ETV Bharat / city

Dhrol Shaurya Katha 2021 : શૌર્યકથામાં CM ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત, જાણો ભૂચર મોરી યુદ્ધની કહાની

author img

By

Published : Dec 24, 2021, 7:36 PM IST

મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઇ પટેલ આગામી સોમવારે ભૂચર મોરી- ધ્રોલ ખાતે રાજપૂત સમાજ દ્વારા આયોજિત શૌર્યકથામાં (Dhrol Shaurya Katha 2021) ઉપસ્થિત રહેવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિખ્યાત ભૂચર મોરીના મેદાન (Story of the Bhuchar Mori Ground War) ખાતે શૌર્યકથાનો પ્રારંભ થવાનો છે.

Dhrol Shaurya Katha 2021 : શૌર્યકથામાં CM ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત, જાણો ભૂચર મોરી યુદ્ધની કહાની
Dhrol Shaurya Katha 2021 : શૌર્યકથામાં CM ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત, જાણો ભૂચર મોરી યુદ્ધની કહાની

જામનગર : સમગ્ર દેશમાં પ્રથમ વખત ધ્રોલ ખાતે ભૂચર મોરીના મેદાનમાં શૌર્યકથાનું આયોજન (Dhrol Shaurya Katha 2021) કરવામાં આવ્યું છે. ભૂચર મોરીના મેદાનમાં કુલ 7 દિવસ સુધી ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આશરા ધર્મ ખાતર જામનગરના રાજવીએ મુસ્લિમ શાસકો સામે ભૂચર મોરી મેદાન ખાતે યુદ્ધ (Story of the Bhuchar Mori Ground War) કર્યું હતું. આ યુદ્ધમાં અનેક નવલોહિયા યુવકોના મોત નિપજયા હતાં. જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ શૌર્યકથામાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી આ કથામાં જોડાય તેવી શક્યતા છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ મુખ્ય મહેમાન તરીકે તારીખ 27 ના રોજ ભૂચર મોરી યુદ્ધ મેદાન ખાતે ઉપસ્થિત રહેશે.

ધ્રોલના ભૂચર મોરી મેદાનમાં યુદ્ધ બલિદાન દેનાર શૂરવીરોના પાળીયા આજે પણ છે

સૌરાષ્ટ્રના પાણીપત તરીકે જાણીતું છે યુદ્ધ

જામનગર જિલ્લાના ધ્રોલ નગરથી 2 કિલોમીટરના અંતરે ભૂચર મોરીની ધરા પર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઈતિહાસનું સૌથી ભયંકર યુદ્ધ ખેલાયું (Story of the Bhuchar Mori Ground War) હતું. જેને ઈતિહાસકારોએ સૌરાષ્ટ્રના પાણીપત તરીકે ઉપમા આપી છે. શરણે આવેલા એક મુસ્લિમની રક્ષા માટે મેદાન લોહીથી રંગાઈ ગયું હતું. 500 વર્ષ પહેલા રણમેદાનમાં અભુતપુર્વ સંગ્રામ ખેલાયો હતો, જેમાં કુંવર અજાજી અને હજારો નરબંકાઓએ બલિદાન આપ્યાં હતાં.

પાંચસો વર્ષ પહેલા ભૂચર મોરીના મેદાનમાં ખેલાયો હતો લોહિયાળ જંગ

આજથી પાંચસો વર્ષ પહેલા ભૂચર મોરીના મેદાનમાં ખેલાયો હતો (Story of the Bhuchar Mori Ground War) લોહિયાળ જંગ. રાજ ધર્મ અને આશરા ધર્મના પાલન માટે ક્ષત્રિય રાજવી હાલાજી અકબર બાદશાહ સામે ભીષણ યુદ્ધે ચડ્યા હતાં. આ રણ સંગ્રામમાં જામનગરના કુંવર અજાજી પોતાના પ્રાણોની આહૂતિ આપી હતી. આ યુદ્ધમાં હજારો નવજુવાનિયા ક્ષત્રિયોએ પણ જીવસટોસટની લડાઇ લડી પોતાના પ્રાણ ત્યાગ્યાં હતાં. આશરે આવેલા અમદાવાદના મુસ્લિમ મુઝ્ફર શાહનું રક્ષણ કર્યું હતું. આ યુદ્ધ એટલું ભયંકર અને ભયાનક હતું કે જેને ગુજરાતનું પાણીપત પણ કહેવામાં આવે છે.

