ETV Bharat / city

Chaitri Navratri 2022 : જૂનાગઢના કુળદેવી તરીકે પૂજાતા વાઘેશ્વરી માતાના 7મી સદીથી પરચા, જાણો

author img

By

Published : Apr 4, 2022, 12:07 PM IST

જૂનાગઢમાં સાતમી સદીમાં સ્થાપના કરવામાં આવતા માં વાઘેશ્વરી ચૈત્રી નવરાત્રિમાં (Chaitri Navratri Vagheshwari Temple) વિશેષ મહત્વ માનવામાં આવે છે. જે તે જૂનાગઢના નવાબ દિવાન અને રા ખેંગાર પણ માં વાઘેશ્વરીના ભક્ત પણ હતા. જાણો ચૈત્રી નવરાત્રિમાં મા વાઘેશ્વરીના (Vagheshwari Puja in Chaitri Navratri) મહત્વ અને કેટલાક માતાજીના પરચા...

Chaitri Navratri Vagheshwari Temple : જુનાગઢના કુળદેવી તરીકે પૂજાતા માં વાઘેશ્વરીના સાતમી સદીથી પરચા જાણો
Chaitri Navratri Vagheshwari Temple : જુનાગઢના કુળદેવી તરીકે પૂજાતા માં વાઘેશ્વરીના સાતમી સદીથી પરચા જાણો

જૂનાગઢ : હિન્દુ ધર્મમાં આવતી ચાર નવરાત્રિ પૈકી ચૈત્રી નવરાત્રીને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ચૈત્ર મહિનાની એકમથી શરૂ થતા નવા વર્ષની સાથે નવ દિવસ સુધી જગદંબાની પૂજા આરાધના અને સાધના કરવાનું ધાર્મિક મહત્વ આદિ અનાદિ કાળથી ચાલતું આવે છે. ત્યારે જૂનાગઢના નગર દેવી તરીકે પૂજાતા વાઘેશ્વરીની ચૈત્ર મહિનામાં પૂજા (Chaitri Navratri Vagheshwari Temple) આરાધના અને તેના દર્શન કરવાનું પણ વિશેષ ધાર્મિક મહત્વ હિન્દુ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે.

જુનાગઢના કુળદેવી તરીકે પૂજાતા માં વાઘેશ્વરીની ચૈત્રી નવરાત્રિમાં પૂજાનું ખુબ મહત્વ છે

સાતમી સદીમાં વાઘેશ્વરી મંદિરની સ્થાપના - ગિરનારમાં બિરાજતા વાઘેશ્વરી માતાજીના મંદિરનું (Vagheshwari Mata Temple Establishment) બાંધકામ સાતમી સદીમાં થયું હોવાનું માનવામાં આવે છે. જે તે સમયે ગિરનારના પ્રવેશદ્વાર તરીકે પણ વાઘેશ્વરી માતાનું મંદિર ઓળખાતું હતું. વર્ષ 1921માં જૂનાગઢના દીવાન ત્રિભુવન રાય રાણાએ મંદિરના જિર્ણોધ્ધાર અને નવનિર્માણ માટે પોતાના પ્રયાસો શરૂ કર્યા હતા. તેના ભાગરૂપે જે તે સમયની સરકારે 500 અને જૂનાગઢના નવાબ દ્વારા 100 રૂપિયાનું અનુદાન આપીને મંદિરના નવનિર્માણ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ સિવાય અનેક ધાર્મિક દાતાઓએ મંદિરના જિર્ણોધ્ધાર અને નવનિર્માણ માટે અનુદાન આપ્યું હોવાનો ઇતિહાસ માંથી મળી આવે છે. પ્રાપ્ત થયેલા અનુદાન માંથી જે તે સમયે ગિરનાર પર્વત પર બિરાજતા માઁ વાઘેશ્વરી મંદિર સુધી પહોંચવા માટે બે હજાર પગથિયાંની સીડીનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Chaitra Navratri 2022: અંબાજી મંદિરમાં જવારા વાવીને ભક્તિ ભાવપૂર્વક ઘટ સ્થાપન કરવામાં આવ્યું

