ETV Bharat / city

A Family Missing In Jamnagar : આખા નિમાવત પરિવાર ગુમ મામલે વ્યાજખોરોની શંકા જતાવાઈ

author img

By

Published : Mar 21, 2022, 2:45 PM IST

જામનગર શહેરમાં રહસ્યમય ઘટના સામે આવી છે. નિમાવત પરિવારના પાંચ સભ્યો 7 દિવસથી (A Family Missing In Jamnagar)ગુમ છે. એક આખો પરિવાર ગુમ (Nimawat family missing)થયાની જાણ સિટી સી ડીવીઝન પોલીસ મથકમાં થતાં શોધખોળ શરુ (Jamnagar Police Search Operation)કરવામાં આવી હતી.

A Family Missing In Jamnagar : આખા નિમાવત પરિવાર ગુમ મામલે વ્યાજખોરોની શંકા જતાવાઈ
A Family Missing In Jamnagar : આખા નિમાવત પરિવાર ગુમ મામલે વ્યાજખોરોની શંકા જતાવાઈ

જામનગર- કોઈ પરિવારના એકાદ વ્યક્તિ ગુમ થાય Missing Persons in Gujarat અને તે ફરી મળી આવે તેવું કેટલીય વખત સામે આવે છે, પણ જામનગર શહેરમાં વસવાટ કરતો એક આખો પરિવાર ગુમ (A Family Missing In Jamnagar)થયાની જાહેરાત સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં થઇ હતી. પોલીસ આ પરિવારના પાંચેય સભ્યો ક્યા સંજોગોમાં ગુમ થયાં, ક્યા ગયાં સહિતની બાબતોને કેન્દ્રમાં રાખી અને પરિવારના સભ્યોની શોધખોળ (Jamnagar Police Search Operation)આદરી છે.

નિમાવત પરિવારના મિત્રોએ વિગતો આપી હતી

આ પરિવાર ગુમ - જામનગર સિટી સી ડીવીઝન પોલીસ મથકના ગુમ રજીસ્ટર નંબર-21/2022 તા.13/2/2022 માં જણાવાયા મુજબ ગુમ થનાર અરવિંદભાઇ હેમતભાઇ નિમાવત ઉ.વ.-52 ધંધો-હોટેલ, તેમના પત્ની શિલ્પાબેન અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-45 ઉ.વ.-45 દીકરી કીરણબેન અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-26, રણજીત અરવિંદભાઇ નિમાવત ઉ.વ.24 અને કરણ અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-22 રહે ગોકુલનગર રડાર રોડ નવાનગર શેરી ન 5 મોબાઇલ પાનવાળી શેરી પ્રફુલભાઇ સવાણીના મકાનમાં જે ગત તા.11/03/2022ના કોઇ પણ સમયે પોતાના ઘરેથી નીકળી (Nimawat family missing)ગયેલા છે. તેઓ હજુ સુધી મળી આવ્યા ન હોઇ (A Family Missing In Jamnagar)મળી આવે તો સિટી સી ડીવીઝન જામનગર અથવા પોલીસ કંટ્રોલ રૂમ જામનગરનો સંપર્ક કરવા અનુરોધ (Jamnagar Police Search Operation)કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ કરી આત્મહત્યા

પરિવાર વ્યાજખોરોની વિષચક્રમાં ફસાવાની શંકા - અરવિંદભાઈ નિમાવત હોટલના ધંધા સાથે સંકળાયેલા હતાં. જો કે રહસ્યમય રીતે આખો પરિવાર ગુમ થતાં પોલીસે વિવિધ દિશામાં પરિવારની શોધખોળ શરૂ (Jamnagar Police Search Operation)કરી છે જોકે હજુ સુધી કોઇ ભાળ (A Family Missing In Jamnagar)મળી નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ પરિવાર પાડોશીને કહ્યા વિના જ નીકળી ગયો છે. જોકે ક્યાં ગયો તે પોલીસ તપાસનો વિષય બન્યો છે. ત્યારે એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે ગુમ થયેલો પરિવાર(Nimawat family missing) વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈ ગયો હોઇ શકે.

ગુમ થનાર નિમાવત પરિવાર
ગુમ થનાર નિમાવત પરિવાર

મિત્રએ જણાવી વિગતો - ગુમ થયેલા પરિવારના (Nimawat family missing) અરવિંદભાઈ નિમાવત નામના મિત્રએ સમગ્ર વિગત (A Family Missing In Jamnagar)જણાવી છે. પ્રવીણભાઈ નાના ભાઈએ જામનગર સિટી સી ડિવિઝનમાં ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે જે અનુસંધાને પોલીસે તપાસ (Jamnagar Police Search Operation)શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Girl Missing In Surat: સુરતમાં ગુમ થયેલી 2 વર્ષની બાળકી 15 કલાક બાદ હેમખેમ મળી આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.