બાદશાહ મુઝફર શાહ આવ્યો સૌરાષ્ટ્રના રાજવીના શરણે

વિક્રમ સંવત 1629નો એ દિવસ. દિલ્હીમાં ગાદી પર બિરાજતા અકબર બાદશાહે ગુજરાતનાં છેલ્લા બાદશાહ મુઝફર શાહ ત્રીજાને હરાવી તેનું રાજ્ય કબજે (Story of the Bhuchar Mori Ground War) કરી લીધું. અકબરે મુઝફર શાહને કેદ કરી દિલ્હી લઇ ગયો. મુઝફર શાહ અકબરની કાળી કોટડીમાં બંધ હતો. પણ અકબર બાદશાહની લોખંડી કેદ તોડીને મુઝફર શાહ ભાગી છૂટ્યો. અકબરને ખબર મળ્યા કે મુઝફર શાહ ભાગી છૂટ્યો છે. તો તેણે પોતાનું આખુય લશ્કર મુઝફરને પકડવા માટે પાછળ દોડાવ્યું. પણ મુઝફર શાહ બચતો ફરતો હતો અને અકબરની સેનાને થાપ આપતો હતો.

અકબરની આવડી મોટી સેના પાછળ પડી હોય અને બચવું કંઈ સહેલું ન હતું. મુઝફર શાહ રણઝળપાટ કરતા ગુજરાતના અનેક રાજાઓના શરણે ગયો. પણ કોઈએ આશરો ન આપ્યો. છેવટે મુઝફરશાહ જામનગરના રાજવી જામસતાજીના શરણે આવ્યો. શરણાગતનું રક્ષણ કરવું તે ક્ષત્રિયનો ધર્મ છે. જામસતાજીએ મુઝફર શાહને શરણ આપ્યું.

આ પણ વાંચોઃ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર યુદ્ધ વિમાનોની ગર્જના, PM મોદી સામે વાયુસેનાએ બતાવ્યું શૌર્ય

જામનગરના રાજવી જામસતાજીએ આપ્યું શરણ

એક તરફ મુઝફર શાહને જામસતાજી જેવા સાહસિક રાજાનું શરણ મળી ગયું હતું. બીજી તરફ દિલ્લીના બાદશાહના સિપાહીઓ મુઝફરને શોધવા માટે ગામે ગામે ખૂંદી રહ્યા હતા. ત્યાં અમદાવાદમાં અકબરના સુબા મુરઝા અઝીઝને જાણ થઈ કે જામસતાજીએ મુઝફરને (Story of the Bhuchar Mori Ground War) આશરો આપ્યો છે. ત્યારબાદ તાબડતોબ અકબરે પોતાનું લશ્કર જામનગર તરફ મોકલ્યું અને જામસતાજીને ફરમાન કર્યું કે મુઝફર શાહ અમને સોંપી દો. પણ પોતાના આશરે આવેલાનું રક્ષણ ન કરે તો તે ક્ષત્રિય શેનો ?

ભૂચર મોરીના મેદાનમાં જામ્યું યુદ્ધ

જામસતાજીએ દિલ્હીના બાદશાહને જવાબ મોકલ્યો કે શરણાગતને કાઢી મુકવો તે ક્ષત્રિયોનો ધર્મ નથી. જામસતાજીનો આ જવાબ સાંભળીને બાદશાહ અને તેનાં હાકેમો ક્રોધથી લાલચોળ થઇ ગયા. અને ત્યારબાદ ભિષણ યુદ્ધના (Story of the Bhuchar Mori Ground War) મંડાણ થયા. ધ્રોલ પાસે ભુચરમોરીના મેદાનમાં અકબરની સેના અને જામસતાજીની સેના બાથ ભીડવા માંડી. ક્ષત્રિયોની શૌર્ય શક્તિ સામે બાદશાહે નતમસ્તક થવું પડ્યું હતું અને મંત્રણા માટે આજીજી કરવી પડી હતી.

