ETV Bharat / state

ઓનલાઇન શિક્ષણથી છુટકારો : રાજ્યભરમાં આજથી 100 ટકા ક્ષમતા સાથે ખુલી શાળાઓ, છતાં રાખવું પડશે ધ્યાન

author img

By

Published : Feb 17, 2022, 8:42 PM IST

Updated : Feb 21, 2022, 7:26 AM IST

ગુજરાતમાં 2 વર્ષ બાદ આજ સોમવારથી 100 ટકા ક્ષમતા સાથે તમામ શાળાઓ ખોલવામાં આવી છે. આજથી રાજ્યભરમાં ઓનલાઇન શિક્ષણની જગ્યાએ બાળકો ઓફલાઇન શિક્ષણ લઈ શકશે.

Core Committee Decision :  શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની મોટી જાહેરાત, 21મીથી પ્રત્યક્ષ શિક્ષણ જ ચાલશે
Core Committee Decision : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની મોટી જાહેરાત, 21મીથી પ્રત્યક્ષ શિક્ષણ જ ચાલશે

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કારણે તમામ શાળાઓ અને કોલેજો lockdown થી સંપૂર્ણ રીતે બંધ હતી. તબક્કાવાર રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં કોલેજો ત્યારબાદ ધોરણ 10 અને 12 ના વર્ગો અને ત્યારબાદ 8 અને 9 ધોરણો ઓફલાઇન શરૂ કર્યા હતાં. પરંતુ ફરજિયાત હાજરી રાખી ન હતી અને સાથે જ ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. ત્યારે આજે રાજ્યની તમામ શાળાઓ 100 ટકા ક્ષમતા સાથે ખોલવામાં આવી છે.

કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 17 ફેબ્રુઆરીએ મળેલી કોર કમિટીની બેઠકમાં (Core Committee Decision) આજથી, એટલે કે 21 ફેબ્રુઆરી સોમવારથી રાજ્યની તમામ શાળાઓ ફરજિયાત ઓફલાઈન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે જ રાજ્યભરમાં ઓનલાઇન શિક્ષણ (Education Minister Jitu vaghani announcement) સંપૂર્ણ રીતે બંધ (Offline Education in Gujarat) કરવામાં આવ્યું છે.

તમામ વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત

રાજ્ય સરકારના નિર્ણયને લઇ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ (Education Minister Jitu vaghani announcement) ટ્વીટ કરતા જાહેર કર્યું હતું કે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં (Core Committee Decision)21 ફેબ્રુઆરી સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણયને ધ્યાનમાં લઇને તમામ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાત હાજરી આપવી પડશે. કારણ કે રાજ્ય સરકારના નિયમ પ્રમાણે ઓનલાઇન શિક્ષણ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Teacher Transfer Rules Amendment Gujarat: 10 વર્ષ બાદ શિક્ષકોની બદલીના નિયમોમાં સુધારો, 2 લાખથી વધુ શિક્ષકોને થશે લાભ

રાજ્ય સરકાર આ બાબતે વિશિષ્ટ guideline પણ બહાર પાડશે

નિયમોની વાત કરવામાં આવે તો રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ (Education Minister Jitu vaghani announcement) સ્પષ્ટપણે ટ્વીટ કર્યું હતું કે રાજ્યની તમામ શાળાકોલેજોએ કોવિડ guideline નું પાલન (Covid19 guidelines) કરવાનું રહેશે. જ્યારે વિદ્યાર્થીઓ. વાલીઓ. શાળા કોલેજના સંચાલકોને ઓફલાઈન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે તે બાબતને ધ્યાનમાં લઈને જ આ નિર્ણયનો (Core Committee Decision)અમલીકરણ 21 ફેબ્રુઆરી સોમવારથી કરવામાં આવશે. રાજ્ય સરકાર આ બાબતે વિશિષ્ટ guideline પણ બહાર પાડશે.

આ પણ વાંચોઃ શિક્ષકોનાં કામના કલાક અંગેની ચર્ચાનો આજે કેબિનેટ બેઠકમાં આવ્યો અંત, જાણો શું લેવાયો નિર્ણય

શાળાઓ શરૂ થશે એટલે સ્કૂલ રીક્ષા અને વાનને રોજગારી મળશે

રાજ્યની પ્રાથમિક શાળાઓ ચાલે તો છે પરંતુ ફરજિયાત હાજરી નથી અને ફરજિયાત ઓફલાઈન શિક્ષણ પણ રાખવામાં આવ્યું નથી. શિક્ષણ ઓનલાઇન પણ આપવામાં આવતું નથી જેથી અનેક વિદ્યાર્થીઓ ઘરે રહીને જ અભ્યાસ કરતા હતાં. ત્યારે સોમવારથી 21 ફેબ્રુઆરીના રોજ રાજ્યની તમામ શાળાઓમાં કરવાનો (Education Minister Jitu vaghani announcement) નિર્ણય કર્યો છે ત્યારે આવનારા દિવસોમાં ફરીથી સ્કૂલ રિક્ષા અને વાનને રોજગારી પ્રાપ્ત થશે.

Last Updated :Feb 21, 2022, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.