ETV Bharat / city

વાઈબ્રન્ટ મહોત્સવ : સરકારે ઉદ્યોગોને 120 દિવસની અંદર જમીન આપવાનો હુકમ કર્યો

author img

By

Published : Nov 10, 2021, 7:29 PM IST

વાઈબ્રન્ટ મહોત્સવ : સરકારે ઉદ્યોગોને 120 દિવસની અંદર જમીન આપવાનો હુકમ કર્યો
વાઈબ્રન્ટ મહોત્સવ : સરકારે ઉદ્યોગોને 120 દિવસની અંદર જમીન આપવાનો હુકમ કર્યો

રાજ્ય સરકારે જાન્યુઆરી વર્ષ 2022 માં યોજાનારા વાઇબ્રન્ટ સમિટ(Vibrant Summit)ને લઈને તૈયારીઓ શરૂ કરી છે. જેમાં રાજ્ય સરકારે ઉદ્યોગોને(Industries) લિસ્ટ કે ભાડેપટ્ટે જમીન (Land)આપવાના નિર્ણયમાં ઝડપ કરવા માટે એક મહત્વનો આદેશ પણ જાહેર કર્યો છે.જેમાં જમીન માંગનારા ઉદ્યોગ જૂથોને હવે માત્ર 120 દિવસની અંદર જમીન પ્રાપ્ત થશે હજુ જમીન નહીં મળે તો જે તે જિલ્લા કલેક્ટરે આ બાબતે વધુ તપાસ કરીને ચુકાદો આપવાનો રહેશે.

  • રાજ્ય સરકારનો ઉદ્યોગો માટે મહત્વનો નિર્ણય
  • વાઈબ્રન્ટ મહોત્સવ અંતર્ગત ઉદ્યોગો માટે કરાયો નિર્ણય
  • ઉદ્યોગોને આપવામાં આવતી જમીન હવે 120 દિવસમાં મળશે


ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણ ને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે વર્ષ એક 2021 માં યોજાનાર ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવને (Gujarat Vibrant Festival)મોકુફ રાખવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ગુજરાતમાં પણ કોરોના સંક્રમણનો(Corona transition) આંક ઓછો છે ત્યારે રાજ્ય સરકારે જાન્યુઆરી વર્ષ 2022 માં યોજાનારા વાઇબ્રન્ટ સમિટને(Vibrant Summit) લઈને તૈયારીઓ શરૂ કરી છે. જેમાં રાજ્ય સરકારે ઉદ્યોગોને લિસ્ટ કે ભાડેપટ્ટે જમીન (Land) આપવાના નિર્ણયમાં ઝડપ કરવા માટે એક મહત્વનો આદેશ પણ જાહેર કર્યો છે.

ગુજરાતમાં ઉદ્યોગો લાવવા માટે મહત્વનો નિર્ણય

કોઈપણ રાજ્ય સરકાર અંતર્ગત ઉદ્યોગો માટે જમીન લેવા માટે છ મહિના જેટલો સમયગાળો વીતી જતો હોય છે પરંતુ હવે ગુજરાત રાજ્યમાં ઉદ્યોગકારોને (Entrepreneurs in the state)ઉદ્યોગ માટે જમીન લેવા માટેનો સમયગાળો ખૂબ જ ઓછો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ સમિટમાં નવા ઉદ્યોગકારો ગુજરાતમાં આવે અને સરળતાથી ઉદ્યોગની સ્થાપના કરે તેને ધ્યાનમાં લઇને રાજ્યના મહેસૂલ વિભાગે ઉદ્યોગોને લિસ્ટ કે ભાડાપટ્ટે જમીન આપવાના નિર્ણયને માં ઝડપ કરવાનો આદેશ જાહેર કર્યો છે. જેમાં જમીન માંગનારા ઉદ્યોગ જૂથોને હવે માત્ર 120 દિવસની અંદર જ જમીન પ્રાપ્ત થશે હજુ જમીન નહીં મળે તો જે તે જિલ્લા કલેક્ટરે આ બાબતે વધુ તપાસ કરીને ચુકાદો આપવાનો રહેશે.

