ETV Bharat / city

Prabhas Tirth Kshetra: પ્રભાસ તીર્થના સુવર્ણ કાળ સમા સૂર્ય મંદિરોને પુનઃ સ્થાપન કરવા વડાપ્રધાનના આદેશથી કરાઇ શરૂઆત

author img

By

Published : Jan 14, 2022, 8:22 AM IST

Updated : Jan 14, 2022, 12:49 PM IST

Prabhas Tirth Kshetra : પ્રભાસ તીર્થના સુવર્ણ કાળ સમા સૂર્ય મંદિરોને પુનઃ સ્થાપન કરવા માંગ
Prabhas Tirth Kshetra : પ્રભાસ તીર્થના સુવર્ણ કાળ સમા સૂર્ય મંદિરોને પુનઃ સ્થાપન કરવા માંગ

સોમનાથ વેરાવળ નગરપાલિકાના સંયુક્ત પ્રમુખ પિયુષ ફોફંડીએ જૂનાગઢના પ્રભાસ તીર્થ ક્ષેત્રના (Prabhas Tirth Kshetra) સૂર્ય મંદિરોને પુનઃસ્થાપિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કરીને લખ્યું હતું, તેના ત્રણ દિવસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલ રાજ્યના પર્યટન અને પુરાતન વિભાગ દ્વારા કામ કરવાની શરૂઆત કરવામાં આવી છે.

જૂનાગઢ: પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં (Prabhas Tirth Kshetra) આવેલા 16 જેટલા સૂર્યમંદિરોને ફરીથી પુન: સ્થાપિત (Demand for restoration of Sun Temples) કરવાની સોમનાથ વેરાવળ નગરપાલિકાના સંયુક્ત પ્રમુખ પિયુષ ફોફંડીએ વડાપ્રધાન મોદીને માંગ કરી (Piyush Fofandi demanded Prime Minister Modi) છે.

Prabhas Tirth Kshetra : પ્રભાસ તીર્થના સુવર્ણ કાળ સમા સૂર્ય મંદિરોને પુનઃ સ્થાપન કરવા માંગ

પ્રભાસ તીર્થ ક્ષેત્ર (Prabhas Tirth Kshetra) જૂનાગઢથી શરૂ થઈને વંથલી, માધવપુર, તુલસીશ્યામ અને દેલવાડા સુધી વિસ્તરેલું જોવા મળતું હતું. આ તમામ વિસ્તારને પ્રભાસ તીર્થ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે.

16 જેટલા સૂર્ય મંદિરોને પુનઃસ્થાપિત કરવાની માંગ

પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં (Prabhas Tirth Kshetra) આવેલા 16 જેટલ સૂર્યમંદિરોને ફરીથી પુન: સ્થાપિત (Demand for restoration of Sun Temples) કરવાની સોમનાથ વેરાવળ નગરપાલિકાના સંયુક્ત પ્રમુખ પિયુષ ફોફંડીએ વડાપ્રધાન મોદીને માંગ કરી છે.

પ્રભાસ તીર્થક્ષેત્ર એક સમયે સૂર્ય મંદિરથી ઝળહળતું ક્ષેત્ર હતું

પ્રભાસ તીર્થ ક્ષેત્ર એક સમયે સૂર્ય મંદિરથી ઝળહળતું ક્ષેત્ર હતું. જેમાં 16 જેટલા સૂર્યમંદિરો અસ્તિત્વ ધરાવતા હતા જે પ્રભાસ ક્ષેત્રમાં આ ગૌરવવંતા ઇતિહાસ સાથે જોડાયેલા હતા, પરંતુ કાળક્રમે 16 પૈકીના 10 કરતાં વધુ સૂર્ય મંદિરો હાલ તેનું અસ્તિત્વ ગુમાવી ચૂક્યા છે જે સૂર્યમંદિરો હાલ હયાત છે તે પણ ખૂબ જીર્ણતાને આરે પહોંચી ગયા છે.

