ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં માત્ર 10 કોરોના કેસ, 16 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ

author img

By

Published : Oct 17, 2021, 9:02 PM IST

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં કોરોનાના 10 જ કેસો નોંધાયા છે. રાજ્યના કોર્પોરેશન જેવા કે અમદાવાદમાં 1, સુરતમાં 4, વડોદરામાં 2, તો ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢમાં 1-1 કેસ નોંધાયા હતા. એમ કોરોના પોઝિટિવના તમામ શહેરોમાં સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. જો કે છેલ્લા કેટલાક સમયથી જિલ્લાઓમાં પણ કેસો નહિવાત પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. સારવાર દરમિયાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

રાજ્યમાં 24 કલાકમાં માત્ર 10 કોરોના કેસ, 16 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ
રાજ્યમાં 24 કલાકમાં માત્ર 10 કોરોના કેસ, 16 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ

  • કોર્પોરેશન વિસ્તારમાં કોરોના કેસો ઘટ્યા
  • આજે 1,11,662 લોકોને વેક્સિન આપવામાં આવી
  • રાજ્યમાં હજુ પણ 207 એક્ટિવ કેસો

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ત્યારે 17 ઓકટોબરના રોજ સમગ્ર રાજ્યમાં 10 જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 14ને હોસ્પિટલમાંથી નેગેટિવ રિપોર્ટ આવતા રજા આપવામાં આવી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી કેટલાક જિલ્લાઓને બાદ કરતા મોટા ભાગના જિલ્લાઓમાં જીરો કેસો કોરોનાના નોંધાયા છે. ખાસ કરીને વેક્સિનેશન આજે 1 લાખ આસપાસ થયું હતું.

અત્યાર સુધી 6,68,29,574 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું

17 ઓકટોબરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 1,11,662 ને કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18થી 45 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 20,344 લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે બાકીના 45થી વધુ ઉંમરના 60,402ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતમાં કુલ 6,68,29,574 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં વેન્ટિલેટર પર 06 દર્દી જ્યારે સ્ટેબલ 201 દર્દીઓ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 206 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 06 વેન્ટિલેટર પર અને 201 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,086 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,997 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.