ETV Bharat / city

કર્મચારી સંગઠનો સરકારની વિરુદ્ધમાં, માંગ સામે ચૂંટણી કામગીરીના બહિષ્કારની ઉચ્ચારી ચીમકી

author img

By

Published : Sep 3, 2022, 11:00 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને હવે ગણતરીના દિવસો રહેવાથી તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ પાર લાગી ચૂક્યા છે. આજે ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ પડતર માંગોને લઈને દાટ્યાગ્રહ છાવણી ભેગા થયા હતા. જો સરકાર સમસ્યાનું હલ નહી કરે તો વિધાનસભાની ચૂંટણીની કામગીરીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી કર્મચારી સંગઠનો દ્વારા આપવામાં આવી છે. Government Employees 72 Mandals in Gujarat, Government employees protest in Gandhinagar

કર્મચારી સંગઠનો સરકારની વિરુદ્ધમાં, માંગ સામે ચૂંટણી કામગીરીના બહિષ્કારની ઉચ્ચારી ચીમકી
કર્મચારી સંગઠનો સરકારની વિરુદ્ધમાં, માંગ સામે ચૂંટણી કામગીરીના બહિષ્કારની ઉચ્ચારી ચીમકી

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે અને તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે પરંતુ સરકાર સામે સૌથી વધુ સમસ્યાની વાત કરવામાં આવે તો અલગ અલગ સંગઠનો અલગ અલગ સમાજ દ્વારા અનેક માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે સરકારી કર્મચારીઓ પણ એની પડતર માંગને લઈને સત્યાગ્રહ છાવણી ભેગા થયા હતા. સરકારી કર્મચારીના કુલ અલગ અલગ 72 જેટલા મંડળોએ રાજ્ય સરકાર સમક્ષિમથી ઊંચાઈ છે. કે જો રાજ્ય સરકાર વહેલી તકે સમસ્યાનું સમાધાન નહીં કરે તો વિધાનસભાની ચૂંટણીની કામગીરીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી કર્મચારી સંગઠનો દ્વારા આપવામાં આવી છે.

સરકારી કર્મચારીના કુલ અલગ અલગ 72 જેટલા મંડળોએ રાજ્ય સરકાર સમક્ષિમથી ઊંચાઈ છે. કે જો રાજ્ય સરકાર વહેલી તકે સમસ્યાનું સમાધાન નહીં કરે તો વિધાનસભાની ચૂંટણીની કામગીરીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી કર્મચારી સંગઠનો દ્વારા આપવામાં આવી છે.

શિક્ષકોની 4200 ગ્રેડ પેની માંગ સરકારી કર્મચારીઓના વિરોધ પ્રદર્શનમાં (Government employees protest in Gandhinagar) શિક્ષકો પણ જોડાયા હતા. તેઓએ 42ની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ભૂતકાળમાં બે મહિના પહેલા ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે હજારોની સંખ્યામાં શિક્ષકો જોડાયા (Teachers joins Satyagraha camp of Gandhinagar) હતા. 4200ની માંગ કરવામાં આવી હતી. આ સાથે જ તેઓએ જૂની પેન્શન સ્કીમની પણ માંગ (Old Pension Scheme Demand ) રાજ્ય સરકાર સમક્ષ કરી છે.

કર્મચારીઓ ની માંગ
કર્મચારીઓ ની માંગ

સરકાર માંગ નહીં સ્વીકારે તો ચૂંટણી કામગીરીનો બહિષ્કાર સંયુક્ત સરકારી કર્મચારી સંગઠનના (United Govt Employees Association) મહામંત્રી કિરીતસિંહ ચાવડાએ પત્રકાર સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સમક્ષ છેલ્લા કેટલાય સમયથી પડતર માંગણી બાબતે અનેક રજૂઆત કરવામાં આવી છે. જ્યારે જો હવે રાજ્ય સરકાર પડતરમાં બાબતે કોઈ નિરાકરણ નહીં લાવે તો આગામી સમયમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં (ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022) ચૂંટણીની કામગીરીનો બહિષ્કાર (Boycott of election operations) કરવામાં આવશે. આ ઉપરાંત સંગઠન દ્વારા જે કોઈપણ આંદોલન અથવા તો આગામી આયોજન કરવામાં આવશે તે સંયુક્ત રીતે કરવામાં આવશે.

આજે સરકારી કર્મચારીઓ પણ એની પડતર માંગને લઈને સત્યાગ્રહ છાવણી ભેગા થયા હતા. સરકારી કર્મચારીના કુલ અલગ અલગ 72 જેટલા મંડળોએ રાજ્ય સરકાર સમક્ષિમથી ઊંચાઈ છે.
આજે સરકારી કર્મચારીઓ પણ એની પડતર માંગને લઈને સત્યાગ્રહ છાવણી ભેગા થયા હતા. સરકારી કર્મચારીના કુલ અલગ અલગ 72 જેટલા મંડળોએ રાજ્ય સરકાર સમક્ષિમથી ઊંચાઈ છે.

એક વખત સરકાર સાથે થઈ બેઠક રાજ્યમાં જેટલા પણ આંદોલન ચાલી રહ્યા છે. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આંદોલન ઠાર કમિટી (Andolan Thar Committee by Government) તૈયાર કરાઈ છે. જેમાં પાંચ જેટલા પ્રધાનોની સમાવેશ કરીને એક કમિટીની રચના કરાઈ છે. જે અંતર્ગત મંગળવારે આ કમિટીમાં સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. ચર્ચા પણ કરવામાં આવી હતી. સરકાર દ્વારા તાત્કાલિક પોતાના કોઈ નિર્ણય ન કરાતા તેઓએ આજે ગાંધીનગર કલેકટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.