જો રાષ્ટ્રધ્વજ ફાટી જાય તો શું કરવું? MCDએ જારી કરી સૂચના

author img

By

Published : Aug 6, 2022, 4:43 PM IST

har ghar tiranga campaign

ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી (75th independence day) કરવા માટે કેન્દ્ર સરકારે આઝાદી કા અમૃત મહોત્સવના (Azadi Ka Amrit Mahotsav) ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત (har ghar tiranga abhiyan) કરી છે. આ હર ઘર તિરંગા અભિયાન માટે વડાપ્રધાન મોદીએ 13 થી 15 ઓગસ્ટ સુધી દેશના દરેક ઘર પર તિરંગો ફરકાવવાની અપીલ કરી છે. ત્યારે જાણો કે, જો તમારા ત્રિરંગાને નુકસાન થાય ત્યારે શું કરવું જોઈએ.

ન્યુઝ ડેસ્ક: કેન્દ્ર સરકારે આઝાદી કા અમૃત મહોત્સવના (Azadi Ka Amrit Mahotsav) ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત (har ghar tiranga abhiyan) કરી છે. વડાપ્રધાન મોદીએ 13 થી 15 ઓગસ્ટ સુધી દેશના દરેક ઘર પર તિરંગો ફરકાવવાની (independence day 2022) અપીલ કરી છે. આ સાથે તેણે 2 ઓગસ્ટથી સોશિયલ મીડિયાના પ્રોફાઈલ ફોટોમાં તિરંગો લગાવવાની પણ વિનંતી કરી હતી. આ યોજના માટે સરકારે 20 કરોડ ઘરોનો લક્ષ્યાંક રાખ્યો છે. જો આ યોજનામાં ત્રિરંગાને નુકસાન થાય તો શું કરવું તે અંગે MCDએ એક માર્ગદર્શિકા (mcd guidelines) બહાર પાડી છે.

આ પણ વાંચો: આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર ગૂગલે લોન્ચ કર્યું 'ભારત કી ઉડાન'

ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજ: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને (Municipal Corporation of Delhi) 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ રાષ્ટ્રધ્વજના યોગ્ય નિકાલ માટે તમામ ઝોનલ ઓફિસોને સૂચનાઓ આપી છે. દરેકને સૂચના આપવામાં આવી છે કે, જો કોઈ રાષ્ટ્રધ્વજ ગંદો, ફાટેલો અને ક્ષતિગ્રસ્ત જણાય તો તેને ઝોનલ કંટ્રોલ રૂમમાં જમા કરાવવામાં આવશે. તે પછી ગંદા અને ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજનો ફ્લેગ કોડ-2002 હેઠળ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નિકાલ કરવામાં આવશે.

ત્રિરંગાને ખૂબ મહત્વ અને સન્માન: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના (har ghar tiranga 2022) એક વરિષ્ઠ અધિકારીએ (indian national flag) કહ્યું કે, MCD ત્રિરંગાને ખૂબ મહત્વ અને સન્માન આપે છે. તમામ ઝોનલ ઓફિસોને સૂચના આપવામાં આવી છે કે, જ્યારે કોઈપણ ધ્વજને નુકસાન થાય અથવા ગંદું થઈ જાય ત્યારે તેને બાજુમાં ફેંકી દેવામાં આવશે નહીં અથવા બેદરકારીપૂર્વક તેનો નિકાલ કરવામાં આવશે નહીં, પરંતુ ફ્લેગ કોડમાં સમાવિષ્ટ નિયમો અનુસાર ધ્વજનો આદરપૂર્વક નિકાલ (disposal national flags) કરવામાં આવશે.

આ પણ વાંચો:હર ઘર તિરંગા અભિયાનમાં મળશે સર્ટીફીકેટ, આ રીતે થશે ડાઉનલોડ

શું છે 'હર ઘર તિરંગા' અભિયાન: મન કી બાતમાં આ યોજનાનો (har ghar tiranga campaign) ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ 13 થી 15 ઓગસ્ટ સુધી દેશના દરેક ઘર પર ત્રિરંગો ફરકાવવાની અપીલ કરી હતી. આ સાથે તેણે 2 ઓગસ્ટથી સોશિયલ મીડિયાના પ્રોફાઈલ ફોટોમાં તિરંગો લગાવવાની પણ વિનંતી કરી હતી. આ યોજના માટે સરકારે 20 કરોડ ઘરોનો લક્ષ્યાંક રાખ્યો છે. સરકારી અને ખાનગી સંસ્થાઓ પણ આ યોજનામાં સામેલ થશે. વહીવટીતંત્ર આ માટે જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. આ માટે નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. આ માટે કેન્દ્ર સરકારે ત્રણ પ્રકારના ધ્વજ બનાવવાની વ્યવસ્થા કરી છે. આ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ હશે અને લોકો ઓનલાઈન પણ ત્રિરંગો ખરીદી શકશે. લાઈવ ટીવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.