ETV Bharat / city

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 થી પણ ઓછા કેસ, 5.80 લાખથી વધુ લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા

author img

By

Published : Sep 9, 2021, 9:03 PM IST

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં 20 થી પણ ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના કોર્પોરેશન જેવા કે અમદાવાદમાં- 3, સુરતમાં- 3, વડોદરામાં- 3, રાજકોટ કોર્પોરેશનમાં 2 એમ કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. જોકે છેલ્લા કેટલાક સમયથી જિલ્લાઓમાં 0 કેસ હતા પરંતુ ખેડામાં-2, કચ્છ-2, નવસારી અને સાબરકાંઠામાં એક એક કેસ નોંધાયો છે.

Gujarat News
Gujarat News

  • રાજ્યમાં ગુરુવારે 19 કેસ નોંધાયા
  • કોર્પોરેશન વિસ્તારમાં સિંગલ ડીજીટમાં કોરોના કેસ નોંધાયા
  • 20 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ આ કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. 9 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં 19 જ પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી મોટા ભાગના જિલ્લાઓમાં 0 કેસો કોરોનાના નોંધાયા છે. ખાસ કરીને વેક્સિનની પ્રક્રિયા ઝડપી બની છે. ગુરુવારે 5.80 લાખથી વધુ લોકોને વેક્સિન આજના દિવસે આપવામાં આવી હતી.

રવિવારે 5,80,070 લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા

9 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 5,80,070 કોરોના રસીના ડોઝ અપાયા છે. ગુરુવારે ગુજરાતમાં 18 થી 45 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 2,39,757 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 1,68,653 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતમાં કુલ 5,13,75,419 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 150 પહોંચ્યા

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 150 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 6 વેન્ટિલેટર પર અને 144 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,082 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,331 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 150 પહોંચ્યા

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 150 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 6 વેન્ટિલેટર પર અને 144 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,082 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,331 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.