Murder Case in Ahmedabad : પારિવારિક તકરારમાં IB ઓફિસરે પત્નીની હત્યા કરાવી

author img

By

Published : Aug 6, 2022, 10:01 PM IST

Murder Case in Ahmedabad : પારિવારિક તકરારમાં IB ઓફિસરે પત્નીની હત્યા કરાવી

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદનગર વિભાગ 2માંથી મહિલાનો (Murder Case in Ahmedabad ) મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલાની હત્યામાં તેના પતિનું જ ષડયંત્ર (IB officer killed wife in family dispute) હોવાનું ખુલતા ઝોન 7 એલસીબી ટીમે એક આરોપીની ધરપકડ (Murder Accused Arrest) કરી છે.

અમદાવાદ: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદનગર વિભાગ 2માંથી મહિલાનો મૃતદેહ મળ્યા બાદ હત્યાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મહિલાના હત્યા પાછળ પતિનું ષડયંત્ર (IB officer killed wife in family dispute) હોવાનું ખુલતા ઝોન 7 એલસીબી ટીમે એક આરોપીની ધરપકડ (Murder Accused Arrest)કરી છે. પરંતુ હત્યાના (Murder Case in Ahmedabad ) ષડયંત્રમાં હજી ફરાર ત્રણ આરોપીઓને પકડવા પોલીસે (Ahmedabad Police) તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મહિલાની હત્યામાં તેના પતિનું જ ષડયંત્ર બહાર આવ્યું

આ છે ઘટનાની વિગતોઃ શ્રીનંદનગર વિભાગ 2માંં એફ બ્લોકના એક મકાનમાંથી મહિલાનો મૃતદેહ (Murder Case in Ahmedabad ) મળી આવ્યો હતો. જોકે પ્રાથમિક તબક્કે પોલીસે (Ahmedabad Police) અકસ્માતે મોત નોંધી આ અંગે તપાસ શરૂ કરતાં ડોક્ટરના રિપોર્ટમાં મહિલાની હત્યા (Ahmedabad Crime news) થઈ હોવાનું ફલિત થયું. જેને પગલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ માટે ટીમો કામે લાગી. આ મહિલાની હત્યા કરનારા શખ્સોને પકડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.

સીસીટીવી ફૂટેજ આધારે થઇ તપાસઃ પોલીસે પ્રાથમિક તબક્કે અલગ અલગ થીયરી તપાસ કરતા સોસાયટીમાંથી પસાર થતા બે શકમંદો નજરે પડ્યાં હતાં. ત્યારબાદ અલગ-અલગ સીસીટીવી ફૂટેજ આધારે આ બંને પલ્સર બાઈક લઈ મકરબા વિસ્તારમાંથી નીકળ્યા હોવાનું જાણવા મળતા પોલીસે વાહનના આધારે આરોપીને પકડવા ટીમ તેલંગાણા રવાના કરી. પોલીસે પલ્સર બાઈક ક્યાંથી ખરીદયુ હતું તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે ભાડેથી વાહન આપતા ઇન્કમટેક્સના એક વેપારી પાસેથી આ વાહન ભાડેથી લેવામાં આવ્યું હતું. જેમાં ખલીલુદ્દીન સૈયદે વાહન ભાડેથી લીધું હોવાથી પોલીસે તેને તપાસ કરતા હત્યા (Murder Case in Ahmedabad ) કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો.

મૃતક મહિલાના પતિ આઈબી ઓફિસર છેઃ ઝોન 7 એલસીબી ટીમે ખલીલઉદ્દીન સૈયદની પ્રાથમિક પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી કે મૃતક મનીષાબેનના પતિએ હત્યા અંગે કાવતરું ઘડ્યું હતું. ખલીલઉદ્દીન સાથે જૂનો પરિચય હોવાથી મનીષાબેનના પતિ એ જ આ કામ તેમને સોંપ્યું હતું. મહત્વનું છે કે મૃતક મનીષાબેનના પતિ ઈન્ટેલિજન્સ બ્યુરોમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવે છે.

આરોપીઓ તેલંગણાનાઃ આઇબી ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલાએ પારિવારિક તકરારના કારણે મનીષાબેનનું કાસળ કાઢી નાખવા હત્યાનું પ્લાનિંગ (IB officer killed wife in family dispute) કરવામાં આવ્યું હતું. મનીષાબેનના પતિ છેલ્લા દસેક વર્ષથી મધ્યપ્રદેશમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવે છે. પોતાના કામ કઢાવવા માટે 15000 રૂપિયા પણ આપ્યા હોવાનું આરોપી ખલીલઉદ્દીનની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું. જોકે આ હત્યા કરવા પાછળ કારણ શું હોય તે અંગે પોલીસે તપાસ કરતા ખલીલઉદ્દીને કબૂલ્યું હતું કે આઇબી ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલા સાથે છેલ્લા ઘણા સમયથી પરિચયમાં છે અને મૂળ બંને તેલંગાણાના હોવાથી પારિવારિક તકરારનો અંત લાવવા ખલીલુદીનને મનીષાબેનનું કાસળ કાઢી નાખવા કહ્યું હતું. જેના કારણે બે સાગરીતો સાથે દસ દિવસથી અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં મનીષાબેનની રેકી કરી તમામ ગતિવિધિથી પરિચિત થઈ હત્યાને ( Murder Case in Ahmedabad) અંજામ આપ્યો હતો.

એક આરોપી તેલંગાણાથી પકડાયોઃ હાલ તો હત્યા ( Murder Case in Ahmedabad ) અને ગુનાહિત ષડયંત્રના કેસમાં ચાર આરોપીઓની સંડોવણી સામે આવી છે. જેમાંથી એક જ આરોપી તેલંગાણાથી (Murder Accused Arrest) પકડાયો છે. જ્યારે આઈબી ઓફિસર પતિ રાધાકૃષ્ણ મધુકર દુધેલા અને હત્યામાં સંડોવાયેલ સતીશ અને જાવેદ નામના બંને શખ્સોની પોલીસ (Ahmedabad Police)ધરપકડ કરી વધુ ખુલાસા હત્યા કેસમાં કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.