ETV Bharat / state

કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટરી ઓફ ઇન્ડિયા કાર્યક્રમ યોજાયો, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા હાજર

author img

By

Published : Nov 24, 2019, 2:46 AM IST

કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટરી ઓફ ઇન્ડિયા કાર્યક્રમ યોજાયો

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર નજીક ઉવારસદ સ્થિત કર્ણાવતી યુનિવર્સિટી ખાતે દેશના યુવાઓને દેશની પ્રવર્તમાન સમસ્યાઓ પર પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરવા અને રાષ્ટ્ર હિત સર્વોપરીની ભાવના કેળવવા માટે યોગ્ય પ્લેટફોર્મ પુરૂં પાડવાના હેતુથી યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા 2019 કાર્યક્રમનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમ કે, શનિવારે મુખ્યપ્રધાન વિજય રુપાણી અને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા પણ હાજર રહ્યા હતા.

યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા 2019માં યુવાઓને આવકારતા મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, યુવા પાર્લામેન્ટ એટલે કે, યુવાઓના વિચારોનો પ્રતિઘોષ. ભારત આજે વિશ્વમાં સૌથી વધુ યુવા વર્ગ ધરાવે છે. ભારતીય યુવાઓમાં રાષ્ટ્રભક્તિ હંમેશા ધબકતી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપન 'ન્યુ ઇન્ડિયા'નો પાયો યુવાધન છે. ઇતિહાસમાં જોઇએ તો રાષ્ટ્રના યુવાનોએ સચોટ માર્ગદર્શન હેઠળ ક્રાંતિ કરી હતી. દેશના વિકાસમાં નિસ્વાર્થ યુવા સેવા આવશ્યક છે. આજે રાષ્ટ્ર અને યુવાઓ પાસે ખુબ જ અપેક્ષાઓ છે.

જ્યારે રાજ્ય સભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડાએ યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા થકી દેશના પ્રશ્નોને સાંકળીને યુવાઓને જોડવાના પ્રયત્નો બદલ આયોજકોને અભિનંદન પાઠવી દેશના બદલામાં યુથના રોલ ઉપર ભાર મુક્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ભારત દેશની વસ્તી પૈકી 65 ટકા વસ્તી 35 વર્ષથી નાની વયની એટલે કે, યુથ છે. આ યુથને જે રાજકીય વાતાવરણ જોવા મળ્યું છે, તે બદલ યુથને નસીબદાર ગણાવ્યું હતું. જ્યારે અગાઉ દેશભરમાં જે રાજકીય વાતાવરણ હતું તેમાં 'બધુ ચાલે', 'કંઇ નહીં બદલાય', 'અમે તો આમ જ ચલાવીશું' આવું જ સાંભળવા મળતું હતું. છેલ્લા પાંચ વર્ષથી જે વાતાવરણ ઉભું થયું છે તેમાં 'આમ બધું નહીં ચાલે', 'બધે જ બદલાવ આવશે' આ વાતાવરણનો જન્મ થયો છે તે માટે જ યુથને નસીબદાર ગણાવ્યા હતા.

કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટરી ઓફ ઇન્ડિયા કાર્યક્રમ યોજાયો

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડાએ ત્રિપલ તલાકના મુદ્દા સાથે સ્ટ્રોંગ લીડરશીપને જોડીને જણાવ્યું હતું કે, પાકિસ્તાન, સીરીયા, અફ્ઘાનિસ્તાન સહિતના દેશો જ્યાં મુસ્લિમ મેજોરીટી છે. તે દેશોમાં પણ ત્રિપલ તલાકનો કાયદો નથી, પરંતુ આપણા ભારત દેશમાં વોટબેન્ક માટે ત્રિપલ તલાકનો કાયદો ચાલી રહ્યો હતો. જેને એક સ્ટ્રોંગ લીડરશીપ મારફતે રદ કરી દેવાયો છે. જ્યારે સ્ટ્રોંગ લીડરશીપથી દેશના વડાપ્રધાન મોદીએ 'ભ્રષ્ટાચાર મુક્ત ભારત, વિકાસ યુક્ત ભારત' બનાવી બતાવ્યું છે તેમ કહીને નડ્ડાએ યુવાનોને એક ઇન્ડિયા ન્યુ ઇન્ડિયામાં જોડાવવા આહ્વાન કર્યું હતું.

કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા આયોજિત આ યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા 2019માં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પ્રથમ સેશનમાં " censor board of film certification regulation on all digital content?" વિષય પર ચર્ચા માટે ફિલ્મ ક્ષેત્રમાંથી રાજ શાંદિલિયા, મિહિર ભૂતા, મનોજ જોશી, અર્જુન રામપાલ અને સ્મૃતિ ઈરાની ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બીજા સેશનમાં "Tons of pending cases in the courts. is justice delayed, truly justice denied?" વિષય માટે ન્યાય ક્ષેત્રમાંથી ડૉ. અભિષેક મનુ સિંઘવી, જી વી એલ નરસિંહા રાવ અને સલમાન ખુરશીદને આમંત્રિત કરાયા હતા.

