ETV Bharat / city

Gujarat Corona Update : કોરોનાના કુલ 37 નવા કેસ નોંધાયા, એક દર્દીનું મોત

author img

By

Published : Jul 17, 2021, 9:04 PM IST

Gujarat Corona Update
Gujarat Corona Update

રાજ્યમાં જૂન મહિનાના અંતથી કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને રિકવરી રેટ સતત વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર ફક્ત 37 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે શનિવારે એક દર્દીનું મોત નિપજ્યું છે.

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37 કેસ
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 01 દર્દીનું મોત
  • છેલ્લા 24 કલાકમાં કુલ 110 દર્દીઓ સ્વસ્થ થયા

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 50થી પણ ઓછા કેસ સામે આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર 37 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે શનિવારે સૌથી વધુ 110 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 01 દર્દીનું કોરોનાથી મોત થયું છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: કોરોનાના કુલ 39 નવા કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહીં

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ જિલ્લાઓ અને 8 કોર્પોરેશન વિસ્તારોમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસનો આંકડો નોંધાયો છે, જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 06 પોઝિટિવ કેસ નોંધાયા ત્યારે 35 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યના અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર કોર્પોરેશન 21 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

આજે 3,13,740 વ્યક્તિને રસીકરણ કરાયું

રાજ્યમાં આજે શનિવારે 17 જુલાઈના રોજ 3,13,740 વ્યક્તિને રસી આપવામાં આવી છે, જ્યારે રાજ્યમાં કુલ 2,93,41,544 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જેમાં 18 વર્ષથી વધુની વયના 1,65,093 લોકોને પ્રથમ ડોઝ અને 7153 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 38 કેસ નોંધાયા, મૃત્યુદર શૂન્ય

રાજ્યમાં એક્ટિવ કેસ 550થી નીચે

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 532 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 06 વેન્ટિલેટર પર અને 526 દર્દીઓ સ્ટેબલ છે. આ ઉપરાંત, કુલ મૃત્યુ 10,075 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,13,853 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં રિકવરી રેટ 98.71 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.