જામનગર જિલ્લાનાં ગામડાઓમાં એક જ દિવસમાં 17,102 લોકોને અપાઇ વેક્સિન

author img

By

Published : Nov 28, 2021, 8:27 PM IST

જામનગર જિલ્લાનાં ગામડાઓમાં એક જ દિવસમાં 17,102 લોકોને અપાઇ વેક્સિન
જામનગર જિલ્લાનાં ગામડાઓમાં એક જ દિવસમાં 17,102 લોકોને અપાઇ વેક્સિન ()

જામનગર જિલ્લામાં ચેપી અને જીવલેણ કોરોના વાયરસ(Corona virus) સામે લોકોને રક્ષણ આપવા કોરોના પ્રતિરોધક રસિકરણ ઝુંબેશ(Vaccination campaign)ને વેગવતું બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેવા સંજોગો વચ્ચે જામનગર જિલ્લામાં 'હર ઘર દસ્તક' ઝુંબેશ('Har Ghar Dastak' campaign) અંતર્ગત આરોગ્ય તંત્રના(Health system) સહયોગથી એક જ દિવસમાં 17,102 જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

  • 'હર ઘર દસ્તક' ઝુંબેશ અંતર્ગત 17,102 લોકોને અપાઇ વેક્સિન
  • જિલ્લામાં ગામડાઓ ખૂંદી ઘરે ઘરે સર્વે કરવામાં આવ્યો હતો
  • 16,179 જેટલાં લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો
  • 923 લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

જામનગર: કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ(Department of Health and Family Welfare) દ્વારા કોરોના વાયરસ(Corona virus)ને અટકાવવા અને તમામ લોકોને વેક્સિનથી સજ્જ કરવા 'હર ઘર દસ્તક' ઝુંબેશ('Har Ghar Dastak' campaign) શરૂ કરાઇ છે. જે ઝુંબેશને પગલે સમગ્ર જામનગર જિલ્લા વહીવટી તંત્ર, નોડલ ઓફિસરો અને જિલ્લાની સમગ્ર આરોગ્ય ટીમની કાબીલેદાદ કામગીરીથી જામનગર જિલ્લામાં ગામડાઓ ખૂંદી ઘરે ઘરે સર્વે કરવામાં આવ્યો હતો.

17,102 લોકોને અપાઇ વેક્સિન

આ સર્વે દરમિયાન ગામડાઓમાં લોકોને સમજાવી અને વેક્સિન અંગે માર્ગદર્શન આપી કુલ 923 લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત મજૂર વર્ગ, વૃદ્ધ, અશક્ત લોકોનું કાઉન્સેલિંગ કરી 16,179 જેટલાં લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં 17,102 જેટલા લોકોને કોરોના મહામારી સામે વેક્સિનથી સજ્જ કરાયા હતાં.

આ પણ વાંચો : વિશ્વ સ્વાસ્થ સંગઠન દ્વારા 'ઓમીક્રોન'નું નામકરણ

આ પણ વાંચો : Corona in bhavnagar : ચોપડે કોરોનાથી મૃત્યુ ફક્ત 160-સહાય માટે આવ્યા 600 ફોર્મ, શું ખુલી રહી છે સરકારની પોલ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.