ETV Bharat / city

સરકાર કલાકારોને માટે નવરાત્રીને લઈને યોગ્ય નિર્ણય લે: હેમંત ચૌહાણ

author img

By

Published : Oct 6, 2021, 8:43 PM IST

નવલાં નોરતાના બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં શેરી ગરબાઓને ગણતરીના લોકો સાથે યોજવાની છૂટ આપવામાં આવી છે. જોકે મોટા ગરબા આયોજનની છૂટ આપવામાં આવી નથી. આ મુદ્દે વિખ્યાત ગાયક કલાકાર હેમંત ચૌહાણે ઈટીવી ભારત સાથે ખૂલીને વાતચીત કરી હતી.

સરકાર કલાકારોને માટે નવરાત્રીને લઈને યોગ્ય નિર્ણય લે: હેમંત ચૌહાણ
સરકાર કલાકારોને માટે નવરાત્રીને લઈને યોગ્ય નિર્ણય લે: હેમંત ચૌહાણ

  • પ્રસિદ્ધ ભજનિક હેમંત ચૌહાણનો અનુરોધ
  • નવરાત્રિને લઇને આર્ટિસ્ટ માટે સરકાર નિર્ણય લે
  • કળાકારોને બે વર્ષથી પરિસ્થિતિ વિકટ છે ત્યારે તેમના માટે પણ વિચારો


રાજકોટ: ETV BHarat રાજકોટના સંવાદદાતા ભાવેશ સોંદરવાની ભજનિક હેમંત ચૌહાણ સાથે વાતચીતઃ

પ્રશ્ન: રાજ્ય સરકારે શેરી ગરબાની છૂટછાટ આપી છે આપ કલાકારની દ્રષ્ટિએ શું માની રહ્યાં છો?
જવાબ: આ પરિસ્થિતિ છેલ્લા બે વર્ષથી એકદમ વિકટ છે. તેમાં પણ કલાકારોને થોડી વધારે તકલીફ પડી છે. હજુ પણ બીજા ક્ષેત્રમાં તો થોડું થોડું કામ મળી રહે, જ્યારે આ ક્ષેત્ર એ જાહેરક્ષેત્રનું છે અને જાહેર લોકો સાથે રહેવાનું હોય છે. જેને લઈને કલાકારોએ પણ સમજીને ક્યાંય કોઈ પોગ્રામ કર્યા નથી. આ તમામ બાબતો જોતાં કલાકારો પણ થોડાક આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જ્યારે સરકારે શેરી ગરબાની છૂટ આપી છે. ત્યારે પાર્ટી પ્લોટમાં પણ મોટું આયોજન હોય અને બહારના લોકો ઘુસી જાય અને કોરોનાનું સંક્રમણ થવાનો ભય રહેલો હોય છે જે કારણે નકારી શકાય નહીં, પરંતુ એક શેરીમાં ગરબા થતા હોય અને તેમાં પણ એક જ શેરીના માણસો આવશે તેવું નથી. કોઈ પણ માણસો આવી શકે છે એટલે શેરી ગરબામાં તો વધારે માણસોની ભીડ રહેશે અને એમાં પણ 400 માણસોને ભેગા થવાની છૂટ છે. જ્યારે એમ હજાર માણસો શેરી ગરબામાં થઈ જાય તો લાઠીચાર્જ કરી નહીં શકાય. શેરી ગરબાને છૂટ આપી છે તો પાર્ટી પ્લોટમાં ખૂબ જ પ્રોટોકોલ હોય છે. જ્યારે એમાં પણ જોખમ જેવું લાગતું નથી પરંતુ સરકારે જે નિર્ણય લીધી છે તે કલાકારોને મંજૂર છે.

પ્રશ્ન: પાર્ટી પ્લોટ અને મોટા ગરબા આયોજનને છૂટછાટ નથી આપવામાં આવી, જ્યારે મોટાભાગના કલાકારોને આ કાર્યક્રમોમાંથી રોજગારી મળે છે.
જવાબ: સરકારને પણ આ નિયમોને આધીન રહીને કામ કરવાનું હોય છે એટલે એક રફી કલાકારોના જ તરફેણમાં જો નિર્ણય લેવામાં આવે તો પણ તેનો વિરોધ થાય. જેને લઈને તટસ્થ રીતે પણ જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તે કલાકારોને માન્ય જ છે. છતાં પણ એક કલાકાર તરીકે હું તમામ કલાકારો વતી સરકારને વિનંતી કરું છું કે જો શક્ય હોય અને પાર્ટી પ્લોટમાં ગરબાઓનું આયોજન થાય તે સલામત જ છે. તેમ છતાં અંતે સરકારનો જે નિર્ણય છે એ અમારા શિરે છે.

