ETV Bharat / city

સુરતમાં 92 લોકોને એકસાથે ફૂડ પોઈઝનિંગ, તંત્ર થયું દોડતું

author img

By

Published : May 25, 2022, 10:19 AM IST

Updated : May 25, 2022, 11:17 AM IST

સુરતમાં 92 લોકોને એકસાથે ફૂડ પોઈઝનિંગ, તંત્ર થયું દોડતું
સુરતમાં 92 લોકોને એકસાથે ફૂડ પોઈઝનિંગ, તંત્ર થયું દોડતું

સુરતના કતારગામ વિસ્તારમાં એકસાથે 92 લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં શહેર આરોગ્યની ટીમ (Surat Health Department) દોડતી થઈ છે. ઘનશ્યામપાર્ક સોસાયટીમાં લગ્નપ્રસંગમાં જમ્યા પછી આ તમામ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર (Incident of food poisoning in Katargam of Surat) થઈ હતી.

સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં લગ્નપ્રસંગમાં જમ્યા પછી 92 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર (Incident of food poisoning in Katargam of Surat) થઈ હતી. તો તમામ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો આ ઘટના પછી આરોગ્ય તંત્ર દોડતું (Surat Health Department) થયું છે.

આરોગ્યની ટીમ દોડતી થઈ

આ પણ વાંચો- Food Poisoning in Patan: સિદ્ધપુરમાં 5 કિશોરોને પાણીપુરી ખાવી પડી મોંઘી, ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલમાં થયા દાખલ

આરોગ્યની ટીમ દોડતી થઈ - કતારગામ વિસ્તારમાં આવેલી ઘનશ્યામપાર્ક સોસાયટીના લોકો નજીકમાં આવેલા નિત્યાનંદ ફાર્મ ઉપર લગ્નપ્રસંગ યોજાયો હતો. અહીં ભોજન કર્યા પછી 92 જેટલાં લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જ્યારે 42 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ સોસાયટીમાં દોડી આવી હતી. આરોગ્યની ટીમે (Surat Health Department) સોસાયટીમાં ડોર ટૂ ડોર (Door to door health checkup) તમામ લોકોના ચેકઅપ કરવામાં આવી રહ્યા છે. જોકે, લગ્ન પ્રસંગમાં બહાર ગામથી આવેલ લોકોને પણ ફૂડ પોઈઝનિંગ થયું હતું.

લગ્નપ્રસંગમાં જમ્યા પછી થઈ ફૂડ પોઈઝનિંગની અસર
લગ્નપ્રસંગમાં જમ્યા પછી થઈ ફૂડ પોઈઝનિંગની અસર

આ પણ વાંચો- બનાસકાંઠા : ધાનેરામાં એક જ પરિવારના 6 લોકોને food poisoning, 2ના મોત

46 જેટલા લોકો શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ - જ્યારે અન્ય 46 જેટલા લોકો શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આ તમામની સ્થિતિ હાલમાં સ્થિર છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરતા જે મહેમાનો આવ્યા હતા. તેમણે પણ લગ્ન પ્રસંગનું ભોજન લીધું હતું. અંતે પ્રાથમિક તપાસમાં આ જ કારણ લાગી રહ્યું છે. આ તમામને ફૂડ પોઇઝનિંગ (Incident of food poisoning in Surat) થયું છે. અત્યારે તમામ ફૂડના (Incident of food poisoning in Katargam of Surat) સેમ્પલ લેવાઈ રહ્યા છે.

Last Updated :May 25, 2022, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.