જૂનાગઢના નવાબ દોલતખાન પહેલાએ જામસતાજીને કર્યો સપોર્ટ

પણ પેલી કહેવત છે ને ઘર કા ભેદી લંકા ઢાએ. જૂનાગઢના નવાબ દોલતખાન પહેલા તો જામસતાજીને સપોર્ટ કર્યો હતો પણ બાદમાં એના મનમાં એવુ થયું કે પોતાનું વર્ચસ્વ ઓછુ થઈ જશે તો તેણે બાદશાહની સેનાને સપોર્ટ કર્યો. ફરી યુદ્ધ થયું. ક્ષત્રિયોએ ફરી પોતાનું શૌર્ય (Story of the Bhuchar Mori Ground War) બતાવ્યું. બાદશાહની સેના ટપોટપ મરવા લાગી. સતત ત્રણ પ્રહર આ યુદ્ધ ચાલ્યુ હોવાનું ઇતિહાસમાં લખાયું છે. દિલ્હીના લશ્કરમાં એક લાખ સૈનિકો હતાં.

આ પણ વાંચોઃ ધ્રોલના ભૂચર મોરીમાં 2300 રાજપુતાણીઓએ તલવાર રાસ રમી રચ્યો વર્લ્ડ રેકોર્ડ

મોગલ સિપાહીના તલવારના ઘાથી કુંવર અજાજી શહીદ થયાં

તો સામી બાજુ જામસતાજીનુ સૈન્ય પ્રમાણમાં નાનું હતું. પરંતુ ક્ષત્રિયોનું શૌર્ય અપ્રતિમ હતું. અજાજીએ દુશ્મનના સૂબા પર ખુંખાર હૂમલો (Story of the Bhuchar Mori Ground War) કર્યો. સુબો હાથી પર સવાર હતો. જ્યારે અજાજી ઘોડા પર હતા. ઘોડા પર સવાર અજાજીએ કૂદકો મારીને સુબા પર બરછીથી હુમલો કર્યો પણ સુબો બચી ગયો. બરછી હાથીની આરપાર થઈ ગઈ. પરંતુ બરાબર તે જ સમયે એક મોગલ સિપાહીના તલવારના ઘાથી કુંવર અજાજી શહીદ થયાં.

અઢીસો વર્ષ સુધી લોકોએ ન ઉજવી સાતમ

ભુચર મોરીના આ મેદાનમાં વિક્રમ સવંત 1648માં હાલારી શ્રાવણ વદ સાતમના રોજ આ લડાઇ (Story of the Bhuchar Mori Ground War) થઇ હતી અને જામનગરના નરબંકાઓએ ક્ષત્રિય ધર્મ માટે શહીદી વ્હોરી હતી. જેથી જામનગરમાં આશરે અઢીસો વર્ષ સુધી લોકો સાતમનો તહેવાર ઉજવતા ન હતાં. હજારો શહીદોએ પોતાના જીવ દીધા અને લડાઇમાં લોહીની જાણે નદીઓ વહી હોય તેમ ભુચર મોરીની ધરતી આજે પણ લાલ અને રતાશ પડતી લાગે છે. ભુચર મોરીની ધાર એક માઇલ લાંબી છે.આજે ત્યાં જામશ્રી અજાજીની દેરી છે અને ક્ષત્રિય નરબંકાઓના પાળીયા છે. આવી કથાઓ યુવા પેઢીને સંભળાવી ઐતિહાસિક વારસો ઉજાગર કરવાનો પ્રયાસ ભૂચર મોરી મેદાનમાં (Dhrol Shaurya Katha 2021) શૌર્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.