ETV Bharat / city

ભારત તબક્કાવાર આયાત બંધ કરી MADE IN INDIA લોગો સાથે ડિફેન્સમાં આગળ વધશે, રાજનાથસિંહની મોટી વાત

author img

By

Published : Oct 17, 2022, 9:58 PM IST

ગાંધીનગરમાં પીએમ મોદીના ( PM Modi in Gandhinagar ) હસ્તે 19 ઓક્ટોબરે ડિફેન્સ એકસ્પો ( DefExpo 2022 ) ખુલ્લો મૂકાશે. એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોને લઇને કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે કર્ટેન રેઇઝર કાર્યક્રમ (DefenceExpo Curtain raiser in Gandhinagar ) યોજાયો હતો. જ્યાં સંરક્ષણક્ષેત્રમાં આત્મ નિર્ભર ભારત વિશે રાજનાથસિંહ (Rajnath Singh on Atam Nirbhar Bharat ) મોટી વાત કરી હતી.

ભારત તબક્કાવાર આયાત બંધ કરી MADE IN INDIA લોગો સાથે ડિફેન્સમાં આગળ વધશે, રાજનાથસિંહની મોટી વાત
ભારત તબક્કાવાર આયાત બંધ કરી MADE IN INDIA લોગો સાથે ડિફેન્સમાં આગળ વધશે, રાજનાથસિંહની મોટી વાત

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા કેન્દ્ર સરકારે દ્વારા ગુજરાતના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદમાં ડિફેન્સ એક્સપો 2022નું ( PM Modi in Gandhinagar ) આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડિફેન્સ એક્સપો 18 થી 22 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગર અમદાવાદ અને પોરબંદર ખાતે ( DefExpo 2022 ) યોજવામાં આવશે. ત્યારે આજે ડિફેન્સ એક્સપોની માહિતી (DefenceExpo Curtain raiser in Gandhinagar ) આપતા કેન્દ્રીય સરક્ષણ પ્રધાન રાજનાથસિંહે નિવેદન (Rajnath Singh on Atam Nirbhar Bharat ) આપ્યું હતું કે ભારત દેશ હવે તબક્કાવાર ડિફેન્સમાં ઉપયોગમાં આવતી વસ્તુઓને આયાત કરવાનું બંધ કરશે અને મેડ ઇન ઇન્ડિયાના લોગો સાથે ડિફેન્સ સેકટરમાં આગળ વધશે, ડિફેન્સ એક્સપો 2022 PATH TO PRIDE ના સૂત્ર મુજબ યોજાશે.

સંરક્ષણક્ષેત્રમાં આત્મ નિર્ભર ભારત વિશે રાજનાથસિંહ

5 દિવસનો ડિફેન્સ એક્સપો ડિફેન્સ એક્સપો ( DefExpo 2022 )ની માહિતી આપતા સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ તથા ડિફેન્સ સેક્રેટરી જય કુમારે જણાવ્યું હતું કે પાંચ દિવસ ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ત્રણ દિવસ એ બિઝનેસ માટેનો એક્સ્પો રહેશે અને ત્યારબાદ બે દિવસ માટે આ એક્સ્પો જાહેર જનતા માટે ખુલ્લું રાખવામાં આવશે. આ એક્સ્પોમાં 75 જેટલા દેશે 33 ફોરેન મિનિસ્ટર અને 1300 થી વધુ કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે અને ડિફેન્સ એક્સપોમાં ભાગ લેશે. આ ઉપરાંત સમગ્ર દેશમાં ડિફેન્સ એક્સપો અંતર્ગત 10 જેટલા રાજ્યો પણ ભાગ લઈ રહ્યા છે. જેથી અલગ અલગ રાજ્યો પોતાના રાજ્યમાં ડિફેન્સને લગતા ઇન્વેસ્ટમેન્ટને આકર્ષિત કરી શકે.

