ETV Bharat / city

રાજ્યમાં આજે પણ કોરોનાથી એકય મોત નહિ, કુલ 53 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Jul 10, 2021, 8:30 PM IST

છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. આજે શનિવારે રાજ્યમાં માત્ર 53 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે, એક પણ દર્દીનું કોરોનાથી મોત ન થયું હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. આ સાથે વધુ 258 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.

GUJARAT CORONA UPDATE
GUJARAT CORONA UPDATE

  • રાજ્યમાં આજે પણ એકય મોત નહિ
  • છેલ્લા 24 કલાકમાં 54 પોઝિટિવ કેસ નોંધાયા
  • 258 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા

ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. ત્યારે મે અને જૂન મહિના બાદ હવે જુલાઈ મહિનામાં પણ પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે શનિવારે રાજ્યમાં 53 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 258 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત નોંધાયું નથી.

20 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નહિ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી યાદી પ્રમાણે છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદમાં કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 11 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 115 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યના અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર ગ્રામ્ય, જૂનાગઢ કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન, ભાવનગર કોર્પોરેશન સહિત 20 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

GUJARAT CORONA UPDATE
GUJARAT CORONA UPDATE

રાજ્યમાં શનિવારે 3,02,282 વ્યક્તિઓને વેક્સિન અપાઈ

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે, પણ 7 જુલાઈના દિવસે મમતા દિન નિમિત્તે રાજ્યમાં વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું હતું. જ્યારે 8 અને 9 જુલાઈ ના રોજ પણ વેક્સિનેશન બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આજે શનિવારથી સમગ્ર રાજ્યમાં ફરી વખત વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં આજે 3,02,282 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,76,27,473 વ્યક્તિને વેક્સિન આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, હાલમાં કુલ 1151 એક્ટિવ કેસ છે. જેમાં 08 વેન્ટિલેટર પર અને 1443 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 10,073 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,12,976 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે ગુજરાતમાં રિકવરી રેટ 98.64 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.