કોરોના રસીકરણમાં અનેક રાજ્યોની મંદ ગતિ, સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આપી મહત્વની સલાહ

author img

By

Published : Nov 22, 2021, 5:57 PM IST

કોરોના રસીકરણમાં અનેક રાજ્યોની મંદ ગતિ, સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આપી મહત્વની સલાહ

અનેક રાજ્યોમાં રસીકરણ (corona vaccination)ની ધીમી ઝડપ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા (union health minister mansukh mandaviya)એ ચિંતા વ્યક્ત કરી છે. માંડવિયા (mandaviya)એ મણિપુર (manipur), મેઘાલય (meghalay), નાગાલેન્ડ (nagaland) અને પોન્ડિચેરી (puducherry)ને સોમવારના અપીલ કરી કે તેઓ કોવિડ-19 રસીકરણની ગતિ વધારવા માટે આક્રમક અભિયાન શરુ કરે અને પુખ્ત ઉંમરના લોકોના પૂર્ણ રસીકરણની ખાતરી કરી.

  • વેક્સિનેશનની ઝડપ વધારવા રાજ્યોને કરી અપીલ
  • તમામને રસીને બંને ડોઝ મળે તેની ખાતરી કરવા કહ્યું
  • કોરોના સામેની લડાઈમાં રસીકરણને ગણાવ્યું સૌથી શક્તિશાળી

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા (union health minister mansukh mandaviya)એ મણિપુર (manipur), મેઘાલય (meghalay), નાગાલેન્ડ (nagaland) અને પોન્ડિચેરી (puducherry)ને સોમવારના અપીલ કરી કે તેઓ કોવિડ-19 રસીકરણની ઝડપ વધારવા માટે આક્રમક અભિયાન (campaign) શરૂ કરે અને પુખ્ત ઉંમરના લોકોના પૂર્ણ રસીકરણની ખાતરી કરે.

નાગાલેન્ડ અને પોન્ડિચેરીમાં રસીકરણની ગતિ ધીમી

મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને પોન્ડિચેરીમાં રસીકરણ (corona vaccination)ની ગતિ પ્રમાણમાં ધીમી છે. આરોગ્ય વિભાગે (health department) એક નિવેદનમાં જણાવ્યું કે માંડવિયાએ પુનરાવર્તન કર્યું કે, કોવિડ-19 સામેની લડાઈમાં રસીકરણ એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. તેમણે આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (union territories)ને અપીલ કરી કે તેઓ રસી લેવા માટે પુખ્ત વયના લોકોને પ્રેરિત કરવા માટે બિન-સરકારી સંસ્થાઓ (NGO), ધાર્મિક સંગઠનો, ધાર્મિક નેતાઓ, સમુદાયને પ્રભાવિત કરનારાઓ અને અન્ય ભાગીદારો સહિત તમામ હિતધારકોની મદદ લે.

રસીકરણ અભિયાન આક્રમક રીતે શરૂ કરવા કહ્યું

તેમણે મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને પોન્ડિચેરીના સ્વાસ્થ્ય વિભાગના સ્વાસ્થ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓની ડિજિટલ બેઠકમાં કહ્યું કે, "આપણે કોવિડ-19 રસીકરણના અંતિમ તબક્કામાં છે. આવો, રસીકરણની ગતિ અને વ્યાપકતા વધારીને આક્રમક અભિયાન શરૂ કરીએ, જેથી પૂર્ણ કોવિડ-19 રસીકરણ ચોક્કસથી થઈ શકે."

માંડવિયાએ મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને પોન્ડિચેરીમાં કોવિડ રસીકરણની સ્થિતિ અને 'હર ઘર દસ્તક' અભિયાનની સમીક્ષા કરવા માટે બેઠકની અધ્યક્ષતા કરી.

દેશમાં રસીકરણની સ્થિતિ

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 82 ટકા પાત્ર લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો હતો અને 43 ટકા લોકોએ બીજો ડોઝ મેળવ્યો હતો, જ્યારે પોન્ડિચેરી (66 ટકા લોકોએ પ્રથમ ડોઝ અને 39 ટકા લોકોને બીજો ડોઝ), નાગાલેન્ડ (49 ટકા લોકોને પહેલો ડોઝ અને 36 ટકા લોકોને બીજો ડોઝ), મેઘાલય (57 ટકાને પ્રથમ ડોઝ અને 38 ટકાને બીજો ડોઝ) અને મણિપુર (54 ટકાને પ્રથમ ડોઝ અને 36 ટકાને બીજો ડોઝ) વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ આપવાના મામલે રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણા પાછળ છે.

રાજ્યોને અરુણાચલ પ્રદેશનું આપ્યું ઉદાહરણ, વિસ્તૃત યોજના તૈયાર કરવા કહ્યું

તેમણે કહ્યું, "આવો આપણે મળીને ખાતરી કરીએ કે કોઈ પણ લાયક નાગરિક દેશમાં કોવિડ-19 રસીના સુરક્ષા કવચ વગર ન રહી જાય અને આને લઇને લોકોની વચ્ચે ખચકાટ, ખોટી માહિતી, અંધવિશ્વાસ વગેરે સમસ્યાઓ દૂર થઈ શકે." માંડવિયાએ કહ્યું કે, "મેં અરુણાચલ પ્રદેશના તાજેતરના પ્રવાસમાં 'પૂર્ણ રીતે રસીકરણ કરાવી ચૂકેલું ઘર'નું સ્ટિકરનો ઉપયોગ થતો જોયો. બીજા રાજ્યો પણ આ પ્રકારની નવી રણનીતિઓ અપનાવી શકે છે." માંડવિયાએ રાજ્યોને જિલ્લા પ્રમાણે વિસ્તૃત યોજના તૈયાર કરવા, પર્યાપ્ત સંખ્યામાં દળ તૈનાત કરવા અને ખરાબ પ્રદર્શન કરનારા જિલ્લાઓની દૈનિક પ્રગતિની નિયમિત રીતે સમીક્ષા કરવા કહ્યું.

આ પણ વાંચો: કૃષિ કાયદા 2020 રદ્દ કરવાની જાહેરાત બાદ શું કહી રહ્યા છે ખેડૂતો, જાણો...

આ પણ વાંચો: MSPના મુદ્દે ખેડૂત સંગઠન અડીખમ, લખનઉમાં આજે મહાપંચાયત યોજાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.