ગુજરાત સરકાર પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કોરોના મૃત્યુના કેસમાં વળતર મામલે લગાવી ફટકાર

author img

By

Published : Nov 22, 2021, 7:18 PM IST

Updated : Nov 22, 2021, 7:35 PM IST

ગુજરાત સરકાર પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કોરોના મૃત્યુના કેસમાં વળતર મામલે લગાવી ફટકાર

ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ (death from corona in gujarat)ના કેસમાં વળતરની રકમ આપવાની અરજી પર સુપ્રીમ કોર્ટ (supreme court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તપાસ સમિતિ (probe committee)ની રચના કરવા માટે ગુજરાત સરકાર (gujarat government)ની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં લાંબો સમય લાગશે. કેટલાક નકલી દાવા આવ્યા છે, તેના કારણે બધા રાહ કેમ જુએ? આ કોના મગજની ઉપજ છે તેવો સવાલ પણ કર્યો હતો.

  • સુપ્રીમ કોર્ટે કહ્યું- ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો? કોના મગજની ઉપજ છે?
  • તપાસ સમિતિ પાસેથી પ્રમાણપત્ર મેળવવામાં એક વર્ષનો સમય લાગશે
  • રાજ્ય કોર્ટના નિર્દેશો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે

નવી દિલ્હી: કોવિડ (covid 19)ને કારણે મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને વળતરની રકમ (ex gratia) વિતરણ માટે તપાસ સમિતિની રચના કરવા માટે સુપ્રીમ કોર્ટે (supreme court) સોમવારે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેણે ક્યારેય સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો નથી, આમ કરવાથી સમગ્ર પ્રક્રિયામાં વિલંબ થશે. કોર્ટે કહ્યું કે, 'તપાસ સમિતિ (probe committee) પાસેથી પ્રમાણપત્ર મેળવવામાં એક વર્ષનો સમય લાગશે કારણ કે હૉસ્પિટલ (hospital)માંથી પ્રમાણપત્ર સાથે આવવાનું કહેવામાં આવે છે'.

કઈ હૉસ્પિટલ સર્ટિફિકેટ આપી રહી છે?

કોર્ટે સવાલ ઉઠાવ્યો કે, કઈ હૉસ્પિટલ સર્ટિફિકેટ (certificate) આપી રહી છે? જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ બી.વી. નાગરથની બેંચ ગૌરવ બંસલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. બંસલે કોવિડ-19 મૃત્યુ માટે વળતરની રકમ (ex gratia for death due to coronavirus)ના વિતરણની માંગ કરતી અરજી દાખલ કરી છે.

આ કોના મગજની ઉપજ છે?

છેલ્લી સુનાવણીમાં, કોર્ટે રાજ્યને ફટકાર લગાવી હતી કે તે કોર્ટના નિર્દેશો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાજ્ય તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આજે ​​કોર્ટને માહિતી આપી હતી કે હવે સંશોધિત ઠરાવ જારી કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે, પ્રથમ સૂચનાની જવાબદારી કોઈએ લેવી જોઈએ. કોર્ટે પૂછ્યું કે 'તમે આવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહ્યું, કોણે મંજૂર કર્યું? આ કોના મગજની ઉપજ છે?'

શું તમારા મુખ્યપ્રધાનને કંઈ ખબર નથી?

એડિશનલ ચીફ સેક્રેટરી IAS મનોજ અગ્રવાલે કોર્ટને જણાવ્યું હતું કે, ડ્રાફ્ટ વિવિધ અધિકારીઓ દ્વારા પસાર થાય છે અને ટોચ પરના સક્ષમ અધિકારી દ્વારા અંતિમ મંજૂરી આપવામાં આવે છે. તેના પર જસ્ટિસ શાહે પૂછ્યું કે, 'સક્ષમ અધિકારી કોણ છે? સર્વોચ્ચ સ્તર… આ મુખ્ય પ્રધાન છે. કોર્ટે કહ્યું કે, 'તમારા મુખ્યપ્રધાનને કંઈ ખબર નથી? શ્રી સેક્રેટરી, તમે શેના માટે છો? જો આ તમારા મગજનો પ્રયોગ છે, તો તમને કંઈપણ ખબર નથી. શું તમે અંગ્રેજી જાણો છો? તમે અમારો હુકમ સમજો છો?' કોર્ટે કહ્યું કે, આ માત્ર અમલદારશાહીને વિલંબ કરવાનો પ્રયાસ છે. આ ફક્ત મામલામાં ગરબડ કરી દેશે.

આ પણ વાંચો: સંસદના શિયાળુ સત્ર પહેલા ઓલ પાર્ટી મિટિંગ, PM મોદી પણ થઈ શકે છે સામેલ

આ પણ વાંચો: કોરોના રસીકરણમાં અનેક રાજ્યોની મંદ ગતિ, સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આપી મહત્વની સલાહ

Last Updated :Nov 22, 2021, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.