Youth Parliament Of India 2021: CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ઉન્નત રાષ્ટ્રનિર્માણની નેમમાં યુથ પાર્લામેન્ટ અગત્યનું પરિબળ બનશે

author img

By

Published : Dec 4, 2021, 7:41 PM IST

Youth Parliament Of India 2021: CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-  ઉન્નત રાષ્ટ્રનિર્માણની નેમમાં યુથ પાર્લામેન્ટ અગત્યનું પરિબળ બનશે

કર્ણાવતી યુનિવર્સિટી (karnavati university uvarsad gandhinagar) ખાતે આયોજિત ‘યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા 2021 (youth parliament of india 2021)માં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવા પેઢીને રાષ્ટ્રહિતમાં આગેવાની લેવા માટે પ્રેર્યા હતા અને યુથ પાર્લામેન્ટ (youth parliament 2021 in in karnavati university)ને ઉત્કૃષ્ટ યુવાશક્તિના જાગરણ અને ઉન્નત રાષ્ટ્રનિર્માણ માટે અગત્યનું પરિબળ ગણાવ્યું છે.

  • ગાંધીનગર કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટ ઇવેન્ટ યોજાઈ
  • યુથ પાર્લામેન્ટથી યુવા પ્રતિનિધિઓ તૈયાર કરવાની પ્રતિબદ્ધતા: CM ભૂપેન્દ્ર પટેલ
  • સી.આર. પાટિલ, જ્ઞાનવત્સલસ્વામી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર: ગાંધીનગરના ઉવારસદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી કર્ણાવતી યુનિવર્સિટી (karnavati university uvarsad gandhinagar) ખાતે આજે યુથ પાર્લામેન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (cm bhupendra patel in youth parliament of india 2021) પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત પર્વે (azadi ka amrut mahotsav) આયોજીત યુથ પાર્લામેન્ટ યુવાનો માટે અવિસ્મરણિય અનુભૂતિનું પર્વ બન્યું છે. યુથ પાર્લામેન્ટથી જનહિત સેવા માટે, રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત યુવા પ્રતિનિધિઓ તૈયાર કરવાની અમારી પ્રતિબદ્ધતા છે.

યુથ પાર્લામેન્ટ યુવાશક્તિ માટે મોટી તક

યુથ પાર્લામેન્ટ યુવાશક્તિ માટે મોટી તક લઇને આવી છે. યુવાનોએ રાષ્ટ્રહિત માટે આગેવાની લેવામાં પાછા પડવાનું નથી - CM ભૂપેન્દ્ર પટેલ
યુથ પાર્લામેન્ટ યુવાશક્તિ માટે મોટી તક લઇને આવી છે. યુવાનોએ રાષ્ટ્રહિત માટે આગેવાની લેવામાં પાછા પડવાનું નથી - CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્ણાવતી યુનિવર્સિટી (cm bhupendra patel in karnavati university) ખાતે આયોજીત ‘યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા 2021’ (youth parliament of india 2021)ના શુભારંભ અવસરે કહ્યું કે, યુથ પાર્લામેન્ટ યુવાશક્તિ માટે મોટી તક લઇને આવી છે. યુવાનોએ રાષ્ટ્રહિત માટે આગેવાની લેવામાં પાછા પડવાનું નથી. યુવાન ઉર્જાવાન હશે તો બીજાને પ્રભાવિત કરી શકશે. યુથ પાર્લામેન્ટનો ઉદેશ્ય દેશની યુવા પેઢીને કાયદા નિર્માણની લોકતાંત્રિક પ્રક્રિયાથી પરિચિત કરવાનો છે. યુથ પાર્લામેન્ટમાં મનોમંથન અને સંવાદ દ્વારા યુવાનોને જ્ઞાનરૂપી અમૃત પ્રાપ્ત થશે. ઉત્કૃષ્ટ યુવાશક્તિના જાગરણથી ઉન્નત રાષ્ટ્રનિર્માણની નેમમાં યુથ પાર્લામેન્ટ એક અગત્યનું પરિબળ બનશે.

