ETV Bharat / city

Omicron Recovered patients in Gujarat : જામનગરના પ્રથમ ઓમિક્રોન દર્દી સહિત ત્રણેય સ્વસ્થ થઇ ઘેર ગયાં

author img

By

Published : Dec 17, 2021, 12:56 PM IST

Updated : Dec 17, 2021, 6:51 PM IST

Omicron update in Gujarat : જામનગરના પ્રથમ ઓમિક્રોન દર્દી સહિત ત્રણેય સ્વસ્થ થઇ ઘેર ગયાં
Omicron update in Gujarat : જામનગરના પ્રથમ ઓમિક્રોન દર્દી સહિત ત્રણેય સ્વસ્થ થઇ ઘેર ગયાં

15 દિવસ પછી ગુજરાતના સૌપ્રથમ ઓમિક્રોન વેરિયન્ટના વૃદ્ધ દર્દીને આજે રિલાયન્સ હોસ્પિટલમાંથી રજા (Omicron Recovered patients in Gujarat ) આપવામાં આવી છે. એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓ ઓમિક્રોન સંક્રમિત થયા હતાં. જેઓ સ્વસ્થ થતાં પોતાના ઘેર પરત ફર્યાં છે.

જામનગરઃ ઓમીક્રોન સંક્રમિતના પરિવારના ત્રણે દર્દીને રજા આપવામાં (Omicron update in Gujarat) આવી હતાં. વૃદ્ધને મળવા આવેલાા સાળી અને બનેવી પણ સંક્રમિત થયાં હતા. ત્રણેય દર્દીઓને સારવાર અર્થે જામનગરમાં રિલાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં છેલ્લા પંદર દિવસથી ત્રણ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આજ રોજ ત્રણેય દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવતા તેમણે હોસ્પિટલમાંથી રજા અપાઈ છે જે જામનગર માટે ખુશીના સમાચાર (Omicron update in Jamnagar) છે.

સંપર્કમાં આવેલા તમામ 90 લોકોના ટેસ્ટ કરાયાં હતાં

વૃદ્ધ કોરોનાગ્રસ્ત થતાં તેમના સંપર્કમાં (Omicron update in Jamnagar)આવેલા 90 જેટલા લોકોના પણ કોરોના ટેસ્ટ કરવામાં (Omicron update in Gujarat) આવ્યા હતાં ઉલ્લેખનીય છે કે વૃદ્ધ અને ચાઈનીઝ રસીના ડોઝ પણ આપવામાં આવ્યા હતાં. આફ્રિકન કન્ટ્રીમાંથી આવેલા વૃદ્ધને કોરોના પોઝિટિવ રિપોર્ટ (Omicron Patients in India) આવ્યો હતો અને બાદમાં સેમ્પલ પોઝિટિવ રિપોર્ટ આવતા ગુજરાતનો પ્રથમ ઓમીક્રોન કેસ (Omicron update in Jamnagar) બન્યો હતો.

નો઼ડલ ઓફિસરે માહિતી આપી

nodal officer સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે ઓમીક્રોનના વૃદ્ધ દર્દીને તમામ પ્રકારની હોસ્પિટલમાં સારવાર (omicron patients in india) આપવામાં આવી હતી. નિષ્ણાત ડોક્ટરની દેખરેખ નીચે આ વૃદ્ધ દર્દી સ્વસ્થ (Omicron update in Jamnagar) થયા છે. ત્રણે દર્દીઓની સ્થિતિ હવે (Omicron update in Gujarat) સામાન્ય છે.

