ETV Bharat / city

Bhavnagar Dam Repairing Work: સરકારે રજૂઆત ન સાંભળતા 300 ખેડૂતો બન્યા 'આત્મનિર્ભર', કાલથી બંધારાનું રિપેરીંગ જાતે શરૂ કરશે

author img

By

Published : Mar 9, 2022, 10:40 AM IST

Bhavnagar Dam Repairing Work: સરકારે રજૂઆત ન સાંભળતા 300 ખેડૂતો બન્યા 'આત્મનિર્ભર', કાલથી બંધારાનું રિપેરીંગ જાતે શરૂ કરશે
Bhavnagar Dam Repairing Work: સરકારે રજૂઆત ન સાંભળતા 300 ખેડૂતો બન્યા 'આત્મનિર્ભર', કાલથી બંધારાનું રિપેરીંગ જાતે શરૂ કરશે

ભાવનગરમાં 12 ગામના ખેડૂતો જાતે જ બંધારાનું રિપેરીંગ કામ 10 માર્ચથી શરૂ (Bhavnagar Dam Repairing Work) કરશે. તળાજા તાલુકાના મેથળા ગામમાં તાઉતે વાવાઝોડાના કાણે બંધારાનો પાળો તૂટી ગયો હતો. જોકે, ખેડૂતોએ આ અંગે સરકારને અનેક રજૂઆત કરી (Submission to the Government regarding the Dam) છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા ખેડૂતો જાતે જ બંધારાનું રિપેરીંગ શરૂ કરશે.

ભાવનગરઃ તળાજા તાલુકાના મેથળા ગામમાં વર્ષ 2018માં બાંધવામાં આવેલા (Construction work in Methla village) બંધારા તાઉતે વાઝોડાના કારણે તૂટી ગયો હતો. આ બંધારાને મોટું નુકસાન થતા તેના સમારકામ માટે સરકાર (Farmers in Bhavnagar angry with government) અને રાજકીય આગેવાનોને રજૂઆત (Submission to the Government regarding the Dam) કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ નિવેડો ન આવતા 12 ગામના ખેડૂતો આવતીકાલથી (10 માર્ચ) બંધારાનું રિપેરીંગ કામ જાતે જ શરૂ કરશે. આ કામગીરીમાં 300થી વધુ ખેડૂતો 50થી વધુ ટ્રેક્ટર (Bhavnagar Dam Repairing Work) સાથે આવશે.

12 ગામના ખેડૂતો સરકારથી કંટાળ્યા
12 ગામના ખેડૂતો સરકારથી કંટાળ્યા

ખેડૂતો મજબૂરીથી બન્યા આત્મનિર્ભર

આ બંધારાના રિપેરીંગ માટે 12 ગામના ખેડૂતો આગામી 10 માર્ચે બંધારાના રિપેરીંગનું કામ શરૂ કરશે. આ કામમાં 300થી વધુ ખેડૂતો 50થી વધુ ટ્રેક્ટર સાથે લઈને આવશે. ખેડૂતો જાતમહેનત ઝિન્દાબાદના નારા સાથે રિપેરીંગ કામના શ્રીગણેશ કરશે.

ખેડૂતો લોકફાળાથી મેથળા બંધારો બનાવી રહ્યા છે
ખેડૂતો લોકફાળાથી મેથળા બંધારો બનાવી રહ્યા છે

આ પણ વાંચો- Sunflower cultivation in Surendranagar: વઢવાણના ખેડૂત કઈ રીતે અન્ય ખેડૂત માટે પ્રેરણારૂપ બન્યા, જુઓ

ખેડૂતો લોકફાળાથી મેથળા બંધારો બનાવી રહ્યા છે

તળાજા તાલુકાના મેથળા ગામમાં આ વિસ્તારના લોકોએ શ્રમયોગી બન્યા છે. ખેડૂતો જાતમહેનત ઝિન્દાબાદ, અપના હાથ જગન્નાથના નારા સાથે દરિયાના પાણીને રોકી મીઠા પાણીનો સંગ્રહ કરવા લોકફાળાથી મેથળા બંધારો બનાવી રહ્યા છે. મીઠાના પાણીનો સંગ્રહ થાય તેવું મોટું સરોવર (Bhavnagar Dam Repairing Work) બનાવ્યું, જે બંધારો ગયા વર્ષમાં આવેલા તાઉતે વાવાઝોડા દરમિયાન તૂટી (Bhavnagar Dam Repairing Work) ગયો હતો.

ખેડૂતો મજબૂરીથી બન્યા આત્મનિર્ભર
ખેડૂતો મજબૂરીથી બન્યા આત્મનિર્ભર

આ પણ વાંચો- Farmer Smartphone Subsidy Scheme: ખેતી અંગેની તમામ માહિતી હવે ખેડૂતોની આંગળીના ટેરવે, ધરતીપુત્રોએ આપી પ્રતિક્રિયા

12 ગામના ખેડૂતો સરકારથી કંટાળ્યા

આ બંધારાના રિપેરીંગ કામની અનેક રજૂઆત (Submission to the Government regarding the Dam) છતાં કોઈ નીવેડો આવ્યો નહીં. છેવટે 12 ગામના ખેડૂતો કંટાળી જાતે જ કામ શરૂ કરશે. અહીં ખેડૂતો (Bhavnagar Dam Repairing Work) 50થી વધુ ટ્રેક્ટરો, પાંચ GCB, ત્રિકમ, પાવડા વગેરે સામગ્રી સાથે 300 ખેડૂતોના સથવારે મેથળા બંધારાનું રિપેરીંગ કામ (Submission to the Government regarding the Dam) શરૂ કરશે.

ખેડૂતો સરકારથી નારાજ

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં મહુવા અને તળાજા તાલુકાના મેથળા ગામમાં 12 ગામના લોકોએ જાતમહેનતથી બંધારો બનાવ્યો હતો. ત્યારબાદ ચોમાસાની સિઝન દરમિયાન બંધારામાં પાણીનો સંગ્રહ થતા મેથળા તેમ જ આસપાસના 12 જેટલા ગામોમાં પાણીના તળ ઉચ્ચા આવ્યા તેમ જ ખેતી માટે સિંચાઈનું પાણી મળતા ખેડૂતો પણ પોતાના પાકની સારી ઉપજ મેળવી શક્યા હતા. તે અંગે સરકાર દ્વારા મેથળા ખાતે સરકાર (Farmers in Bhavnagar angry with government) દ્વારા 137 કરોડ રૂપિયાના ખર્ચે સિમેન્ટ કોંક્રિટના બંધારાને મંજૂરી આપ્યા બાદ આજ દિન સુધી નક્કર પગલાના ભરાતા 12 ગામના ખેડૂતોમાં નારાજગી (Farmers in Bhavnagar angry with government) જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.