PM મોદીના કાર્યકાળમાં સંસદ કાર્યદક્ષતા સાથે કાર્યરત બની

CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારતની સંસદીય પ્રણાલી (parliamentary system of india) નવા આયામો પામી છે. તેમના કાર્યકાળમાં દેશની સંસદ સૌથી વધુ કાર્યદક્ષતા સાથે કાર્યરત (parliament functioning and efficiency in india) બની છે. અનેક લેન્ડમાર્ક કાયદાઓ બન્યા અને સેકડો જૂના-પુરાણા કાયદાઓ રદ પણ થયા છે. મુખ્યપ્રધાનશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકતંત્રને ભારતનો આત્મા કહ્યો છે. આ પૃથ્વી પર લોકતાંત્રિક રાજ્યવ્યવસ્થાઓ (democratic state system of india) સૌ પહેલા ભારતમાં અસ્તિત્વમાં આવી હતી. તુર્કો, અફઘાનો, આરબો, મુઘલ શાસકો અને ત્યારબાદ યુરોપિયન શાસકોની ગુલામીના લાંબા કાળખંડ બાદ ભારતે ફરીથી લોકતાંત્રિક શાસન વ્યવસ્થા કાયમ કરી છે.

PM મોદીના નેતૃત્વના કારણે લોકશાહીમાં વિશ્વાસનું વાતાવરણ જાગ્યું

તેમણે કહ્યું કે, ભારતીય સમાજે-ભારતનાં નાગરિકોએ આઝાદીના જે સપના જોયા હતા, સ્વતંત્ર સમૃદ્ધ અને સુખી થવા માટેની જે ઝંખના કરી હતી તે આ લોકતાંત્રિક વ્યવસ્થાએ સાકાર કરી આપી છે. મોદીના નેતૃત્વને પરિણામે સૌને લોકશાહીમાં ભરોસાનું, વિશ્વાસનું વાતાવરણ જાગ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં યુવાનોના સંદર્ભમાં કહ્યું કે, આપણો દેશ યુવાનોનો દેશ છે, યુવાનો ભારતનું ભવિષ્ય છે. ભારતની લોકતાંત્રિક શાસન વ્યવસ્થામાં યુવાનો મહત્વનો ભાગ ભજવી શકે છે. દેશની યુવા શક્તિ (youth power of india) પર વિશ્વાસ મુકી યુવાનોને આત્મનિર્ભર ભારત-નયા ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું છે. તેમણે ઝાલર વગાડીને આ યુથ પાર્લામેન્ટની વિધિવત શરૂઆત કરાવી હતી સાથે જ તેની ભવ્ય સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.

નિયમો તોડવાની હિંમત જે યુવાન નથી કરતો તે આગેવાન નથી બની શકતો

નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (cr patil about youth parliament) જણાવ્યું હતું કે, અપ્રાસંગિક રૂઢીઓ અને નિયમોને તોડવાની હિંમત જે યુવાન નથી કરતો તે આગેવાન નથી બની શકતો. જીવનમાં પ્રગતિ કરવી હોય તો બીબાઢાળ પદ્ધતિઓમાંથી બહાર આવી નવિન અને રચનાત્મક કાર્યો તરફ વળવું પડશે. યુથ પાર્લામેન્ટ આવો જ એક રચનાત્મક અભિગમ છે. યુથ પાર્લામેન્ટમાં વર્તમાન સ્થિતિના પ્રશ્નો-મુશ્કેલીઓના ઉકેલ માટેની ચર્ચા થાય તે ઇચ્છનીય છે. જગતમાં કોઈપણ ક્રાંતિ યુવાનો જ લાવ્યા છે. આપણો દેશ યુવાનોનો દેશ છે. દેશના યુવાનો જાગૃત છે, નવી કેડી કંડારવામાં સક્ષમ છે. કોઈ યુવાન અમારી પાસે નવો અને સમાજોપયોગી વિચાર લઈને આવે તો તેનો અમલ કરવા અમે તત્પર રહીએ છીએ.

કોણ કોણ રહ્યું હાજર

આ પ્રસંગે સામાજીક ન્યાય અને અધિકારીતા પ્રધાન (minister of social justice and empowerment gujarat) પ્રદીપ પરમાર, કુટિર ઉદ્યોગ રાજયપ્રધાન જગદીશ પંચાલ, કાર્યક્રમની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અને ભાજપા ગુજરાત યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડૉ. ઋત્વિજ પટેલ, યુનાઇટેડ ગ્રુપના ચેરમેન કમલકિશોર હાંડા, ડીએ ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ, કર્ણાવતી યુનિવર્સિટીના ઉપકુલપતિ એ.કે. સૂર્યવંશી અને દેશભરમાંથી આવેલા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Exclusive: રાજ્યની આર્થિક ગુના નિવારણ શાખા બુલેટ ટ્રેનની ગતિએ કરી રહી છે કામ, 6 મહિનામાં 300માંથી 200 અરજીનો થયો નિકાલ

આ પણ વાંચો: Corona Death in Gujarat : ગુજરાતમાં કોરોનાથી 3 લાખ મોતના રાહુલ ગાંધીના નિવેદન પર મળી રાજકીય પ્રતિક્રિયાઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.