120 દિવસમાં થશે નિર્ણય

રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે કોઈપણ ઉદ્યોગકારો અથવા તો ઉદ્યોગકારોના જૂથો દ્વારા રાજ્ય સરકાર અથવા તો જે તે જિલ્લા કલેકટર ખાતે કરેલ અરજીના 120 દિવસની અંદર જિલ્લા કલેક્ટરે આ અરજીનો નિકાલ કરવાનો રહેશે અને જમીનની ફાળવણી કરવાની રહેશે. આમ 120 દિવસની અંદર તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને જમીનની ફાળવણી કરવાની રહેશે અને જો જમીનની ફાળવણી થઈ ન શકતી હોય તો કયા કારણોથી જમીનની ફાળવણી નથી થઈ તે પણ જે તે કલેક્ટર એક ખુલાસો કરવો પડશે જ્યારે જમીન ફાળવણી થયાના 3 વર્ષની અંદર ઉદ્યોગકારોએ ઉત્પાદન પણ શરૂ કરવાની શરત પણ રાખવામાં આવી છે.

સરકારી પડતર જમીન માટે આ આદેશ ખાસ કરવામાં આવ્યો

રાજ્ય સરકારે પરિપત્રની જાહેરાત કરી છે. પરંતુ ભૂતકાળમાં ઉદ્યોગકારોને જમીન મેળવવા માટે કેવી પ્રક્રિયા કરવાની રહેતી હતી તે બાબતની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જ ઉદ્યોગ જૂથો જમીનની માંગણી કરતા હોય છે અને પછી તે ફાઇલ મહેસૂલ વિભાગમાં જતી હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં ઉદ્યોગ જૂથોને જમીન આપવાનો નિર્ણય તો થઈ ચૂક્યો હોય છે. પરંતુ મહેસૂલની જટિલ પ્રક્રિયામાંથી ઉદ્યોગ જૂથો અટવાઇ જતાં હોય છે અને દરખાસ્તના બે વર્ષ પછી પણ જમીન પ્રાપ્ત થતી નથી જોકે સરકારી પડતર જમીન માટે આ આદેશ ખાસ કરવામાં આવ્યો છે.

સરકારે ફક્ત પડતર અને ખરાબાની જમીન મુદ્દે લીધો નિર્ણય

સરકારે અત્યારે ફક્ત સરકારી પડતર અને ખરાબા વાળી જમીન અંગેનો જ નિર્ણય લીધો છે. જ્યારે જંગલની જમીન કે ગૌચરની જમીન અંગે હજુ પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. આમ જમીન આપવાની પ્રક્રિયામાં 15 દિવસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કલેકટરને ભલામણ કરશે 45 દિવસમાં કલેકટર મહેસૂલ વિભાગમાં દરખાસ્ત કરશે ત્યારબાદ 30 દિવસમાં મહેસુલ વિભાગ સરકારમાં મંજૂરી માટે દરખાસ્ત મોકલશે અને પંદર દિવસમાં મંજૂરી મળ્યા પછી કલેક્ટરે અરજદારને જાણ કરી ભાડું વેરા ભરવા માટે માહિતગાર કરશે અને ત્યારબાદ 15 દિવસમાં અરજદાર તરફથી આ રકમ ભરપાઈ થયા પછી કલેકટર ભાડાપટ્ટે ફાળવણીનો હુકમ કરી જે તે જમીન જે તે ઉદ્યોગ જૂથને સોપશે. સરકાર દ્વારા ઉદ્યોગકારોને ભાડાપટ્ટે અને લીઝ ઉપર જમીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે દરની વાત કરવામાં આવે તો સરકારમાં ભાડાપટ્ટે ફાળવવામાં આવનારી પડતર જમીન નું વાર્ષિક ભાડું બજાર કિંમતના 6 ટકાના દરે ક વસૂલ કરવામાં આવશે જેમાં દર 5 વર્ષે 10 ટકા ભાડામાં વધારો કરવામાં આવશે.

આ પણ વાંચોઃ 5 મનપા વિસ્તાર અને 16,901 ગામમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ

આ પણ વાંચોઃ પંજાબમાં કેજરીવાલને ઝટકો, રૂપિન્દર કૌરએ કૉંગ્રેસનો હાથ પકડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.