ETV Bharat / city

સાવકી માતાએ હત્યા કરી પોલીસને દોરી ગેરમાર્ગે

author img

By

Published : Aug 17, 2022, 11:40 AM IST

સાવકી માતાએ હત્યા કરી પોલીસને દોરી ગેરમાર્ગે
સાવકી માતાએ હત્યા કરી પોલીસને દોરી ગેરમાર્ગે

સુરતમાં સાવકી માતાએ માસુમ બાળકની હત્યા Crime rate in Gujara કરતા ચકચાર મચી ગઈ હતી. માસુમ બાળકની હત્યા કર્યા બાદ પતિ અને પોલીસે ગેરમાર્ગે દોર્યા હતા. જોકે પોલીસ તપાસમાં ચોકવાનારી killed child in Surat વિગતો બહાર આવી હતી.

સુરત પાંડેસરા વિસ્તારમાં સાવકી માતાએ દોઢ વર્ષના માસુમ બાળકની (Crime rate in Gujarat) હત્યા કરી નાખી હતી. બાળકની હત્યા કર્યા બાદ તેણીનું મૃત્યુ બીમારીમાં થયું હોવાનું કાવતરું ઘડી પતિને ગેરમાર્ગે દોર્યો હતો. જોકે પાંડેસરા પોલીસ તપાસમાં સાવકી માતા બાળકને સાથે રાખવા માંગતી ન હોય બાળકનું (killed child in Surat) માથું જમીન ઉપર ફાડી હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.

બે લગ્ન પાંડેસરા વિસ્તારમાં રહેતા મૂળ ઓરિસ્સા ગંજામનો વતની છે. મૃતક બાળકના પિતાએ બે લગ્ન કર્યા હતા. પ્રથમ પત્ની ગંજામ ખાતે રહેતી હતી. આ દરમિયાન મૃતક બાળકનો પિતા સુરત આવી ગયો હતો. જેથી તેને સુરતમાં સંગીતા નામની યુવતી સાથે પણ બીજા લગ્ન કર્યા હતા. તે અહીં સંગીતા સાથે રહેતો હતો. પિતાને સંગીતા થકી એક દોઢ વર્ષીય બાળક નટીયા ઉર્ફે બાબુ હતો. આ દરમિયાન ત્રણ માસ અગાઉ પત્ની સંગીતાનું મૃત્યુ નીપજ્યું હતું.

શું હતી ઘટના પાંડેસરા હરિઓમ નગર વિસ્તારમાં રહેતા અરુણ ભોળા મૂળ ઓરિસ્સા ગંજામનો વતની છે. અરુણ ભોલા એ બે લગ્ન કર્યા હતા. પિતાની પ્રથમ પત્ની મમતા ગંજામ ખાતે રહેતી હતી. દરમિયાન અરુણ સુરત આવી ગયો હતો જેથી તેને સુરતમાં સંગીતા (Crime rate in Surat) નામની યુવતી સાથે પણ બીજા લગ્ન કર્યા હતા. અને તે અહીં સંગીતા સાથે રહેતો હતો અરુણ ને સંગીતા થકી એક દોઢ વર્ષીય બાળક નટીયા ઉર્ફે બાબુ હતો. દરમિયાન ત્રણ માસ અગાઉ પિતાની પત્ની સંગીતાનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો દલિત વિદ્યાર્થીને શિક્ષકે 18 કલાક રાખ્યો ટોયલેટમાં બંધ અને થયું કે...

હત્યા પાછળનું કારણ જેથી પતિ પ્રથમ પત્ની મમતાને સુરત લઈ આવ્યો હતો અને તેણે બીજી પત્ની સંગીતા અને તેના થકી જન્મેલ બાળક બાબુ અંગેની હકીકત જણાવી હતી. તેથી મમતા બીજી પત્નીના બાળક બાબુને સાથે રાખવા તૈયાર થઈ હતી. જોકે માત્ર દોઢ વર્ષનો માસુમ (Murder case in Gujarat) બાળક અવારનવાર રડતો હતો જેથી મમતા બાબુ ને સાથે રાખવા માંગતી ન હતી. જેથી તેનાથી છુટકારો મેળવવા માટે તારીખ 13 ઓગસ્ટના રોજ મૃતક બાળકના પિતા કામ પર ગયા હતા. ત્યારે મમતાએ ઘરમાં દિવાલ સાથે બાળકનું માથું ફાડી તેની હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો મિત્રના ઝઘડામાં તરફદારી કરતા યુવકની થઇ હત્યા

હત્યા થઈ હોવાનું ખુલ્યુ આ દરમિયાન રાત્રીએ પતિ નોકરીએથી પરત ઘરે આવ્યો હતો, ત્યારે પત્ની મમતાએ બાબુનું બીમારીમાં મૃત્યુ હોવાની ખોટી હકીકત દર્શાવી પતિને ગેર માર્ગે દોર્યા હતો. પતિ પણ પત્ની મમતાની વાતમાં આવી ગયો હતો અને મોડી રાત્રે માસુમ બાળકને દફનાવા જાડી જાકરામાં ગયા હતા. જોકે વરસાદ હોવાથી ખાડામાં બાળકને મૂકી આવ્યા હતા. વહેલી સવારે રાહદારીની નજર માસુમ બાળકો પર પડતા પોલીસને જાણ કરી હતી. પાંડેસરા પોલીસ તપાસમાં બાળકની હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે સાવકી માતાની પૂછપરછ કરતા તેની એ માસુમ બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સાવકી માતા (Stepmother killed child) મમતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.