Intro:Approved by panchal sir


ગાંધીનગર નજીક ઉવારસદ સ્થિત કર્ણાવતી યુનિવર્સિટી ખાતે દેશના યુવાઓને દેશની પ્રવર્તમાન સમસ્યાઓ પર પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરવા અને રાષ્ટ્ર હિત સર્વોપરી ની ભાવના કેળવવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા - 2019 કાર્યક્રમનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમક આજે
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડા હાજર રહ્યા હતા.
Body:યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા 2019 માં યુવાઓને આવકારતા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે યુવા પાર્લામેન્ટ એટલે કે યુવાઓના વિચારોનો પ્રતિઘોષ. ભારત આજે વિશ્વમાં સૌથી વધુ યુવા વર્ગ ધરાવે છે. ભારતીય યુવાઓમાં રાષ્ટ્રભક્તિ હંમેશા ધબકતી રહી છે. વડાપ્રધાનનરેન્દ્ર મોદી ના સ્વપ્ન 'ન્યુ ઇન્ડિયા' નો પાયો યુવાધન છે. ઈતિહાસમાં જોઈએ તો રાષ્ટ્રના યુવાનોએ સચોટ માર્ગદર્શન હેઠળ ક્રાંતિ કરી. દેશના વિકાસમાં નિસ્વાર્થ યુવા સેવા આવશ્યક છે. આજે રાષ્ટ્ર અને યુવાઓ પાસે ખૂબ જ અપેક્ષાઓ છે.


જ્યારે રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા એ યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા થકી દેશના પ્રશ્નોને સાંકળીને યુવાઓને જોડવાના પ્રયત્નો બદલ આયોજકોને અભિનંદન પાઠવી દેશના બદલાવમાં યુથના રોલ ઉપર ભાર મૂક્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ભારત દેશની વસ્તી પૈકી ૬૫ ટકા વસ્તી ૩૫ વર્ષથી નાની વયની એટલે કે યુથ છે. આ યુથને જે રાજકીય વાતાવરણ જોવા મળ્યું છે તે બદલ યુથને નસીબદાર ગણાવ્યુ હતું. જ્યારે અગાઉ દેશભરમાં જે રાજકીય વાતાવરણ હતું તેમાં 'બધું ચાલે', 'કાંઈ નહીં બદલાય', 'અમે તો આમ જ ચલાવીશું' આવું જ સાંભળવા મળતું હતું. છેલ્લા પાંચ વર્ષથી જે વાતાવરણ ઊભું થયું છે તેમાં 'આમ બધું નહીં ચાલે', 'બધે જ બદલાવ આવશે' આ વાતાવરણનો જન્મ થયો છે તે માટે જ યુથને નસીબદાર ગણાવ્યા હતા.

નડ્ડા એ ત્રિપલ તલાકના મુદ્દા સાથે સ્ટ્રોંગ લીડર શીપ ને જોડીને જણાવ્યું હતું કે પાકિસ્તાન, સીરિયા, અફઘાનિસ્તાન સહિતના દેશો જ્યાં મુસ્લિમ મેજોરીટી છે તે દેશોમાં પણ ત્રિપલ તલાકનો કાયદો નથી પરંતુ આપણા ભારત દેશમાં વોટબેન્ક માટે ત્રિપલ તલાકનો કાયદો ચાલી રહ્યો હતો જેને એક સ્ટ્રોંગ લીડરશીપ મારફતે રદ કરી દેવાયો છે. જ્યારે સ્ટ્રોંગ લીડર શિપથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'ભ્રષ્ટાચાર મુક્ત ભારત, વિકાસ યુક્ત ભારત' બનાવી બતાવ્યું છે તેમ કહીને શ્રી નડ્ડાએ યુવાનોને એક ઇન્ડિયા ન્યુ ઇન્ડિયામાં જોડાવવા આહવાન કર્યું હતું.Conclusion:કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા આયોજિત આ યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા 2019 માં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પ્રથમ સેશનમાં " censor board of film certification regulation on all digital content?" વિષય પર ચર્ચા માટે ફિલ્મ ક્ષેત્રમાંથી રાજ શાંદિલિયા, મિહિર ભૂતા, શ્રી મનોજ જોશી, અર્જુન રામપાલ અને સ્મૃતિ ઈરાનીને ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બીજા સેશનમાં "Tons of pending cases in the courts. is justice delayed, truly justice denied?" વિષય માટે ન્યાય ક્ષેત્રમાંથી ડૉ. અભિષેક મનુ સિંઘવી, જી વી એલ નરસિંહા રાવ અને સલમાન ખુરશીદને આમંત્રિત કરાયા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.