ETV Bharat / city

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે સાંજથી પ્રચાર થશે બંધ

author img

By

Published : Feb 19, 2021, 4:17 PM IST

દેશની સૌથી વધુ ઝડપથી વિકસતાં શહેરોમાં અગ્રક્રમે આવતાં સુરત શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ વખતે મનપાની ચૂંટણીમાં પ્રચાર માટે ઉમેદવારોને ખૂબ જ ઓછો સમય મળ્યો છે. આ ચૂંટણીમાં ભાજપે તમામ 120 બેઠકો પર, કોંગ્રેસ 117 બેઠકો પર અને આમ આદમી પાર્ટીએ 114 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે 30 વોર્ડના 120 બેઠક માટે જંગ છે અને આજે સાંજે ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે સાંજથી પ્રચાર થશે બંધ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે સાંજથી પ્રચાર થશે બંધ

  • કોરોના પોઝિટિવ દર્દી પણ PPE કીટ પહેરીને મતદાન કરી શકશે
  • કોરોનાના શંકાસ્પદ મતદારે બે દિવસ પહેલા RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે
  • રિપોર્ટ અંગે ચૂંટણી અધિકારી અને આરોગ્ય નોડલ અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે

સુરતઃ આ વખતના પ્રચારમાં ભાજપ હોય કે કોંગ્રેસ કોઈપણ પક્ષના મોટા રાજકીય નેતા પ્રચારમાં આવ્યા નથી. જોકે ગ્રુપ મીટીંગ અને ડોર ટુ ડોર સંપર્ક પર આ વખતે વધારે ભાર આપવામાં આવ્યો છે. ધીરે-ધીરે ચૂંટણીપ્રચાર હાઇટેક પણ બની રહ્યો છે. ભાજપે વર્ચ્યુઅલ મીટીંગનો સહારો લીધો છે તો કોંગ્રેસે સૌરાષ્ટ્રમાંથી નેતાઓને બોલાવીને અહીંયા રહેતાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે.

AAP કોના મત કાપશે ? : ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ચિંતિત

આ વખતના પ્રચારમાં કતારગામમાં પ્રજાપતિ સમાજમાં પક્ષને બાજુ પર મૂકીને સમાજના ઉમેદવાર માટે પ્રચાર કરવામાં આવતાં વિવાદ પણ ઉભો થયો છે. સુરતમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે AAPએ પણ પ્રચાર ઝુંબેશ ચલાવી હોવાથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને ધ્રાસકો પડ્યો છે કે AAP કોના મત કાપશે ? આ વખતે ઉમેદવારો દ્વારા પોતાના સમાજ, વતન, ગામડાના મંડળો, પરપ્રાંતીઓ દ્વારા પોતાની ભાષામાં પેમ્પલેટ છપાવીને પ્રચાર કરવામાં આવ્યો હતો. બીજી બાજુ પાટીદાર અનામત સમિતિના સભ્યોએ પણ કોંગ્રેસના વિરુદ્ધમાં પ્રચાર કર્યા છે જેથી કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

એપેડેમીક મેડીકલ ઓફિસર ડોક્ટર પિયુષ શાહે જણાવ્યું...

સુરત મહાનગરપાલિકા અને પંચાયતની થનારી ચૂંટણીમાં કોરોના પોઝિટિવ દર્દી પણ મતદાન કરી શકશે. આ મતદારે મેડિકલ સુપરવિઝન હેઠળ PPE કીટ પહેરીને મતદાન કરવાનું રહેશે. આ અંગે સુરત જિલ્લા આરોગ્ય વિભાગના એપેડેમીક મેડીકલ ઓફિસર ડોક્ટર પિયુષ શાહે જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ દર્દી તેમજ કોરોનાના શંકાસ્પદ મતદાર કે જે હોસ્પિટલમાં દાખલ અથવા હોમ આઇસોલેશનમાં હોય તે પણ PPE કીટ પહેરી મતદાન કરી શકશે. કોરોનાના શંકાસ્પદ મતદારે કોવિડ ગાઈડલાઈન્સ મુજબ મતદાન બે દિવસ પહેલા RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે. જેના રિપોર્ટ અંગે ચૂંટણી અધિકારી અને આરોગ્ય નોડલ અધિકારીને લેખિતમાં જાણ કરવાની રહેશે. આગામી તારીખ 21મી જૂનને રવિવારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનનો ત્રણ વિભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. ચુસ્ત તકેદારીના પગલાં ભર્યા છે.

33 લાખ મતદારો મતદાન કરશે

કુલ 33 લાખ મતદારો મતદાન કરી શકે તે માટે સુરત શહેરમાં 967 મકાનોમાં 3185 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. સુરત મનપાની ચૂંટણીમાં 295 મથકો અતિસંવેદનશીલ જ્યારે 1227 સંવેદનશીલ જાહેર કરાયા છે. રવિવાર સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી સતત 11 કલાક મતદાન શાંતિપૂર્ણ રીતે અને નિર્વિઘ્ને સંપન્ન થાય એ માટે ચૂંટણી તંત્ર તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.