ETV Bharat / city

CM Bhupendra Patel Reaction : મુખ્યપ્રધાને બજેટ 2022ને ગણાવ્યું આત્મનિર્ભર

author img

By

Published : Feb 1, 2022, 6:57 PM IST

કેન્દ્રીય બજેટ 2022ને લઇને ગુજરાતમાંથી પ્રતિભાવો સામે આવી રહ્યાં છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બજેટ અંગે પ્રતિભાવ (CM Bhupendra Patel Reaction) આપ્યો તે સાંભળીએ.

CM Bhupendra Patel Reaction : બજેટ 2022 ને આત્મનિર્ભર ગણાવી વધુ શું કહ્યું જાણો
CM Bhupendra Patel Reaction : બજેટ 2022 ને આત્મનિર્ભર ગણાવી વધુ શું કહ્યું જાણો

ગાંધીનગરઃ ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આજ બીજીવાર ડિજિટલ બજેટ રજૂ થયું હતું. ગુજરાતના મુખ્યપ્રધાન (CM Bhupendra Patel Reaction) અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (C R Patil Reaction On Union Budget 2022 ) આજના બજેટને જનતાની રાહત આપતું બજેટ ગણાવ્યું. સાથે કહ્યું કે આ બજેટ દેશનું અર્થતંત્ર જલદી બેઠું કરનારું બજેટ છે. આ બજેટ લોકોને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર કરનારનું બજેટ ગણાવ્યું છે.

કેન્દ્રીય બજેટ અંગે સાંભળો મહત્ત્વનો પ્રતિભાવ

દેશનું અર્થતંત્રને બેઠું કરનારું બજેટ

ગુજરાતના મુખ્યપ્રધાનેે (CM Bhupendra Patel Reaction) બજેટ અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનનું આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરનારું બજેટ છે. કોરોનાની મહામારીમાં દેશમાં નિઃશુલ્ક રસીકરણ અને આરોગ્ય પર ભારે ખર્ચ કરવા છતાં પણ એક રુપિયાના ટેક્સ નાખ્યા વિનાનું બજેટ છે. કોરોનાની મહામારીમાંથી દેશનું અર્થતંત્ર જલદી બેઠું થાય તેવું બજેટ છે. યુવાનો, મહિલા, નાના વેપારી ,ખેડૂતો, વિદ્યાર્થીઓને અનુકુળ આ બજેટ છે. આઝાદીના અમૃત વર્ષ 2022નું આઝાદ બજેટ આગામી 25 વર્ષ અમૃત પર લઇ જનારું આ બજેટ છે. આ બજેટની ચાર પ્રાથમિકતા ગતિ શક્તિ, સર્વ સમાવેશક વિકાસ, ઉત્પાદકતામાં વૃદ્ધિ, રોકાણની તકોમાં વિશેષ ભાર આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આગામી વર્ષમાં લોકોને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થશે. PLI સ્કિમ દ્વારા આગામી 5 વર્ષમાં 60 લાખ લોકોને રોજગાર અવસરથી આત્મનિર્ભરતા સાકાર થશે.

આ પણ વાંચોઃ ટેકસટાઇલ ઉદ્યોગ માટે બજેટમાં પ્રત્યક્ષ કોઈ જોગવાઈ કરાઈ નથી: સુરત કાપડ ઉદ્યોગપતિઓ

ક્રિપ્ટોની ચુંગાલમાંથી બહાર લાવનારું બજેટ

ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે આજે રજૂ કરાયેલ બજેટ (C R Patil Reaction On Union Budget 2022 ) સામાન્ય જનતાના હિતમાં ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે અને સામાન્ય લોકોની અપેક્ષાને ધ્યાન રાખી છે. જેમાં ખાસ કરીને સુરતના હીરાઉદ્યોગને રાહત આપી છે. આખા દેશના તાત ખેડુતને પણ ખેતી માટે સાધન ખરીદી શકે તે માટે ટેક્સમાં રાહત આપવામાં આવી છે. સાથે સાથે ખેડુતો પોતાનો પાક સારી રીતે ઉગાડીને સારી આવક મેળવી શકે તે માટે ઓર્ગેનિક ખેતી પર ખાસ ભાર આપવામાં આવ્યો છે. ક્રિપ્ટો કરન્સીના કારણે દેશને મોટા પાયે નુકશાન થવાની શક્યતા હતી. તેના લીધે ક્રિપ્ટો કરન્સીથી કમાતા લોકોને ટેક્સ ભરવો પડશે અને ક્રિપ્ટો કરન્સીના ચુંગાલમાંથી લોકો બહાર આવે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. બેંકોને ડિજિટલ કરીને પોસ્ટ ઓફિસ સાથે જોડી ગામડાં લોકોને સારી સુવિધા મળી રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Union Budget 2022 :કેન્દ્રીય બજેટમાં MSME ઉદ્યોગ માટે જાહેરાત નહીં, ઉદ્યોગપતિઓમાં નારાજગી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.