ETV Bharat / city

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 પોઝિટિવ કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહીં

author img

By

Published : Jul 25, 2021, 10:41 PM IST

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 પોઝિટિવ કેસ નોંધાયા

આરોગ્ય વિભાગની યાદી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાય દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મહાનગર પાલિકામાં ટેસ્ટ પણ વધી રહ્યા છે, જેની સામે કેસો ઓછા થઈ રહ્યા છે. આજે રવિવારે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં આજે રવિવારે વધુ 42 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.

  • છેલ્લા 24 કલાકમાં 42 લોકો સ્વસ્થ થયા
  • રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા
  • છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે રવિવારે રાજ્યમાં 30 કેસ સામે આવ્યાં છે. આ જ સ્થિતિ રહી તો બની શકે છે કે આગામી સમયમાં 10 કે 20 કેસ જ નોંધાય. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી.

રાજ્યમાં એક્ટિવ કેસ 330 જ્યારે 325 સ્ટેબલ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે હાલ કુલ 330 એક્ટિવ કેસ છે. જેમાં 05 વેન્ટિલેટર પર અને 325 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,076 દર્દીના સારવાર દરમિયાન મોત નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,307 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો છે.

3,22,664 લોકોને વેક્સિન આપવામાં આવી

હેલ્થ વિભાગની યાદી જોવા જઈએ તો રાજ્યમાં આજે 25 જુલાઈના રોજ 3,22,664 વ્યક્તિને રસી આપવામાં આવી હતી. આજે ખાસ કરીને વેપારીઓ માટે વેક્સિન કેમ્પ રાજ્યભરમાં યોજવામાં આવ્યા હતા. વેપારીઓએ 31 જુલાઈ પહેલા વેક્સિન ફરજિયાત લેવી જરૂરી છે. જે હેતુથી આ આયોજન કરાયું હતું. આ ઉપરાંત 18 થી વધુ ઉંમરના 19,093ને પ્રથમ ડોઝ જ્યારે સેકન્ડ ડોઝ લેનારની સંખ્યા 17203 પર રહી હતી. આ ઉપરાંત હેલ્થ વર્કર, 45થી વધુ વયના લોકોને પણ રસી અપાઈ હતી. અત્યાર સુધી કુલ 3,16,30,281 લોકોને વેક્સિન અપાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.