સરકાર કલાકારોને માટે નવરાત્રીને લઈને યોગ્ય નિર્ણય લે: હેમંત ચૌહાણ
પ્રશ્ન: નાના ઘણાં કલાકારોની જેમની આર્થિક સ્થિતિ કથળી છે, આ અંગે સરકારને કઈ રજૂઆત કરી છે, તેમજ કલાકારોને મદદરૂપ થવા માટેના કંઈ પ્રયાસો કર્યા છે? જવાબ: અમે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઘણા કલાકારોએ નાના નાના પ્રોગામ કરીને કલાકારોને આર્થિક સહાય ઘરે પહોંચાડવા સુધીના પ્રયત્નો કર્યા છે. જ્યારે આ કલાકારોનો ઇમેજ સમાજમાં જળવાઈ રહે અને તેને કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડે, એટલા માટે કોઈ છોકરાઓની ફી ભરવી અથવા કોઈના ઘરે રાશન પહોંચાડવું, આ તમામ વસ્તુ બધાં કલાકારોએ કર્યું છે પરંતુ તકલીફ એ તકલીફ. અગાઉ જેમ છૂટથી રહેતા હોય અને પૈસાની પણ છૂટ હોય છે. જે દ્રષ્ટિએ અત્યારે અન્ય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો કરતા કલાકારોને થોડી હાડમારી ભોગવવી પડી રહી છે. જયારે આપણે જોઈએ તો કડીઓ હોય તો તે એકલો જ કામ કરતો હોય છે એવી રીતે કલાકાર જો 12 પ્રોગ્રામ રાખે તો સીધા જ 2થી 5 હજાર માણસો ભેગા થઈ જાય છે. સરકાર માટે તમામ લોકો સરખા છે પરંતુ આ નિયમોના કારણે કલાકારોને તકલીફ ઊભી થાય છે. જયારે હજુ પણ નવરાત્રી આવવાની વાર છે અને સરકાર દ્વારા કલાકારો માટે યોગ્ય નિર્ણય લે તેવી મારી બધા કલાકારો વતી સરકારને વિનંતી છે.

પ્રશ્ન: કોરોનાના કારણે ઘણા મોટા ગરબા આયોજકોએ સરકારના નિર્ણય પહેલાં જ ગરબા નહીં યોજવાની જાહેરાત કરી હતી આપ આ નિર્ણયને કેવી રીતે જુઓ છો?
જવાબ: કોરોના હજુ હાલમાં જ કાબૂમાં આવ્યો છે. જયારે આ આયોજકોએ છ મહિના અગાઉ જ પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. જ્યારે એ સમયે કોરોના કાબૂમાં આવશે તેવી પણ આશા હતી નહીં તેવા સમયે આ નિર્ણય લેવામાં આવ્યો હશે. જ્યારે એવા સમયે સરકારના નીતિ નિયમોને આધીન જ રહેવાનું હોય છે.

પ્રશ્ન: નવરાત્રી દરમિયાન ગરબા રમતાં ખૈલૈયાઓને કંઈ અપીલ કરશો?
જવાબ: જ્યારે પાર્ટી પ્લોટમાં ગરબા રમવાની છૂટ આપવામાં આવશે તો ત્યાં પણ ખૈલેયાઓ આનંદ કરે અને હાલમાં શેરી ગરબાના આયોજનને તો છૂટ આપવામાં આવી છે. જયારે તેઓ અહીં પણ નવરાત્રીમાં આનંદ લે તેવી મારી ભાવના છે.


આ પણ વાંચોઃ કોરોના ગાઇડલાઇન્સ સાથે રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં નવલા નોરતાની તૈયારીઓ શરૂ

આ પણ વાંચોઃ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરીને જ આપણે નવરાત્રિ ઉજવીએઃ ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.