કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાત યાત્રા થઇ પુર્ણ, 'મિશન ગુજરાત 2022'ની બ્લ્યુ પ્રિન્ટ કરી તૈયાર

author img

By

Published : Apr 3, 2022, 8:11 PM IST

કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાત યાત્રા થઇ પુર્ણ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ગુજરાતની બે દિવસની મુલાકાતે(Chief Minister of Delhi and Punjab visit Gujarat) આવ્યા હતા. જ્યાં તેઓએ 'મિશન ગુજરાત 2022'ની(Gujarat Assembly Election 2022) બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હતી બે દિવસીય મુલાકાતમાં રોડ-શો(road show of the Aadmi Party) અને ગાંધી આશ્રમ અને સ્વામિનારાયણ મંદિરની પણ મુલાકાત લીધી હતી.

અમદાવાદ : ગુજરાતમાં આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) લઈને રાજકારણ હવે ગરમાવો જોવા મળી રહ્યો છે. તે અંતર્ગત દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન બે દિવસીય ગુજરાતના પ્રવાસે(Chief Minister of Delhi and Punjab visit Gujarat) આવ્યા હતા. ગઇકાલે અમદાવાદમાં રોડ શો યોજ્યો(road show of the Aadmi Party) હતો અને ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી, તેમજ આજ રોજ ભગવાન સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા પણ ગયા હતા. રોડ શો દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટી સામ સામે આવી ગયા હતા, આ બે દિવસીય પ્રવાસના કારણે ભાજપ અને કોંગ્રેસની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.

કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાત યાત્રા થઇ પુર્ણ

આમ આદમી પાર્ટીનો ગુજરાત પ્રવાસ - ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે હોટેલથી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી, જ્યાં બન્ને નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તે ઉપરાંત તેમણે હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી. અરવિંદ કેજરીવાલે પત્રકારોને જણાવ્યું હતું કે, રાજનીતિની વાતો આપણે આશ્રમની બહાર જઇને કરીશું, તેમજ વધુંમા કહ્યું કે, હું જેટલી પણ વખત ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યો છું તેટલી વખત શાંતિ પ્રાપ્ત થઇ છે.

કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાત યાત્રા થઇ પુર્ણ

પ્રથમ દિવસે યોજ્યો રોડ શો - ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ દિલ્હી અને પંજાબના મુખ્યપ્રધાન હોટલ જવા રવાના થયા હતા જ્યાં તેઓએ ગુજરાત આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં તેમને ગુજરાતની રાજનીતિ પર ચર્ચા કરી હતી, તો બીજી તરફ રાજનીતિ અંગે થઈને અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતના નેતાઓ સાથે માહિતી એકત્ર કરવામાં આવી હતી. ગઇકાલે સાંજે 4:30 કલાકે નિકોલ રોડ શો માં જવા માટે બન્ને નેતાઓ રવાના થયા હતા.

કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાત યાત્રા થઇ પુર્ણ

ગાંધી આશ્રમની લીધી મુલાકાત - અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા તમામ કાર્યકરોને તિરંગો આપવામાં આવ્યો હતો. નિકોલ થી બાપુનગર સુધી આમ આદમી પાર્ટીનો આશરે દોઢ કિલોમીટર જેટલો રોડ શો હતો. આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં જીત બાદ હવે ગુજરાતમાં રણશિંગુ ફૂંક્યું છે. ગુજરાતમાં પણ ઇલેક્શન જીતવા માટે થઇને કવાયત હાથ ધરવામાં આવી છે. આ રોડ શોમાં કેજરીવાલના સમર્થનની અસર પશ્ચિમ વિસ્તારમાં પણ જોવા મળી હતી, જ્યાં ઘણા લોકો હાથમાં તિરંગા લઈ રસ્તા પર નીકળ્યા હતા અને કેજરીવાલના સમર્થનમાં નારેબાજી પણ કરી હતી.

  • अहमदाबाद में Delhi CM @ArvindKejriwal और Punjab CM @BhagwantMann ने साबरमती के संत महात्मा गांधी जी को श्रद्धांजलि दी।

    गांधी जी के आदर्शों पर गुजरात के नवनिर्माण का संकल्प लिया। pic.twitter.com/y0iJy6GuDE

    — AAP (@AamAadmiParty) April 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બીજા દિવસના પ્રવાસનો કાર્યક્રમ - દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને મુલાકાતના બીજા દિવસે સાયબા ખાતે આવેલ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કર્યા હતા અને ભગવાનના આશિર્વાદ મેળવ્યા હતા. કેજરીવાલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈને હિન્દુ સમાજને પણ મેસેજ આપવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું ચર્ચામાં જોવા મળી રહ્યું છે. મંદિરના દર્શન કર્યા બાદ કેજરીવાલ હોટેલે પરત ફર્યા હતા જ્યાં કાર્યકરો સાથે બેઠક કરી હતી. બેઠકમાં આમ આદમી પાર્ટીના નેતાઓ વીજળીની સમસ્યા, પોલીસ ગ્રેડ પે, બેરોજગારી જેવા અનેક મુદ્દે આક્રમક થયા છે.

  • Delhi के CM @ArvindKejriwal जी और Punjab के CM @BhagwantMann जी ने भगवान स्वामीनारायण जी के मंदिर में माथा टेका।

    भगवान स्वामी नारायण जी का जलाभिषेक करके Gujarat और देश की समृद्धि और शांति के लिए प्रार्थना भी की। pic.twitter.com/g4ykGH8A6E

    — AAP (@AamAadmiParty) April 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગુજરાતમાં પગપેસારો કરવાની કવાયત - ખેડૂતોને સમયસર વીજળી મળે તે માટે આમ આદમી પાર્ટીએ સક્રિયતાથી મુદ્દો ઉઠાવ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં તિરંગા યાત્રા કાઢી હતી, પંજાબમાં મળેલી જીતની ગુજરાતમાં મોટી ઉજવણી કરવામાં આવી હતી. હવે દિલ્હી બાદ પંજાબ મોડેલની આમ આદમી પાર્ટીના નેતાઓના મુખે ચર્ચા જોવા મળી રહી છે, સોશિયલ મીડિયા પર દિલ્હી અને પંજાબ સરકારના નિર્ણયોનો પ્રચાર થઈ રહ્યો છે. ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અંગે મનીષ સિસોદિયાએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો. કોંગ્રેસના કેટલાક નેતાઓ સંપર્ક કરીને આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે બીજેપી સાથે ગઠબંધન કરી આદિવાસી મત પરોક્ષ રીતે મેળવવા રણનીતિ ઘડવામાં આવી રહી છે.

  • आम आदमी के "इन्क़लाब" को कौन रोकेगा?
    गुजरात में जो आ रहा है "बदलाव", उसे कौन रोकेगा?#AAPGujaratTirangaYatra pic.twitter.com/uZzT1BZkLR

    — AAP (@AamAadmiParty) April 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મિશન ગુજરાત 2022 પર કામ શરુ - અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને બે દિવસની ગુજરાતની મુલાકાત લીધી હતી. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ખૂબ જ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પણ પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બીજેપી સામે બીજેપીની સ્ટેટેજી મુજબ જ આગળ વધી ગયા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન અને આ બે દિવસીય મુલાકાતમાં અનેક અલગ-અલગ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે, જેમાં તેઓ તો લોકોની વચ્ચે ગયા ગયા હવે ગુજરાતના નેતાઓને પણ લોકોની વચ્ચે જવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાત યાત્રા થઇ પુર્ણ
કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાત યાત્રા થઇ પુર્ણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.