ઓમિક્રોન દર્દીને લઇ જામનગર તંત્રને માટે સારા સમાચાર

ક્યારે બન્યો હતો કેસ

ડિસેમ્બરની શરુઆતમાં આફ્રિકાના ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા 62 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Africa Returnee Tests Covid Positive In Gujarat) આવ્યો હતો.તેમના કોરોના લક્ષણો શંકાસ્પદ જણાતા પૂણેની લેબોરેટરીમાં સેમ્પલનું પરીક્ષણ કરવા મોકલાયા હતા. પૂણે લેબોરેટરીમાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવતા ઓમિક્રોનની પુષ્ટી (Jamnagar man found infected with Omicron variant ) થઈ હતી. આ સાથે રાજ્યનો પ્રથમ ઓમિક્રોન કેસ બની ગયો હતો. આ દર્દીને જામનગરની જ કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી.. આ દર્દી જામનગરના મોરકન્ડા ગામના રહીશ (Omicron First Case in Jamnagar)છે. વૃદ્ધની સારવાર દરમિયાન નોડલ ઓફિસર દ્વારા આપવામાં આવેલા અપડેટ મુજબ તેમના સ્વાસ્થ્ય અંગે સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના આ પહેલા દર્દી આફ્રિકાથી આવ્યાં બાદ તેમના સંપર્કમાં 90 લોકો આવ્યાં હતાં. જેમનું કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ લક્ષણો જણાયાં હતાં તેઓના સેમ્પલ રીપોર્ટ પણ તપાસ માટે મોકલાયાં હતાં. જેમાં દર્દીના પત્ની અને સાળા પણ ઓમિક્રોન પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ સતર્ક બનેલા તંત્રે આ ત્રણેય દર્દીની તમામ સારવાર અને રીપોર્ટ્સ પર નજર રાખી હતી અને આઇસોલેશનમાં રાખીને વખતોવખત મોનિટરિંગ ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે ઓમિક્રોનના પ્રથમ દર્દી (Omicron First Case in Jamnagar) તેમના પત્ની અને સાળા એમ ત્રણેયને સ્વસ્થ થતાં રજા (Omicron Recovered patients in Gujarat) આપવામાં આવી હતી.

ગુજરાતમાં ઓમિક્રોનની સ્થિતિ

જામનગરમાં નોંધાયેલા ઓમિક્રોનના આ 3 કેસ સહિત ગુજરાતમાં કુલ 5 ઓમિક્રોન પોઝિટિવ કેસો (Omicron patients in Gujarat ) અત્યાર સુધીમાં નોંધાયા છે.. જેમાં એક કેસ મહેસાણાના વિજાપુરના પિલવાઈમાં હેલ્થ વર્કરનો નોંધાયો હતો. આ મહિલા હેલ્થ વર્કર કોરોના પોઝિટિવ દર્દીના રીલેટિવ છે અને તેમના સંપર્કમાં આવ્યાં હતાં. ઉત્તર ગુજરાતમાં નોંધાયેલો આ પહેલો ઓમિક્રોન કેસ છે. તેમને આઈસોલેટ કરવા સાથે સલામતીના ભાગરુપે સોસાયટીના 10 ઘર સહિત તે વિસ્તારની અવરજવર નિયંત્રિત કરવામાં આવી છે. આ ઉપરાંત સુરતમાં ચારેક દિવસ પહેલાં એક હીરાવેપારીનો શંકાસ્પદ ઓમિક્રોન કેસ નોંધાયો છે. સુરતમાં એક સપ્તાહ પહેલાં તે વેપારી સાઉથ આફ્રિકાથી પરત (Africa Returnee Tests Covid Positive In Gujarat) આવ્યા બાદ ત્રીજીવાર કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે બાદમાં ઓમિક્રોન વેરિયેન્ટ હોવાનું સામે આવ્યું હતું.. અગાઉના પ્રવાસી ભારત પરત ફરતાં સમયે દિલ્હીમાં પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બાદમાં અમદાવાદમાં પણ તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

દેશમાં ઓમિક્રોનની સ્થિતિ

દેશમાં કોવિડ -19ની સ્થિતિ અંગે આજે આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે દેશના 11 રાજ્યોમાં થઈને કુલ 101 ઓમિક્રોન કેસ (omicron patients in india) નોંધાયા છે. સાથે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે કોરોનાનો આ નવો વેરિઅન્ટ આવનારા દિવસોમાં ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાન લઈ શકે છે. વિશ્વના 91 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા હતા. આ પહેલાં WHO દ્વારા જણાવાયું હતું કેે ઓમિક્રોન દક્ષિણ આફ્રિકામાં ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યાં ડેલ્ટાના ઓછા કેસ હતાં. એવી શક્યતા છે કે ઓમિક્રોન ડેલ્ટા વર્ઝનને પાછળ છોડી દેશે. દેશમાં છેલ્લા 20 દિવસથી રોજના 10,000થી ઓછા નવા કેસ (Corona Update in India) નોંધાયા છે. છેલ્લા 1 સપ્તાહમાં કેસ પોઝિટિવિટી 0.65 ટકા હતી.દરમિયાન દેશમાં કોરોનાના સક્રિય કેસોની કુલ સંખ્યામાં કેરળમાં સૌથી વધુ ફાળો 40.31 ટકા દર્દી છે.

આ પણ વાંચોઃ Omicron Update in Gujarat : પિલવાઈના આશાવર્કર બહેન ઓમીક્રોન પોઝિટિવ, ઝિમ્બામ્બેથી આવેલા સંબંધીના સંપર્કમાં આવ્યાં હતાં

આ પણ વાંચોઃ Omicron Update in Jamnagar : જામનગરમાં ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 3 કેસની પુષ્ટિ થઇ

Last Updated :Dec 17, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.