COVID-19 death compensation Gujarat : ACS એ કહ્યું ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ થયું હશે તો સહાય ચૂકવાશે

author img

By

Published : Nov 24, 2021, 8:17 PM IST

Updated : Nov 25, 2021, 1:46 PM IST

COVID-19 death compensation Gujarat : ACS એ કહ્યું ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ થયું હશે તો સહાય ચૂકવાશે

સુપ્રીમ કોર્ટ ( Supreme Court ) દ્વારા ઝાટકણી કાઢ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા હવે કોરોના મૃતકોની ( COVID-19 death compensation Gujarat ) સહાયની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બાબતે સમગ્ર મામલો અત્યારે ગરમાયો છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા કોરોના મૃત્યુ આંક 10090 બતાવવામાં આવે છે, જ્યારે કોંગ્રેસ ( Congress ) દ્વારા ત્રણ લાખથી વધુ લોકો કોરોનામાં મૃત્યુ ( Covid Death ) પામ્યાં હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે પણ તૈયારી હાથ ધરી છે કે કોરોના સાથે અન્ય બીમારી ધરાવતા લોકો કે જેમને કોરોના ( Corona ) થયો હતો અને તેઓનું મૃત્યુ ( Comorbid Death Compensation ) થયું છે તેવા તમામ મૃતકના પરિવારજનોને આર્થિક સહાય પ્રાપ્ત થશે.

  • રાજયમાં કોરોના સહાય બાબતે આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ સાથે ખાસ વાતચીત
  • કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને આપવામાં આવશે આર્થિક સહાય
  • રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટર ઓફિસને મૃતકોની યાદી મોકલી
  • કોમોર્બીડ કોવિડ ડેથમાં પણ આપવામાં આવશે સહાય
  • રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટરને યાદી સોંપી

ગાંધીનગર : કોરોના મૃતકોને આર્થિક સહાય ( COVID-19 death compensation Gujarat ) બાબતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે (ACS Manoj Agarwal ) ETV Bharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને ફક્ત કોરોનાથી મૃત્યુ ( Covid Death ) પામ્યા હોય તેવા લોકોની યાદી જે તે જિલ્લા કલેકટરને સોંપી દેવામાં આવી છે. આ બાબતે જિલ્લા કલેક્ટરો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો અન્ય બીમારી સાથે કોરોનાથી મૃત્યુ થયું હોય ( Comorbid Death Compensation ) તેમના પરિવારજનોને પણ આર્થિક સહાય આપવામાં આવશે.

કોરોનાની સારવાર મેળવ્યા બાદ 1 મહિનામાં મૃત્યુ થયું હશે તો સહાય મળશે

રાજ્યમાં એવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે કે જેમાં કોરોનાની (Corona ) સારવાર મેળવવા બાદ તેઓ હોસ્પિટલથી ઘરે પરત ફર્યા હતાં પરંતુ અચાનક જ અમુક દિવસો બાદ મૃત્યુ થયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ત્યારે આવા દર્દીઓ કે જેમને કોરોનાની સારવાર મેળવી હોય અને એક મહિનાની અંદર જ મૃત્યુ થયું હોય તેવા દર્દીના પરિવારજનોને પણ આર્થિક સહાયના ( COVID-19 death compensation Gujarat ) લાભ પ્રાપ્ત થશે.

ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દર્દીના સ્વજનોને આપવામાં આવશે સહાય

મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં Corona સારવાર લઇ રહ્યાં હતાં અને તેના સારવારના દસ્તાવેજમાં ડોક્ટર દ્વારા તેનું કારણ દર્શાવ્યું હશે, તો તેવા દર્દીના સ્વજનોને પણ સુપ્રીમકોર્ટના ( Supreme Court ) નિર્દેશાનુસાર 50,000ની સહાય ( COVID-19 death compensation Gujarat ) ચૂકવવામાં આવશે. તમામ સહાય ઓનલાઇન ચૂકવવામાં આવશે. આ માટે મૃતકના પરિવારજનોના સભ્યોનું બેંક ખાતાની વિગતો લઇને તમામ મૃતકના પરિવારજનોને આર્થિક સહાય જે તે જિલ્લા કલેકટર તરફથી ચૂકવવામાં આવશે.

બહારના રાજ્યના નાગરિકોને સહાય

કોરોના ( Corona ) દરમિયાન અન્ય રાજ્યના દર્દીઓ પણ ગુજરાતમાં સારવાર મેળવી હતી ત્યારે તે લોકોના પણ અહીંયા મૃત્યુ નીપજયા છે. આ બાબતે etv ભારત દ્વારા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલને પ્રશ્ન કરતા અગ્રવાલે જવાબમાં જણાવ્યું હતું કે આવા કિસ્સા ખૂબ જ ઓછા નોંધાયા છે. પરંતુ આવા કિસ્સાઓમાં જે તે નાગરિકોના સરનામાં જોઈને તેમની સહાય ( COVID-19 death compensation Gujarat ) ચૂકવવામાં આવશે, જ્યારે આ બાબતે કેબિનેટપ્રધાન જીતુ વાઘાણી ( Jitu Waghani ) પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં જે તે વ્યક્તિ ગુજરાતનું રેશન કાર્ડ ધરાવતો હોવો જોઈએ.

આ પણ વાંચોઃ ગુજરાત સરકાર પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કોરોના મૃત્યુના કેસમાં વળતર મામલે લગાવી ફટકાર

આ પણ વાંચોઃ કોરોનાકાળમાં હોસ્પિટલની દાદાગીરી : મરણ નોંધ ન કરતાં ત્રણ મહિને પણ મૃત્યુ પ્રમાણપત્ર મળ્યાં નથી

Last Updated :Nov 25, 2021, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.