પડોશીઓ અને મારા બંને બાળકો પણ જાગી ગયા હતા.

આ પણ વાંચો : સુરતમાં CA યુવતીના આપઘાત પ્રકરણમાં 3 સામે ગુનો દાખલ

આત્મહત્યા કરવાનું કારણ ગુપ્ત - વધુમાં જણાવ્યુ કે મેં તાત્કાલિક મારી પત્નીને નીચે ઉતારી 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો. પરંતુ અહીં ફરજ પરના ડોક્ટર મારી પત્નીને મૃત જાહેર કરી હતી. કયા કારણોસર ગળે ફાંસો ખાધો (Woman Commits Suicide in Surat) એ પાછળનું કારણ તો મને પણ ખબર નથી. મારા બે છોકરાઓ છે. એમાંથી મોટો છોકરો ધોરણ- 9 માં અભ્યાસ કરે છે. અને નાનો છોકરો ધોરણ-3માં અભ્યાસ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.