પીએમ મોદી કરશે ઉદ્ઘાટન 19 ઓક્ટોબરના રોજ સવારે 10 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિફેન્સ એક્સપો 2022નું ( PM Modi in Gandhinagar ) સત્તાવાર ઉદ્ઘાટન કરશે. આ ઉદઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય સરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત અનેક દેશોના સંરક્ષણ પ્રધાનો પણ હાજર રહેશે. સાથે જ ડિફેન્સ સાથે સંકળાયેલી ખાનગી કંપનીઓ અને જાહેર સાહસો પણ ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેશે. જ્યારે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કુલ 21 જેટલા સેમીનાર કરવામાં આવશે અને દેશમાં તથા રાજ્યમાં વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ આવે તે રીતની કામગીરી પણ કરવામાં આવશે.

મુખ્યપ્રધાન ભૂરેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં
મુખ્યપ્રધાન ભૂરેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં

છેલ્લા 6 મહિનામાં 3300 કરોડનું એકસપોર્ટ રાજનાથ સિંહે છેલ્લા છ મહિનામાં એક્સપોર્ટની વાત કરવામાં આવે તો ભારત દેશે સંરક્ષણ મામલે છ મહિનામાં 3300 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ કર્યું હોવાનું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત લખનઉમાં જે ગત ડિફેન્સ એક્સપોમાં 200 જેટલા એગ્રીમેન્ટ થયા હતાં જ્યારે આ ડિફેન્સ એક્સપો ( DefExpo 2022 ) માં 400થી વધુ કાર્યક્રમ થઈ રહ્યા છે. જેમાં કરોડો રૂપિયા ગુજરાત અને દેશમાં આવે તેવી શક્યતાઓ છે. જ્યારે ગુજરાતની 33 જેટલી કંપનીઓ સાથે પણ એગ્રીમેન્ટ થયા છે અને આ એક્સપોમાં 5500 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવશે તેવું પણ પ્રાથમિક અંદાજ લગાવવામાં આવ્યો છે.

તબક્કાવાર ભારત બનશે આત્મ નિર્ભર આત્મ નિર્ભર ભારત (Rajnath Singh on Atam Nirbhar Bharat ) ની વાત કરતા રાજનાથસિંહે વધુમાં જણાવ્યું હતું કે 410 જેટલી આઈટમ લિસ્ટ જાહેર કરવામાં આવી છે. ત્યારે તબક્કાવાર ભારત દેશ હવે સંરક્ષણ મામલે ઈમ્પોર્ટન્ટ કરશે નહીં. આમ પબ્લિક સેક્ટરમાં 3000 જેટલા કમ્પોનન્ટ્સ બનાવવામાં આવશે અને બીજા દેશમાંથી પણ કોઈ પ્રકારનું ઈમ્પોર્ટ કરવામાં આવશે નહીં. આમ કેન્દ્ર સરકાર દ્વારા અમુક સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત અમુક જે વસ્તુઓ અને જે ઇક્વિપમેન્ટ છે તે વર્ષ 2024,2027, 2028, 2030 સુધીમાં એક્સપર્ટ બંધ થશે અને ભારત સરક્ષણ મામલે સંપૂર્ણ આત્મ નિર્ભર બનશે.

પોરબંદરમાં નાગરિકોને શિપમાં જવાનો મોકો ડિફેન્સ સેક્રેટરી અજય કુમારે ડિફેન્સ એક્સપો ( DefExpo 2022 ) ની વિગતો આપતા જણાવ્યું હતું કે ત્રણ દિવસ આમાં બીટુ બી બિઝનેસ જ મીટીંગ યોજાશે. જ્યારે અંતિમ બે દિવસમાં જાહેર જનતા માટે પણ ખુલ્લું આ સમિટ મૂકવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ ગાંધીનગર અને પોરબંદરમાં પણ આર્મી બીએસએફ અને એરફોર્સ દ્વારા અલગ અલગ સોસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પોરબંદરમાં પણ નેવી દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોરબંદરના નાગરિકોને શિપમાં જવાનો મોકો પણ મળશે, આ ઉપરાંત સૌથી મોટો ડ્રોન શો પણ આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.