સુરત ખાદી ભંડારમાંથી આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન વચ્ચે ખાદી ભંડારમાંથી તિરંગા અને ખાદીના વેચાણમાં Sale of Tiranga and Khadi માત્ર 6 દિવસની અંદર 50 ટકાનો વધારો થયો છે. ખાદી ભંડારમાં અને મુખ્ય હેડ પોસ્ટ ઓફિસ Head Post Office ખાતે રાષ્ટ્રધ્વજનું વેચાણ Sale of National Flags in Khadi Stores રવામાં આવી રહ્યું છે, જેને લઇ રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. દરેક લોકો પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવવા માટે ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે. જેથી સારા એવા પ્રમાણમાં આવક પણ થવા લાગી છે.
આ પણ વાંચો અહીંથી તમે ખરીદી શકો છો રાષ્ટ્ર ધ્વજ, એ પણ એકદમ ઓછી કિંમતમાં
આ વર્ષે 1 જુલાઈથી 12 જુલાઈ સુધી 50 % જેટલું વેચાણ થઈ ગયું છે આઝાદીના 75માં અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન વચ્ચે ખાદી ભંડારમાંથી તિરંગા અને ખાદીના વસ્ત્રો સહીતના વેચાણમાં આ વખતે 50 % જેટલો વધારો જોવા મળ્યો છે. ગતવર્ષ કરતા આ વર્ષે ખાદી ભંડારમાંથી તિરંગા અને ખાદીના વસ્ત્રોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ 40 ટકા જેટલું વેચાણ થયું હતું. આ વર્ષે 1 જુલાઈથી 12 જુલાઈ સુધી 50 ટકા જેટલું વેચાણ થઈ ગયું છે. હર ઘર તિરંગા અભિયાન કારણે લોકો પોતાના ઘરે ઓફિસે, સોસાયટીઓમાં, બિલ્ડીંગ, સરકારી ઓફિસ વગેરે જગ્યાઓ ઉપર તિરંગો લાગવા માટે ખાદી ભંડારમાંથી ધૂમ ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે 13થી 15 ઓગસ્ટ સુધી આવી તમામ જગ્યાઓ ઉપર રાષ્ટ્ર ધ્વજ ફરકવામાં આવશે.
આ વખતે સુરત ખાદી ભંડારમાંથી 970 જેટલાં ત્રિરંગાનું વેચાણ થયું છે આ વખતે સુરત ખાદી ભંડારમાંથી Surat Khadi Bhandar 970 જેટલાં ત્રિરંગાનું વેચાણ થયું છે. કારણ કે આ વખતે આઝાદીના અમૃત મોહત્સવને અંતર્ગત સૌથી વધારે ત્રિરંગાનું વેચાણ થયું છે. જેમાં 2 × 2ના ત્રિરંગા કુલ 370 જેટલા વેચાણ કરવામાં આવ્યું છે. 3 × 4ના ત્રિરંગા કુલ 360 જેટલા વેચાણ કરવામાં આવ્યું છે. 4 × 6ના ત્રિરંગા કુલ 180 જેટલાં વેચાણ કરવામાં આવેલા છે. 6 × 9ના ત્રિરંગા કુલ 8 જેટલાં વેચાણ કરવામાં આવ્યા છે. જે મોટી કંપનીઓમાં લગાવામાં આવે છે.
આ પણ વાંચો જો રાષ્ટ્રધ્વજ ફાટી જાય તો શું કરવું? MCDએ જારી કરી સૂચના
આઝાદીના અમૃત મોહત્સવને અંતર્ગત સૌથી વધારે ત્રિરંગાનું વેચાણ વધુમાં જણાવ્યું કે, આ તમામ ત્રિરંગા ચાર મહિના પેહલા જ બનવા લાગે છે અને અમારે ત્યાં જૂન મહિનાથી તેનું વેચાણ શરૂ થઈ જાય છે. અમારે ત્યાં ટેબલ, કાર, ત્રિરંગાનું વેચાણ પણ થયું છે. અમારે ત્યાં સૌથી વધુ તો સ્કૂલ કોલેજો, સરકારી ઓફિસ વાળા લોકો વધારે લેવા માટે આવી રહ્યા છે.