ETV Bharat / city

Boat Capsized In Amli Dam: આમલી ડેમમાં હોડી પલટી ખાઈ જતા આજે વધું 3 મૃતદેહો મળ્યા, હજૂ એક શ્ખની શોધખોળ શરૂ

author img

By

Published : Jan 13, 2022, 6:12 PM IST

Updated : Jan 15, 2022, 8:58 AM IST

કોંગ્રેસે આમલી ડેમમાં હોડી પલટી (Boat Capsized In Amli Dam) ખાતા ડૂબેલા લોકોના મૃતદેહો શોધવા માટે NDRF ટીમ લાવવામાં આવે તેવી રજૂઆત મુખ્યપ્રધાન (Appeals To CM By Congress) ને કરી છે. 11મી જાન્યુઆરીના આમલી ડેમમાં હોડી પલટી ખાઈ ગઈ હતી, જેમાં 7 લોકો પાણીમાં ડૂબી ગયા હતા.

Boat Capsized In Amli Dam: આમલી ડેમમાં લાપતા મૃતદેહો શોધવા NDRF ટીમ મોકલવા કોંગ્રેસે CMને કરી રજૂઆત
Boat Capsized In Amli Dam: આમલી ડેમમાં લાપતા મૃતદેહો શોધવા NDRF ટીમ મોકલવા કોંગ્રેસે CMને કરી રજૂઆત

સુરત: આમલી ડેમ ખાતે 7 લોકો ડૂબી (Boat Capsized In Amli Dam) જવાની ઘટનામાં વધું 3 મૃતદેહો મળી આવ્યા છે. આમ, અત્રા સુધી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે જ હજૂ એક વ્યક્તિ લાપતા હોવાથી NDRFની ટીમ દ્વારા તેની શોધખોળ શરૂ છે.

મૃતકોના પરિવારને વળતર ચૂકવવાની માંગ

આજ રોજ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમરપાડા મામલદાર કચેરી મારફતે રાજ્યના મુખ્યપ્રધાનને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કે, આમલી ડેમમાં હજી સુધી જે મૃતદેહો નથી મળ્યા એ માટે તાત્કાલિક NDRFની ટીમ તેમજ આધુનિક મરજીવાની મદદથી શોધવામાં આવે. મુખ્યપ્રધાન રાહત ફંડ (CM Relief Fund) અથવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ (Disaster Management Act) હેઠળ 4 લાખનું મૃતકોના પરિવારોને વળતર ચૂકવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: Suicide Case in Surat : સુરતમાં MBBS ડૉક્ટરનું PG-NEETના મેરીટ લિસ્ટમાં નામ ન આવતા કરી આત્મહત્યા

કઈ રીતે બની હતી ઘટના

દેવગીરી ગામ (Divgiri Village Umarpada)ના વસાવાના ઘરે પશુ હોવાથી તેઓ પશુઓને લાંબો સમય ચાલે એટલો ચારો કાપી સંગ્રહ કરવા પોતાના માતા-પિતા, સંબંધી, 7 શ્રમિક સહિત 10 લોકો નાવડીમાં બેસી ડુંગર પર ઘાસચારો કાપવા જઇ રહ્યા હતા. તે દરમિયાન ડેમની વચ્ચે પહોંચતા જ ભારે પવન આવ્યો હતો અને નાવડી પલટી મારી ગઈ હતી,જેથી 10 જેટલા લોકો પાણીમાં પડી ગયા હતા. 3 જેટલા લોકો તરીને કિનારે પહોંચી ગયા હતા, જ્યારે 7 જેટલા લોકો પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં સ્થાનિક ફાયર વિભાગે (Local Fire Department Umarpada) 02 મૃતદેહ શોધી કાઢ્યા હતા. ઘટનાને 2-3 દિવસ વિત્યા છતાં હજી 5 જેટલા મૃતદેહ મળ્યા નથી, જેને લઈને ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: L and T Heavy Engineering Hazira: 1,200 ટન વજનવાળા 2 મોટા ઇથીલીન ઓક્સાઇડ રિએક્ટર્સ વિદેશ રવાના, હજીરામાં કરવામાં આવ્યું નિર્માણ

Last Updated : Jan 15, 2022, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.