ઉપલા અને નીચલા વાઘેશ્વરી માતાનો પણ છે ધાર્મિક ઇતિહાસ - વર્ષો પૂર્વે ગિરનાર પર્વત પર બિરાજતા માઁ વાઘેશ્વરીના (Vagheshwari in Girnar Mountain) નિત્ય દર્શને આવતા તેમના એક ભક્તને રસ્તામાં વનરાજનો સામનો થઇ ગયો હતા. ત્યારે ભક્તના હાથમાંથી માતાજીને અર્પણ કરવા માટે લાવેલું દૂધ ઢોળાઈ ગયું હતું. કલ્પાંત કરતા ભક્તની સાચી ભક્તિ જોઈને માં વાઘેશ્વરી ગાયનું સ્વરૂપ ધારણ કર્યું અને લોટો ફરીથી દૂરથી છલોછલ થઈ ગયો હતો. ત્યારબાદ માં વાઘેશ્વરીના પરચાનો તેના ભક્તોને અનુભૂતિ થઈ અને માતાને તેમના ઘરે સ્થાપન કરવા માટે વિનંતી કરી જેનો સ્વીકાર વાઘેશ્વરી માતાએ એમ કહીને કર્યો કે હું તારી પાછળ આવું છું. મારા ઝાંઝરનો રણકાર સાંભળી તારે પાછળ જોયા વગર આગળ ચાલવાનું છે. થોડો સમય ચાલ્યા બાદ માં વાઘેશ્વરીના ઝાંઝરનો રણકાર બંધ થયો. અને માઇ ભક્તે પાછું વળીને જોતા માતા વાઘેશ્વરી (Vagheshwari Puja in Chaitri Navratri) સ્થિર થઈ ગયા જે હાલમાં નીચલા વાઘેશ્વરી તરીકે પૂજાય રહ્યા છે.

આ પણ વાંચો : Chaitra Navratri starts : બીજી એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ, જાણો કેવી રીતે થશે ઘટ સ્થાપન

જૂનાગઢના નવાબ દીવાન અને રા ખેંગાર પણ હતા માં વાઘેશ્વરીના ભક્ત - સાતમી સદી પૂર્વેનું આ મંદિર ખૂબ (Temple of Vagheshwari Mataji) જ ધાર્મિક આસ્થા અને વિશ્વાસ ધરાવે .છે જુનાગઢના ઈતિહાસ પરથી જાણવા મળે છે કે જૂનાગઢના નવાબ દિવાન રા ખેંગાર, રા માંડલીક અને રાણકદેવી માં વાઘેશ્વરીના પરમ ભક્ત હતા. અને નિત્યક્રમ વાઘેશ્વરી માતાના દર્શન કરવા માટે અચૂક આવતા હતા. તેને કારણે વાઘેશ્વરી માતાને જુનાગઢના કુળદેવી તરીકે આજે પણ પૂજવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ચાર નવરાત્રીનું ખૂબ ધાર્મિક મહત્વ છે ચિત્ર, આસો, શાકંભરી અને અષાઢ આ ચાર નવરાત્રી હિન્દુ ધર્મના વિક્રમ (Chaitri Navratri 2022) સંવતના વર્ષમાં આવતી હોય છે. જેમાં ચૈત્રી નવરાત્રીનું ખૂબ ધાર્મિક મહત્વ છે. આ નવ દિવસ દરમિયાન જગત જનની જગદંબાની આરાધના પૂજા અને સાધના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે. જેથી ચૈત્રી નવરાત્રીમાં વાઘેશ્વરીના દર્શન કરીને જૂનાગઢ વાસીઓ આજે પણ અભિભૂત બની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.