ETV Bharat / city

Pankajkumar Reviews Covid19 Situation : રાજકોટ સહિત 3 જિલ્લામાં કોરોના પરિસ્થિતિની સમીક્ષા સાથે તાકીદ

author img

By

Published : Jan 21, 2022, 8:12 PM IST

Pankajkumar Reviews Covid19 Situation : રાજકોટ સહિત 3 જિલ્લામાં કોરોના પરિસ્થિતિની સમીક્ષા સાથે તાકીદ
Pankajkumar Reviews Covid19 Situation : રાજકોટ સહિત 3 જિલ્લામાં કોરોના પરિસ્થિતિની સમીક્ષા સાથે તાકીદ

રાજ્યના અગ્રસચિવ પંકજકુમારે રાજકોટ, જામનગર તથા મોરબી જિલ્લાઓના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોની આરોગ્ય વિષયક પરિસ્થિતિની સર્વગ્રાહી (Pankajkumar Reviews Covid19 Situation) સમીક્ષા કરી હતી. તેમણે આરોગ્ય વિષયક (Third Wave OF Corona 2022 ) અસુવિધાઓ કોઈપણ ભોગે નિવારવા અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી.

રાજકોટઃ રાજકોટ કલેકટર કચેરી ખાતે યોજાયેલી કોરોના પરિસ્થિતિની સમીક્ષા બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરએ ઉપસ્થિત સૌને આવકાર્યા હતાં. રાજકોટ મહાનગરપાલિકા તથા જામનગર મહાનગરપાલિકા ઉપરાંત રાજકોટ, મોરબી અને જામનગર ગ્રામ્ય વિસ્તારોની આરોગ્ય પરિસ્થિતિ રજૂ કરતું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અગ્રસચિવે (Pankajkumar Reviews Covid19 Situation) ઝીણવટપૂર્વક નિહાળ્યું હતું.

ગાઈડલાઈન્સ પાલન અનિવાર્ય બનાવવા અનુરોધ

પંકજકુમારે નાગરિકોને પડતી આરોગ્ય વિષયક અસુવિધાઓ કોઈ પણ ભોગે નિવારવા અધિકારીઓને ખાસ (Pankajkumar Reviews Covid19 Situation) તાકીદ કરી હતી. લોકો સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવા, માસ્ક પહેરવા અને હાથ સેનિટાઇઝ કરવા જેવી નાની બાબતોને નાગરિકો જીવનનો અનિવાર્ય હિસ્સો બનાવે તેવું પણ તેમણેે ઉમેર્યું હતું.

ત્રણે જિલ્લાના વિસ્તારોની આરોગ્ય પરિસ્થિતિ રજૂ કરતું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન
ત્રણે જિલ્લાના વિસ્તારોની આરોગ્ય પરિસ્થિતિ રજૂ કરતું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન

આ પણ વાંચોઃ Corona Update Rajkot: રાજકોટ સિવિલમાં કોરોનાના 9 દર્દીઓ ઓક્સિજન પર, 5 હજારથી વધુ એક્ટિવ કેસ

શહેરમાં દરરોજ કોરોનાના કેસ 1,000ને પાર

સૌરાષ્ટ્રનું વડુમથક એવા રાજકોટમાં કોરોનાના કેસ પ્રતિદિન 1,000ના આંકડાને પાર (Third Wave Of Corona 2022) જઈ રહ્યા છે. જેના કારણે મનપા અને જિલ્લાનું આરોગ્યતંત્ર ચિંતિત છે. આ સંજોગોમાં રાજકોટ આવેલા અગ્ર સચિવ પંકજકુમારે કોરોનાના કેસ અને હાલમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની કેવી તૈયારીઓ છે તે તમામ બાબતો સાથે અધિકારીઓ સાથે સમીક્ષા (Pankajkumar Reviews Covid19 Situation) બેઠક કરી હતી.

સારવારમાં કચાશ ન રાખવા તાકીદ

અગ્રસચિવ પંકજકુમાર દ્વારા (Pankajkumar Reviews Covid19 Situation) આરોગ્યતંત્રને કોરોનાના દર્દીઓની સારવારમાં કોઇપણ જાતની કચાશ (Third Wave Of Corona 2022) ન રહી જાય તે અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મકરસંક્રાંતિના તહેવાર બાદ (Covid19 Update in Gujarat 2022) રાજકોટમાં કોરોનાના દૈનિક 1,000થી વધુ નવા કેસો સામે આવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Testing booth in Rajkot : રાજકોટમાં કોરોના ટેસ્ટિંગ બુથ પર લાંબી લાઈનો, 225 કેસ પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.