ETV Bharat / city

અસામાજિક તત્વોને ડામવા ગૃહમાં થશે ખરડો પસાર, ગૃહપ્રધાન જાડેજાએ આજનો દિવસ ઐતિહાસિક ગણાવ્યો

author img

By

Published : Sep 22, 2020, 6:10 PM IST

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના બીજા દિવસે પાંચ અલગ-અલગ ખરડા પસાર કરવામાં આવનાર છે. જેમાં અસામાજિક તત્વો સામે કડક કાયદો બનાવવા માટે તેમજ તેની સામેના ખરડામાં સુધારો કરવાનો પ્રસ્તાવના રજૂ કરવામાં આવશે. જેને લઈ ગૃહપ્રધાને આજના દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે.

અસામાજિક તત્વોને ડામવા ગૃહમાં થશે ખરડો પસાર, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આજનો દિવસ ઐતિહાસિક ગણાવ્યો
અસામાજિક તત્વોને ડામવા ગૃહમાં થશે ખરડો પસાર, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આજનો દિવસ ઐતિહાસિક ગણાવ્યો

ગાંધીનગરઃ ગુજરાતમાં વધી રહેલા તોફાની તત્વોને ડામવા માટે થઈ વિધાનસભા ગૃહમાં કાયદામાં સુધારા અંગે પ્રસ્તાવના કરવામાં આવી છે. જેમાં અસામાજિક તત્વોનો આંતક, હત્યારો, ગુંડા તત્વોના આતંક, જાતીય સતામણી, દુષ્કર્મની ઘટનાઓ, દારૂ-જુગારના અઠ્ઠાઓ સહિત અન્ય તમામ ગુનાઓમાં આરોપીઓ જામીન મેળવીને છૂટી ન જાય તેવા હેતુસર કાયદામાં સુધારો કરીને આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવે તે અંગે બિલ રજૂ કરવામાં આવ્યું છે. જેને લઈ પ્રદીપસિંહ જાડેજાએ આજના દિવસને ઐતિહાસિક દિવસ તરીકે ગણાવ્યો છે.

અસામાજિક તત્વોને ડામવા ગૃહમાં થશે ખરડો પસાર, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આજનો દિવસ ઐતિહાસિક ગણાવ્યો
ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, બહેન દીકરીઓની સલામતી માટે સરકાર કટિબદ્ધ હોય છે. તેમની સન્માન પર જ્યારે પણ સવાલ ઉભો થાય છે અનેે આરોપીઓ બેફામ બહાર ફરે તે યોગ્ય ગણવામાં નહીં આવે. જેથી બિલમાં સુધારો કરી આવા તત્વો સામે પાસાનો ગુનો દાખલ કરી તેમને જેલના સળિયા ગણતાં કરવાનું કામ હવે કરવામાં આવનારું છે. જેને લઈ સુરક્ષા અને સલામતીમાં ઘણો વધારો થશે તેવી આશા રાખું છું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.