સૂર્ય મંદિરોને પુનઃસ્થાપિત કરવામાં આવે

સોમનાથ પાટણ નગરપાલિકાના સંયુક્ત પ્રમુખ પિયુષ ફોફંડીએ વડાપ્રધાન મોદીને પ્રભાસ તીર્થ ક્ષેત્રના સૂર્ય મંદિરોને પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરી છે. પિયુષ ફોફંડીની માંગ પર રાજ્યના પર્યટન અને પુરાતન વિભાગ દ્વારા પણ કામ કરવાની શરૂઆત કરાઈ છે.

પ્રભાસ તીર્થ ક્ષેત્ર સૂર્યમંદિરોના સુવર્ણ ઇતિહાસ

પ્રભાસ તીર્થ ક્ષેત્ર જૂનાગઢથી શરૂ થઈને વંથલી માધવપુર તુલસીશ્યામ અને દેલવાડા સુધી વિસ્તરેલું જોવા મળતું હતું. આ તમામ વિસ્તારને પ્રભાસ તીર્થ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે.
સ્કંધપુરાણમાં પ્રભાસ તીર્થ ક્ષેત્રનો ઉલ્લેખ

સ્કંધપુરાણમાં પણ પ્રભાસ તીર્થ ક્ષેત્રનો ઉલ્લેખ કરાયો છે તે મુજબ આઠમા ખંડમાં પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા ૧૬ જેટલા સૂર્યમંદિરોનો ઇતિહાસ આજે પણ જોવા મળે છે જે પૈકીના 11 સૂર્યમંદિર પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂક્યા છે અને જે 5 સૂર્યમંદિરો હાલ હયાત છે તે પણ જીર્ણતાને આરે પહોંચી ગયા છે.

મકરસંક્રાંતિનું પર્વ સૂર્યની ઉપાસના અને પૂજાનું પ્રર્વ

મકરસંક્રાંતિનું પર્વ સૂર્યની ઉપાસના અને પૂજાનું પ્રર્વ છે, ત્યારે આવા સમયે સૂર્ય મંદિરોનો ઝળહળતો ઇતિહાસ ધરાવતો પ્રભાસ તીર્થક્ષેત્ર આજે સૂર્ય મંદિરો અશ્મિભૂત થયેલા છે તેનુ પુનઃ ઉત્થાન થાય તે માટે વડાપ્રધાન મોદીને વિનંતી કરવામાં આવી છે.

પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા સૂર્ય મંદિરો

1 સામ્બાદિવ્ય સોમનાથ ઉત્તરે હાલ અહી મ્યુઝિયમ છે

2 સાગરાદિત્ય ત્રિવેણી માર્ગ પર હાલ હયાત છે

3 ગોપાદિત્ય રામપુરથી ઉતરી જતાં હાલ અશ્મિભૂત માનવામાં આવે છે

4 ચિત્રાદિત્ય બ્રહ્મકુંડ પાસે હાલ અશ્મિભૂત માનવામાં આવે છે

5 રાજ ભટ્ટાક સાવિત્રી પાસે હાલ અસ્મિભુત માનવામાં આવે છે

6 નાગરાદિત્ય નદી તટ પાસે હાલ હયાત જોવા મળે છે

7 નંદાદિત્ય નગર ઉત્તરે કનકાઈ માર્ગ પર હાલ અશ્મિભૂત

8 કંકોટ કાક શશી ભૂષણ હાલ અશ્મિભૂત

9 દુર્વા આદિત્ય યાદવ સ્થળી હાલ અશ્મિભૂત

10 મુળ સૂર્યમંદિર સુત્રાપાડા હાલ કાર્યરત

11 પર્ણાદિત ભીમદેવળ હાલ કાર્યરત

12 બાલાર્ક પ્રાચી નજીક અશ્મિભૂત

13 આદિત્ય ઉંબા પાસે મકલ ખોરાસા પાસે અશ્મિભૂત

14 મકલ હાલ ખોરાસા પાસે હાલ અશ્મિભૂત

15 બકુલાદિત્ય દેલવાડા ઉના વચ્ચે હાલ અશ્મિભૂત

16 નારદાતિયુ ઉના પાસે હાલ અશ્મિભૂત

આ પણ વાંચો:

સોમનાથમાં જર્જરીત હાલમાં સૂર્યમંદિર મળી આવ્યું

સોમનાથ તીર્થ ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટનું વડાપ્રધાન કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ

Last Updated :Jan 14, 2022, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.