ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકની અંદર કોરોનાના 20 કેસ, 4.24 લાખથી વધુ લોકોને અપાઈ રસી

author img

By

Published : Sep 30, 2021, 10:58 PM IST

છેલ્લા 24 કલાકની અંદર કોરોના પોઝિટિવ કેસ 30 સપ્ટેમ્બરના રોજ 20 નોંધાયા છે. ગુરૂવારે 18 દર્દીઓએ કોરોનાને માત આપી હતી અને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીઓનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું નથી. સારી વાત એ પણ છે કે ઘણા સમયથી મૃત્યુ દર બિલકુલ ઓછો થઈ ગયો છે. રિકવરી રેટ પણ 98.76 ટકા સુધી પહોંચ્યો છે. જ્યારે રસીકરણ આજના દિવસમાં 4.24 લાખથી વધુ થયું હતું.

Latest news of Gandhinagar
Latest news of Gandhinagar

  • 30 સપ્ટેમ્બરે 18 પોઝિટિવ દર્દીઓને રજા અપાઇ
  • 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નહીં
  • રાજ્યમાં 158 એક્ટિવ કેસ નોંધાયા

ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 30 સપ્ટેમ્બરના રોજ કોરોનાની યાદી બહાર પાડવામાં આવી હતી. એ મુજબ છેલ્લા 24 કલાકમાં 20 જ પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસની આ સ્થિતિ સપ્ટેમ્બર માસમાં પણ અગાઉના મહિના જેટલી રહી હતી. કોર્પોરેશન વિસ્તારમાં પણ કોરોના કેસ ઘટ્યા છે. અમદાવાદમાં એક 3 કેસ જ્યારે સુરત કોર્પોરેશનમાં 5, વડોદરા અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો હતો.

આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15 થી પણ ઓછા કેસ નોંધાયા, 16 લોકોને ડીસ્ચાર્જ કરાયા

કોરોનાની વર્તમાન સ્થિતિ

કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 158 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 154 કેસો સ્ટેબલ છે, જ્યારે વેન્ટિલેટર 4 દર્દીઓ છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ 10,082 દર્દીના સારવાર દરમિયાન દુઃખદ મૃત્યુ નીપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 81,5,696 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 થી પણ ઓછા કેસ, 5.80 લાખથી વધુ લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા

આજે 4,24,219 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું

રાજ્ય સરકારની યાદી મુજબ આજે 30 સપ્ટેમ્બરે 4,24,219 વ્યક્તિનું રસીકરણ થયું હતું. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવા તરફ રાજ્ય સરકારનો પ્રયાસ છે. ત્યારે આજે એવા ચાર લાખ આસપાસ રસીકરણ થયું છે. ક્યારેક 2.5 લાખ તો ક્યારેક 3 લાખ આસપાસ રસીકરણ અગાઉના મહિનામાં થતું હતું પરંતુ બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા વધી રહી છે. કેમ કે અત્યાર સુધી રાજ્યમાં પહેલા ડોઝ ટાર્ગેટ પ્રમાણેથી વધી ગયા છે. બીજા ડોઝ લેનારની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધી 6,09,93,452 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.