ETV Bharat / city

અરવિંદ કેજરીવાલના નિવેદન અંગે હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા, કહ્યું જેવી જેની....

author img

By

Published : May 2, 2022, 11:28 AM IST

Updated : May 2, 2022, 1:51 PM IST

સુરતમાં દિવ્યાંગ બાળકોના એક કાર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi in Surat) ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે તેમણે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના પરપ્રાંતીય પ્રમુખના નિવેદનનો (Harsh Sanghvi on Arvind Kejriwal) વળતો જવાબ આપ્યો હતો.

અરવિંદ કેજરીવાલના નિવેદન અંગે હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા, કહ્યું જેવી જેની....
અરવિંદ કેજરીવાલના નિવેદન અંગે હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા, કહ્યું જેવી જેની....

સુરતઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ રવિવારે ગુજરાતની (Arvind Kejriwal Gujarat Visit) મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે, ભાજપને પ્રદેશ અધ્યક્ષ માટે કોઈ યોગ્ય ગુજરાતી ન મળ્યો એટલે મહારાષ્ટ્રના આયાતી સી. આર. પાટીલને અધ્યક્ષ બનાવ્યા છે. તેમના આ નિવેદન અંગે સુરતમાં દિવ્યાંગ બાળકોના એક કાર્યક્રમમાં ઉપસ્થિત હર્ષ સંઘવીએ આ નિવેદન અંગે પ્રતિક્રિયા (Harsh Sanghvi on Arvind Kejriwal) આપી હતી.

હર્ષ સંઘવીએ ઉગ્ર વાત કરવાનું ટાળ્યું

આ પણ વાંચો- પેપર લીક મામલે ભાજપ સરકારને વર્લ્ડ રેકોર્ડ આપવા કાલે ગીલીસ બૂકની મીટીંગ મળી: અરવિંદ કેજરીવાલ

હર્ષ સંઘવીએ ઉગ્ર વાત કરવાનું ટાળ્યું - ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi on Arvind Kejriwal) જણાવ્યું હતું કે, જેની જેવી સમજ, જેના જેવા વિચાર એ એની વાત એ હિસાબે કરે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકોના કાર્યક્રમમાં આ પ્રકારની બાબતે નિવેદન (Harsh Sanghvi on Arvind Kejriwal) આપવું જરૂરી નથી લાગતું. જવાબ ગુજરાતની જનતા સમયસર આપતી આવી છે અને ભવિષ્યમાં પણ આપશે.

  • महाराष्ट्र के .@CRPaatil गुजरात भाजपा अध्यक्ष है। भाजपा को अपना अध्यक्ष बनाने के लिए एक भी गुजराती नहीं मिला? लोग कहते हैं, ये केवल अध्यक्ष नहीं, गुजरात सरकार यही चलाते हैं। असली CM यही हैं। ये तो गुजरात के लोगों का घोर अपमान है

    भाजपा वालों, गुजरात को गुजराती अध्यक्ष दो

    — Arvind Kejriwal (@ArvindKejriwal) May 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાત યાત્રા થઇ પુર્ણ, 'મિશન ગુજરાત 2022'ની બ્લ્યુ પ્રિન્ટ કરી તૈયાર

ગુજરાતમાં કોરોનાના સમયમાં દરેક રાજ્યના લોકોને સાચવ્યા છે - હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણા રાજ્યમાં દેશના અલગ અલગ રાજ્યોના મોટી સંખ્યામાં લોકો આવે છે. ધંધા રોજગારી અર્થે અહીં વસે છે. રાજ્યના નાગરિકોએ પોતે જમે તે પહેલાં લોકોને પહોંચાડ્યું છે. તે પછી કોઈ પણ રાજ્યનો હોય દરેકને કોરોના સમયમાં સાચવ્યા છે.

પાટીલ આયાતી અધ્યક્ષ છે - દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ રવિવારે ગુજરાતની (Arvind Kejriwal Gujarat Visit) મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે, ભાજપને પ્રદેશ અધ્યક્ષ માટે કોઈ યોગ્ય ગુજરાતી ન મળ્યો એટલે મહારાષ્ટ્રના આયાતી સી. આર. પાટીલને અધ્યક્ષ બનાવ્યા છે. તેમના આ નિવેદન અંગે સુરતમાં દિવ્યાંગ બાળકોના એક કાર્યક્રમમાં ઉપસ્થિત હર્ષ સંઘવીએ આ નિવેદન અંગે પ્રતિક્રિયા (Harsh Sanghvi on Arvind Kejriwal) આપી હતી.

કેજરીવાલે ટ્વિટર પર કર્યો પ્રહાર- આપને જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રવિવારે ગુજરાતની મુલાકાતે (Arvind Kejriwal Gujarat Visit) આવ્યા હતા. અહીં તેમણે ટ્વિટ કરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પર નિશાન સાધ્યું હતું. તેમણે (Arvind Kejriwal on CR Patil) લખ્યું હતું કે, 'ભાજપવાલોં ગુજરાત કો ગુજરાતી અધ્યક્ષ દો'. તેમણે પાટીલ પર પરપ્રાંતીય હોવા અંગે ટિપ્પણી કરી હતી. ત્યારે આ મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પલટવાર કર્યો હતો.

ભાજપને અધ્યક્ષ માટે કોઈ ગુજરાતી ન મળ્યું- ભાજપ AAP ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં (Gujarat Assembly Election 2022) રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં, પરંતુ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામી છે. આ વખતે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ ઉપર નિશાનો સાધતા (Arvind Kejriwal on CR Patil) તેમણે પરપ્રાંતીય ભાજપ પ્રમુખ કહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અધ્યક્ષ પદ માટે તેમને એક પણ ગુજરાતી મળ્યું નથી? એટલું જ નહીં તેઓએ કહ્યું હતું કે, ગુજરાત પાટિલ દ્વારા ચલાવવામાં આવે છે. તેઓ રાજ્યના મુખ્યપ્રધાન છે, જે ગુજરાતના લોકોનું અપમાન છે.

ગુજરાતની જનતા સમયસર જવાબ આપતી આવી છે- રાજ્યના ગૃહપ્રધાન સંઘવીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકોના કાર્યક્રમમાં (Harsh Sanghvi in Surat) આ પ્રકારની બાબતે નિવેદન આપવું મને યોગ્ય નથી લાગતું. જોકે, ગુજરાતની જનતા સમયસર જવાબ આપતી જ આવી છે અને ભવિષ્યમાં પણ આપશે. આપણા રાજ્યમાં દેશના અલગઅલગ રાજ્યોના મોટી સંખ્યામાં લોકો આવે છે. ધંધા રોજગારી અર્થે અહીં વસે છે. રાજ્યના નાગરિકોએ પોતે જમે તે પહેલાં લોકો ને પહોંચાડ્યું છે.તે પછી કોઈ પણ રાજ્ય નો હોય દરેક ને કોરોના સમય માં સાચવ્યા છે.

Last Updated : May 2, 2022, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.